જામનગર : રિલાયન્સમાં વનતારા કેન્દ્રનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું વિધિવત ઉદઘાટન, પીએમએ બાળ સિંહને આપ્યો ખોરાક

રિલાયન્સમાં વનતારા કેન્દ્રનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું.અંદાજે 2000થી પણ વધુ વન્ય પ્રાણી પક્ષીઓનું ઘર સમાન વનતારામાં દેશ-વિદેશના અનેક અલભ્ય પક્ષીઓ અને પ્રાણીઓનું રહેઠાણ છે.

New Update
  • રિલાયન્સમાં વનતારાનું કરાયું છે નિર્માણ

  • પીએમ મોદીએ વનતારાનું કર્યું ઉદ્ઘાટન

  • 2000 થી પણ વધુ વન્ય પ્રાણી પક્ષીઓનું છે ઘર 

  • પીએમ મોદીએ બાળ પ્રાણીઓને આપ્યો ખોરાક

  • વિશ્વની શ્રેષ્ઠ પ્રાણીઓની હોસ્પિટલની પણ લીધી મુલાકાત

જામનગર નજીક આવેલા રિલાયન્સમાં વનતારા કેન્દ્રનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું.અંદાજે 2000થી પણ વધુ વન્ય પ્રાણી પક્ષીઓનું ઘર સમાન વનતારામાં દેશ-વિદેશના અનેક અલભ્ય પક્ષીઓ અને પ્રાણીઓનું રહેઠાણ છે.

જામનગર નજીક આવેલા રિલાયન્સમાં વનતારા કેન્દ્રનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધિવત રીતે ઉદ્ઘાટન કર્યું હતું.આ પ્રસંગે રિલાયન્સના મુકેશ અંબાણીનીતા અંબાણી તેમજ વનતારાના સ્વપ્ન દ્રષ્ટા અનંત અંબાણી અને તેમના ધર્મપત્ની રાધિકા અંબાણી તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા.વનતારાની સમગ્ર મુલાકાત દરમિયાન પીએમ મોદીએ અનેક વન્ય પ્રાણીઓ સાથે તેઓનો સમય વિતાવ્યો હતો.

જેમાં તેઓએ હાથીસિંહવાઘચિત્તાફ્લેમિંગો સહિત અનેક પશુ પક્ષીઓ સાથે સમય વિતાવ્યો હતો અને બાળ પ્રાણીઓને તેમને ખોરાક પણ તેમના હાથે આપ્યો હતોસમગ્ર મુલાકાત દરમિયાન અનંત અંબાણી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અલભ્ય પ્રાણી પક્ષીઓ અંગે સવિશેષ માહિતી પૂરી પાડવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વનતારાની મુલાકાત દરમિયાન વિશ્વની શ્રેષ્ઠ પ્રાણીઓની હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી,અને ત્યાં તેઓએ પ્રાણીઓની કરવામાં આવતી વિશિષ્ટ સારવારની પણ જાત માહિતી મેળવી હતીસમગ્ર વનતારાની મુલાકાત બાદ વડાપ્રધાન વનતારામાં થતી પ્રાણીઓ અને પક્ષીઓની સારવાર અને તેમની દેખરેખ થી ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા.

Read the Next Article

અમરેલી : અમેરિકન ચીજવસ્તુઓની હોળી કરી ટ્રમ્પના ટેરિફ સામે વિરોધ, દિલીપ સંઘાણી સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત

અમરેલીના રાજકમલ ચોક ખાતે સહકારી આગેવાન અને ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં શહેરીજનોએ એકત્ર થઈ અમેરિકન વસ્તુઓની હોળી કરી ટ્રમ્પના ટેરિફ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

New Update
  • ટ્રમ્પના ટેરિફ સામે દેશભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન

  • રાજકમલ ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું

  • શહેરીજનોએ અમેરિકન ચીજવસ્તુઓની હોળી કરી

  • દિલીપ સંઘાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિ

  • અમેરિકન વસ્તુનો બહિષ્કાર કરવા લોકોને આહ્વાન

અમરેલી શહેરના રાજકમલ ચોક ખાતે સહકારી આગેવાન અને ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં શહેરીજનોએ એકત્ર થઈ અમેરિકન વસ્તુઓની હોળી કરી ટ્રમ્પના ટેરિફ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

અમેરિકન પ્રેસિડેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર આકરા ટેરિફ લગાવવામાં આવ્યા છે. જેમાં 25 ટકા ટેરિફ લાગુ કરાયા બાદ વધુ 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. જેની સામે હવે ગુજરાત અને ભારતમાંથી વિરોધનો સૂર ઉઠવાનું શરૂ થયું છે. અમરેલીમાં સહકારી આગેવાન અને ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીપૂર્વ સાંસદ નારણ કાછડીયાડો. ભરત કાનાબારની આગેવાનીમાં શહેરીજનોએ ટ્ર્મ્પના આકરા ટેરિફનો વિરોધ કરવા અમેરિકન વસ્તુઓની હોળી કરી હતી. અમેરિકાએ ભારત પર આકરો ટેરિફ નાખતા ભારતના અનેક ઉદ્યોગોને ફટકો પડવાની ભીતિ છેત્યારે દિલીપ સંઘાણીએ અમેરિકન વસ્તુઓનો બહિષ્કાર કરવા લોકોને આહવાન કર્યું છે.