તાપીના રાજકારણમાં ગરમાવો..! : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે “કહી ખુશી, કહી ગમ” જેવો માહોલ...

ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે સોનગઢ મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવા મેળાવડો જામ્યો હતો. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા તેમના સમર્થકો સાથે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા

New Update
  • તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આયોજન

  • ચૂંટણીની તારીખ જાહેર થતાંની વચ્ચે આંતરિક જુથવાદ

  • રાજકીય પક્ષના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા

  • ટિકિટ ન મળતાં ભાજપ સંગઠન મહિલા મંત્રીનું રાજીનામું

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો 

Advertisment

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાંની વચ્ચે આંતરિક જુથવાદ સામે આવ્યો છે. જેમાં આજરોજ રાજકીય પક્ષના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. તો બીજી તરફટિકિટ નહીં મળતાં જિલ્લા ભાજપ સંગઠનના મહિલા મંત્રીએ પદ પરથી રાજીનામું આપ્યું હતું.

તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલ નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં અલગ અલગ પક્ષ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવતા આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે સોનગઢ મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવા મેળાવડો જામ્યો હતો. જેમાં ભાજપકોંગ્રેસ અને આપ દ્વારા તેમના સમર્થકો સાથે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. જેમાં ઉમેદવરો સાથે મોટી સંખ્યામાં તેઓના સમર્થકો જોડાયા હતા.

તો બીજી તરફતાપી જિલ્લા સોનગઢ નગરપાલિકા ચૂંટણી પહેલા ટિકિટ નહીં મળતા આંતરીક જૂથવાદ સામે આવ્યો છે. સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ નહીં મળતાં જિલ્લા સંગઠન મહિલા મંત્રીએ પક્ષને રાજીનામું ધરી દીધું છે. અનિતા પાટીલએ વોર્ડ નં. 2માંથી ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી કરી હતી.

આખરી સમયે ટિકિટ કપાઈ હોવાના આક્ષેપ સાથે તેઓએ નારાજ થઈ પાર્ટીના દરેક હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. અગાઉ અનીતા પાટીલ સોનગઢ નગર સંગઠન મંત્રી2 ટર્મ સોનગઢ નગર મહિલા મોરચાના પ્રમુખ રહી ચૂક્યા હતા. વોર્ડ નં. 2માં અનીતા પાટીલે કરેલી દાવેદારી સામે અન્ય મહિલા ઉમેદવારને ભાજપે ટિકિટ ફાળવી દેવામાં આવતા તાપી જિલ્લામાં રાજકારણ ગરમાયું છે.

Advertisment
Read the Next Article

“ઓપરેશન અખરોટ” : બાળકની શ્વાસનળીમાં ફસાયેલ અખરોટના ટુકડાને વલસાડના તબીબોએ સફળતાપૂર્વક બહાર કાઢ્યો...

વલસાડ શહેરમાં 4 વર્ષીય બાળકની શ્વાસનળીમાંથી અખરોટનો ટુકડો કાઢી તેનો જીવ બચાવવામાં આવ્યો છે, ત્યારે બાળકના પરિવારે તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.

New Update
62

વલસાડ શહેરમાં 4 વર્ષીય બાળકની શ્વાસનળીમાંથી અખરોટનો ટુકડો કાઢી તેનો જીવ બચાવવામાં આવ્યો છેત્યારે બાળકના પરિવારે તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisment

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસારબીલીમોરાના રહેવાસી પરિવારમાં 4 વર્ષીય બાળક અખરોટ ખાતો હતો.

આ દરમ્યાન રમતા રમતા બાળકની શ્વાસનળીમાં અખરોટનો ટુકડો ફસાઈ ગયો હતો. જે બાદ બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતાં પરિવાર હેબતાઈ ગયો હતો.

જોકેબાળકને તાત્કાલિક સારવાર અર્થે વલસાડ ખાતે ખસેડવામાં આવ્યો હતોજ્યાં ડો. મિતેષ મોદી દ્વારા તાત્કાલિક બાળકનું દૂરબીનની મદદથી ઓપરેશન કરવામાં આવ્યો હતો.

ડો. મિતેષ મોદી સહિતના સ્ટાફે બાળકની શ્વાસનળીમાંથી સફળતાપૂર્વક અખરોટનો ટુકડો કાઢ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેઆ ઓપરેશન દરમ્યાન બાળકના શરીર પર કોઈપણ કટ કેકાપ મુકવામાં આવ્યો ન હતો.

તો બીજી તરફસફળતાપૂર્વક પાર પડાયેલા ઓપરેશન બાદ બાળકના પરિવારે તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisment
Latest Stories