દક્ષિણ ગુજરાતમાં વીજળી ડૂલ, ઉકાઈ TPSના ચાર યુનિટ ટ્રીપ થતાં 500 મેગાવોટ વીજ ઉત્પાદન ઘટ્યું

સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં ઉકાઈ TPSના ચાર યુનિટ ટ્રીપ થતાં 500 મેગાવોટ વીજ ઉત્પાદન ઘટયું હોવાનું સામે આવ્યું છે.

author-image
By Connect Gujarat Desk
New Update
power cut

સુરતનવસારી સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં ઉકાઈ TPSના ચાર યુનિટ ટ્રીપ થતાં 500 મેગાવોટ વીજ ઉત્પાદન ઘટયું હોવાનું સામે આવ્યું છે.

સુરતવાપીવલસાડભરૂચરાજપીપળા સહિતના વિસ્તારોમાં આવેલા કારખાના અને ફેક્ટરીઓમાં કામ અટકી પડ્યા છે. સમગ્ર ઘટનાને લઈને લોકો ટોરેન્ટ પાવરની ઓફીસે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. જો કેવીજ પુરવઠો શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છેત્યારે આ મામલે DGVCLએ ખાતરી આપી હતી કેસાંજે છ વાગ્યા સુધીમાં વીજળી આવી જશે.

એક તરફ ગુજરાતભરમાં હીટવેવની સ્થિતિ છેત્યારે સુરતતાપીદક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા વીજળી ડૂલ થઈ છે. સુરત તાપીભરૂચરાજપીપળા સહિતના વિસ્તારોમાં વીજ ફોલ્ટના કારણે લાઈટ ડૂલ થતાં લોકોએ ટોરેન્ટ પાવર ખાતે હોબાળો કર્યો હતો.

જ્યારે ગેટકો અને એલએમયુ તરફથી મળેલા અહેવાલો મુજબઉકાઈ TPSના ચાર યુનિટ ટ્રીપ થતાં 500 મેગાવોટ વીજ ઉત્પાદન ઘટયું હોવાનું સામે આવ્યું છે.400 કેવી આસોજ લાઇન ટ્રીપ થવાને કારણે ગ્રીડમાં મોટી ખલેલ પહોંચી હતી.સમગ્ર મામલે સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર (SLDC) તેને ઉકેલવા માટે પગલાં લઈ રહ્યું છે.

ગ્રીડ ફેલ થતાં વીજળી ગઈ હોવાનું DGVCL દ્વારા જણાવામાં આવ્યું હતું.સુરતવાપીવલસાડઅંકલેશ્વરરાજપીપળા સહિતના વિસ્તારોમાં આવેલા કારખાના અને ફેક્ટરીઓમાં કામ અટકી પડ્યા છે.આ મામલે DGVCLએ ખાતરી આપી હતી કેસાંજે છ વાગ્યા સુધીમાં વીજળી આવી જશે.

ઉલ્લેખનીય છે કે સર્જાયેલી વીજ મુશ્કેલીમાં ટ્રેન વ્યવહારને કોઈ જ અસર પડશે નહીં,કારણે ટ્રેનની વીજ લાઈન તદ્દન અલગ હોવાનું જાણકાર સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

Read the Next Article

ભરૂચ: ઝાડેશ્વરની સંસ્કાર વિદ્યાભવન શાળામાં વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્ને વાલીઓનો હોબાળો, શાળા સંચાલકોને કરાય રજુઆત

વિદ્યાર્થીઓને મુકવા આવતા સ્કૂલવાહનોને શાળાએથી અડધો કિલોમીટર દૂર પાર્ક કરાવવામાં આવે છે જેના પગલે વિદ્યાર્થીઓએ ચોપડા ભરેલ બેગ ઊંચકી ચાલતા સ્કૂલ સુધી પહોંચવું પડે છે.

New Update
  • ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી છે શાળા

  • સંસ્કાર વિદ્યાભવન શાળાનો વધુ એક વિવાદ

  • સ્કૂલ વાહનોને અડધો કી.મી.દૂર ઉભા રખાય છે

  • સ્કૂલમાંથી જ નાસ્તા માટે દબાણ કરાતું હોવાના આક્ષેપ

  • શાળા સંચાલકોએ પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યાભવનમાં વાલીઓએ વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્ને વિરોધ નોંધાવી શાળા સંચાલકોને રજૂઆત કરી હતી ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યાભવન શાળા હંમેશા વિવાદોમાં સપડાતી રહે છે. તાજેતરમાં જ જિલ્લાશિક્ષણાધિકારીએ શાળાને લોગો વાળી બુકના વેચાણ મામલે નોટીસ પાઠવ્યા બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે.
આજરોજ વાલીઓએ શાળા પર હોબાળો મચાવ્યો હતો અને આચાર્યને રજુઆત કરી હતી.વાલીઓના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓને મુકવા આવતા સ્કૂલવાહનોને શાળાએથી અડધો કિલોમીટર દૂર પાર્ક કરાવવામાં આવે છે જેના પગલે વિદ્યાર્થીઓએ ચોપડા ભરેલ બેગ ઊંચકી ચાલતા સ્કૂલ સુધી પહોંચવું પડે છે.
આ ઉપરાંત કાળઝાળ ગરમી વચ્ચે શાળામાં વારંવાર વીજળી ડુલ થઈ જાય છે આમ છતાં જનરેટર સહિતની સુવિધા ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ ગરમીમાં શેકાવાનો વારો આવે છે. તો બીજી તરફ શાળામાંથી અપાતા ભોજનની ગુણવત્તા ન હોવા છતાં સંચાલકો દ્વારા શાળામાં ફરજિયાત ભોજનનો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે જેની સામે વાલીઓએ રોષ વ્યક્ત કરી તેઓના પ્રશ્નોના નિરાકરણની માંગ કરી હતી
અંગે શાળાના આચાર્ય શૈલજા સિંગે જણાવ્યું હતું કે કેટલાક વાલીઓ દ્વારા તેમના પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી છે.આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.