પાટણ: સિદ્ધપુરમાંથી એક શંકાસ્પદ મૃતદેહના અવશેષો મળતા ચકચાર,પાઇપ લાઇનમાંથી મળી આવ્યા અવશેષો

પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી એક શંકાસ્પદ મૃતદેહના અવશેષો મળતા ચકચાર મચી જવા પામી હતી.

New Update
પાટણ: સિદ્ધપુરમાંથી એક શંકાસ્પદ મૃતદેહના અવશેષો મળતા ચકચાર,પાઇપ લાઇનમાંથી મળી આવ્યા અવશેષો

પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી એક શંકાસ્પદ મૃતદેહના અવશેષો મળતા ચકચાર મચી જવા પામી હતી.

પાટણ સિદ્ધપુરની ઉપલી શેરી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પીવાનું પાણી આવવાનું બંધ થઈ ગયું હતું. જેથી નગરપાલિકાની ટીમ દ્વારા પાઈપલાઈનની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉપલી શેરી વિસ્તારમાં ખોદકામ કરવામાં આવતા પાઈપલાઈનમાંથી શંકાસ્પદ મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. જે અવશેષો મળી આવ્યા હતા તે કોહવાઈ ગયેલી હાલતમાં હતા. પાઈપલાઈનમાંથી જેટલા અવશેષો મળ્યા તેને હાલ સિદ્ધપુર સિવિલમાં પીએમ માટે મોકલવામાં આવ્યા છે.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories