રથયાત્રાનાં ટેબ્લોમાં PM મોદી છવાયા,મોદીની વિશ્વનેતાઓ સાથેની ઝાંખી જોવા લોકોની પડાપડી

આજે અમદાવાદમાં ભારતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા યોજાઈ રહી છે.

New Update
રથયાત્રાનાં ટેબ્લોમાં PM મોદી છવાયા,મોદીની વિશ્વનેતાઓ સાથેની ઝાંખી જોવા લોકોની પડાપડી

આજે અમદાવાદમાં ભારતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા યોજાઈ રહી છે.146મી રથયાત્રામાં ભગવાનની નગરચર્યા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કીર્તિમાનોનાં વખાણ કરાયાં છે. આજે યોજાઈ રહેલી રથયાત્રામાં નરેન્દ્ર મોદી અને વિશ્વના નેતાઓ સાથેની તસવીરો ટેબ્લોમાં રાખવામાં આવી છે. જેમાં મોદી છવાઈ ગયા છે. ત્યારે રથયાત્રામાં ભગવાન જગન્નાથના જય જયકાર સાથે મોદીનાં વખાણ પણ આ ટેબ્લોમાં દેખાઈ રહ્યાં છે.અમદાવાદની રથયાત્રા રંગેચંગે નીકળી છે. ત્યારે આજની આ રથયાત્રામાં વિવિધ ટેબ્લોએ ભાવિકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. ખાસ કરીને G-20ના ટેબ્લોમાં મોદીને જે રીતે દર્શાવવામાં આવ્યા છે, તેને જોવા લોકો પડાપડી કરી રહ્યા છે. આ ટેબ્લોમાં ભારતને વિશ્વ ગુરુ બનવા તરફની ઝાંખીનાં દર્શન થઈ રહ્યા છે. સાથોસાથ બાગેશ્વર બાબાના ટેબ્લોએ પણ ભાવિકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે. ભારત આ વખતે G-20 રાષ્ટ્રોનું પ્રેસિડેન્સીના સ્થાને છે. આ વખતની રથયાત્રામાં G-20 દ્વારા ભારતની વિશ્વ ગુરુ બનવા તરફની ઝાંખી બતાવવામાં આવી છે. વિવિધ દેશોના વડાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કટઆઉટ ઝાંખીમાં મૂકવામાં આવ્યું છે. ભારત આ વર્ષે 32 વિવિધ સેક્ટરમાં 50થી વધુ શહેરોમાં 200થી વધુ G-20ની બેઠકોનું આયોજન કરશે.

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. 12 જૂન-2025

New Update

એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ ઘટનાનો આજે 8મો દિવસ

ઘટનાસ્થળેથી મૃતદેહના 318 અવશેષ મળી આવ્યા

222 DNA મેચ થયા208 મૃતદેહ સોંપવામાં આવ્યા

કાટમાળમાંથી મળી આવ્યા 100 જેટલા મોબાઇલ ફોન

પ્લેન પાર્ટ્સ ભેગા કરી રિકન્સ્ટ્રક્શન કરાશે : જી.એસ.મલિક

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છેત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કેગત તા. 12 જૂન-2025 પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતીજેમાં 242 મુસાફર સવાર હતા. બપોરે 1:40 કલાકે પ્લેન ક્રેશ થયું હતું. 1:42 કલાકે પોલીસ કંટ્રોલને જાણ થઈ હતી. બનાવની જાણ થતાં જ અમદાવાદ પોલીસ કમિશનર ઝોન-4ના DCP, આર્મીએરફોર્સપેરામિલિટરી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્યાર સુધીમાં 214 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યાં છેઅને અન્ય 8 મળી કુલ 222 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પોલીસને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 318 જેટલા માનવઅંગો મળ્યા છેજે તપાસ માટે લેવામા આવ્યા હતા. અંદાજિત 7 કલાકમાં 51 રિલેટિવના સેમ્પલ પહોંચાડી દેવામા આવ્યા હતા. 36 કલાકમાં પહેલું DNA મળી ગયું હતુંઅને 24 કલાકમાં મૃતદેહ રવાના કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 222 DNA મેચ થયાં છેઅને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ઘટના સ્થળે કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ મળતાં FSLમાં મોકલવામાં આવ્યા છે. મોબાઈલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરાશે કેજ્યારે વિમાન ટેક-ઓફ થયું અને ક્રેશ થયું એ સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલમાં અંતિમ ક્ષણનો વીડિયો રેકોર્ડ થયો છે કેનહીં. એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છેતેને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરાયો છે. પોલીસે ઇન્વેસ્ટિગેશન અને હોસ્પિટલ માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ડિટેલ પોસ્ટમોર્ટમની જગ્યાએ પાર્સલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા હતા. પ્લેન ક્રેશના 8મા દિવસે પણ મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. વધુમાં એક કમિટી બનાવવામાં આવી છેજેમાં બ્લેક બોક્સ અને અન્ય જે વસ્તુ મળી છેતે અંગે તપાસ કરવામાં આવશે.