Connect Gujarat
ગુજરાત

પાટણ: રાધનપુરના વોર્ડ નંબર સાતમાં બિસ્માર માર્ગ અને ગંદકીના કારણે રહીશો પરેશાન,આંદોલનની ચીમકી

રાધનપુર મસાલી રોડ પર વોર્ડ નંબર સાતમાં આવેલ વલ્લભનગરથી પંચમુખી હનુમાનજી મંદિર સુધી ખરાબ રસ્તો અને ગટરના ગંદા પાણીથી રહીશો પરેશાન થઈ ઉઠ્યા છે.

X

પાટણના રાધનપુર મસાલી રોડ પર વોર્ડ નંબર સાતમાં આવેલ વલ્લભનગરથી પંચમુખી હનુમાનજી મંદિર સુધી ખરાબ રસ્તો અને ગટરના ગંદા પાણીથી રહીશો પરેશાન થઈ ઉઠ્યા છે.

પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકાના અણ આવડત વહીવટના કારણે નગરપાલિકાની કામગીરીથી વોર્ડ નંબર સાતના વલ્લભ નગરથી પંચમુખી હનુમાન સુધી રહેતા રહેશો પરેશાન થઈ ઉઠ્યા છે. ખરાબ રસ્તો અને ગટરના ગંદા પાણી ભરાય રહેતા લોકોને ચાલવાની હાલાકી પડી રહી છે.મચ્છરના કારણે બીમાર પડી રહ્યા છે.નગરપાલિકા દ્વારા રોડની મંજૂરી આપવામાં આવી એ છતાં કામગીરી કરવામાં આવતી નથી તેની સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે.આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ગટરની કામગીરી કરવામાં આવે રોડની કામગીરી કરવામાં આવે અને મચ્છરોનો નાશ કરવામાં આવે તેવી લોક માગણી ઉઠી છે.મોટી સંખ્યામાં મહિલાઓએ એકત્રિત થઈ નગરપાલિકા તંત્રનો વિરોધ દર્શાવ્યો હતો

Next Story