પાટણ : કલેક્ટર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી,પોલીસે બોમ્બ સ્ક્વોડની મદદથી શરૂ કરી તપાસ

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સ્કૂલ,કોલેજ,ખાનગી ઉદ્યોગ સહિતના સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ અંગેની ધમકી ભર્યા ઈમેલ મળી રહયા છે.ત્યારે વધુ એક ઈમેલ પાટણના જિલ્લા કલેકટર અરવિંદ વિજયનને એક ધમકી ભર્યો ઈમેલ મળ્યો

New Update
  • બોમ્બથી ઉડાવી દેવાની વધુ એક ધમકી

  • પાટણ કલેક્ટરને મળ્યો ધમકી ભર્યો ઈમેલ

  • કલેકટરના ઈમેલ આઈડી પર આવ્યો ઈમેલ

  • 200 કર્મચારીઓને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા

  • પોલીસે બોમ્બ સ્કવોડની મદદથી શરૂ કરી તપાસ

પાટણમાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના ઈમેલ પર બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. કલેક્ટર ઓફિસને બોમ્બની ધમકી મળતા જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે દોડી આવીને તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સ્કૂલ,કોલેજ,ખાનગી ઉદ્યોગ સહિતના સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ અંગેની ધમકી ભર્યા ઈમેલ મળી રહયા છે.ત્યારે વધુ એક ઈમેલ પાટણના જિલ્લા કલેકટર અરવિંદ વિજયનને એક ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો,જેમાં પાટણ કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

પાટણ કલેક્ટર ઓફિસમાં 3 વાગ્યે બોમ્બની ધમકી મળી હતી. જેને લઈને 200થી વધુ કર્મચારીઓને કલેક્ટર ઓફિસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ધમકીને પગલે પોલીસનો કાફલો અને  બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટના સ્થળે દોડી આવ્યો હતો,અને કલેક્ટર કચેરીના કેમ્પસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ધમકી ભરેલો મેઇલ મજાક મસ્તીમાં કરવામાં આવ્યો છે કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે.જોકે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Read the Next Article

રાજકોટમાં કોરોનાથી પ્રથમ મોત, ગુજરાતમાં એક સપ્તાહમાં કોરોનાના કેસ ત્રણ ગણા થયા

ગુજરાતમાં કોરોના કેસમાં દિવસે દિવસે વધારો થતો જઇ રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ પછી રાજરોટમાં પણ કોરોના કેસમાં વધારો થતો જઇ રહ્યો છે.

New Update
rajkot

ગુજરાતમાં કોરોના કેસમાં દિવસે દિવસે વધારો થતો જઇ રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ પછી રાજરોટમાં પણ કોરોના કેસમાં વધારો થતો જઇ રહ્યો છે.

એટલુ જ નહીં રાજકોટમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયાનું પણ સામે આવ્યુ છે. રાજકોટમાં કોરોનાના કારણે આ પ્રથમ મોત થયુ છે.

ગુજરાતમાં કોરોના કેસમાં દિવસે દિવસે વધારો થતો જઇ રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ પછી રાજરોટમાં પણ કોરોના કેસમાં વધારો થતો જઇ રહ્યો છે.

એટલુ જ નહીં રાજકોટમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયાનું પણ સામે આવ્યુ છે. રાજકોટમાં કોરોનાના કારણે આ પ્રથમ મોત થયુ છે.

રાજકોટમાં કોરોનાનો કહેર ધીમે ધીમે વધતો જઈ રહ્યો છે. શહેરમાં આજે કોરોના વાયરસના કારણે પ્રથમ મોત થયાનું સામે આવ્યુ છે. 55 વર્ષીય આધેડે શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.

મળતી માહિતી અનુસાર, તેમને છેલ્લા ચાર દિવસથી કોરોનાના લક્ષણો હતા અને ગઇકાલે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રાજ્યસ્તરે જોવામાં આવે તો ગુજરાતમાં કોરોનાના કેસોનો કુલ આંકડો 1109 સુધી પહોંચી ગયો છે. માત્ર એક જ દિવસે 235 નવા કેસ નોંધાતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.

ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં કેસ ત્રણગણા થયા છે. એક્ટિવ કેસનો આંક હવે એક હજારને પાર પહોંચી ગયો છે.