જામનગર : રિલાયન્સમાં વનતારા કેન્દ્રનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું વિધિવત ઉદઘાટન, પીએમએ બાળ સિંહને આપ્યો ખોરાક

રિલાયન્સમાં વનતારા કેન્દ્રનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું.અંદાજે 2000થી પણ વધુ વન્ય પ્રાણી પક્ષીઓનું ઘર સમાન વનતારામાં દેશ-વિદેશના અનેક અલભ્ય પક્ષીઓ અને પ્રાણીઓનું રહેઠાણ છે.

New Update
  • રિલાયન્સમાં વનતારાનું કરાયું છે નિર્માણ

  • પીએમ મોદીએ વનતારાનું કર્યું ઉદ્ઘાટન

  • 2000 થી પણ વધુ વન્ય પ્રાણી પક્ષીઓનું છે ઘર 

  • પીએમ મોદીએ બાળ પ્રાણીઓને આપ્યો ખોરાક

  • વિશ્વની શ્રેષ્ઠ પ્રાણીઓની હોસ્પિટલની પણ લીધી મુલાકાત 

Advertisment

જામનગર નજીક આવેલા રિલાયન્સમાં વનતારા કેન્દ્રનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું.અંદાજે 2000થી પણ વધુ વન્ય પ્રાણી પક્ષીઓનું ઘર સમાન વનતારામાં દેશ-વિદેશના અનેક અલભ્ય પક્ષીઓ અને પ્રાણીઓનું રહેઠાણ છે.

જામનગર નજીક આવેલા રિલાયન્સમાં વનતારા કેન્દ્રનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધિવત રીતે ઉદ્ઘાટન કર્યું હતું.આ પ્રસંગે રિલાયન્સના મુકેશ અંબાણીનીતા અંબાણી તેમજ વનતારાના સ્વપ્ન દ્રષ્ટા અનંત અંબાણી અને તેમના ધર્મપત્ની રાધિકા અંબાણી તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા.વનતારાની સમગ્ર મુલાકાત દરમિયાન પીએમ મોદીએ અનેક વન્ય પ્રાણીઓ સાથે તેઓનો સમય વિતાવ્યો હતો.

જેમાં તેઓએ હાથીસિંહવાઘચિત્તાફ્લેમિંગો સહિત અનેક પશુ પક્ષીઓ સાથે સમય વિતાવ્યો હતો અને બાળ પ્રાણીઓને તેમને ખોરાક પણ તેમના હાથે આપ્યો હતોસમગ્ર મુલાકાત દરમિયાન અનંત અંબાણી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અલભ્ય પ્રાણી પક્ષીઓ અંગે સવિશેષ માહિતી પૂરી પાડવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વનતારાની મુલાકાત દરમિયાન વિશ્વની શ્રેષ્ઠ પ્રાણીઓની હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી,અને ત્યાં તેઓએ પ્રાણીઓની કરવામાં આવતી વિશિષ્ટ સારવારની પણ જાત માહિતી મેળવી હતીસમગ્ર વનતારાની મુલાકાત બાદ વડાપ્રધાન વનતારામાં થતી પ્રાણીઓ અને પક્ષીઓની સારવાર અને તેમની દેખરેખ થી ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા.

Advertisment
Read the Next Article

“અંધારી તેરસ” : કચ્છ-વાગડ પ્રાંથળીયા આહિર સમાજમાં લગ્નની અનોખી પરંપરા, વેરાવળના આજેઠા ગામે રજવાડી ઠાઠ સાથેના વિવાહ

અંધારી તેરસના દિવસે કચ્છના પ્રંથળિયા આહિર સમાજમાં પરંપરાગત રીતે લગ્ન યોજવાની અનોખી પરંપરા છે. જે મુજબ આ વર્ષે વાગડના 1160 જેટલા નવયુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા

New Update
  • વાગડમાં પ્રાંથળીયા આહીર સમાજમાં અનોખી પરંપરા

  • મહાભારત યુગથી ચાલી આવતી અંધારી તેરસની પરંપરા

  • એક જ દિવસે મોટાપાયે લગ્નો યોજવાની વર્ષો જૂની પરંપરા

  • કચ્છ-વાગડના 1160 નવયુગલો લગ્નના બંધનમાં જોડાયા

  • વેરાવળના આજેઠા ગામમાં પણ રજવાડી ઠાઠ સાથેના વિવાહ 

Advertisment

અંધારી તેરસના દિવસે કચ્છના પ્રંથળિયા આહિર સમાજમાં પરંપરાગત રીતે લગ્ન યોજવાની અનોખી પરંપરા છે. જે મુજબ આ વર્ષે વાગડના 1160 જેટલા નવયુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા. તો બીજી તરફગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આજેઠા ગામમાં આહીર સોલંકી પરિવારના વિવાહપ્રસંગે અનોખું ફુલેકું યોજાયું હતું. જેમાં હાથીની અંબાળી પર બેસી વરરાજાનો રજવાડી ઠાઠ લોકો જોતાં રહી ગયા હતા.

આજરોજ વૈશાખ વદ તેરસ એટલે અંધારી તેરસ. આ દિવસ કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારમાં વસવાટ કરી પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા તમામ સમાજના લોકો સાથે ભાઈચારો ધરાવતા આહિર સમાજ માટે મહત્વનો દિવસ છે. પ્રાંથળીયા આહિર સમાજમાં અંધારી તેરસના દિવસે લગ્ન યોજવાની અનોખી પરંપરા છેઅને આ પરંપરાને જાળવી રાખી આ વર્ષે પણ વાગડ વિસ્તારમાં પ્રાંથળિયા આહિર સમાજના 1160 નવયુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા.

રીતિ મુજબ વર્ષમાં ફક્ત એક જ દિવસ-અંધારી તેરસે જ લગ્નના મુહૂર્ત માન્ય રહે છે. આ વર્ષે તા. ૨૫ મે ૨૦૨૫ ના રવિવારના રોજ આહીર સમાજના ગામોમાં 1160 યુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા. આ દિવસે સમગ્ર કચ્છ વાગડના આહીર સમાજમાં ખુશીની લહેર જોવા મળે છે. દરેક ગામમાં ભાતીગળ પહેરવેશમાં લોકો આ પ્રસંગને ઉજવે છે. ઢોલ-નગારા વાગે છેહરખભેર સમૂહ ભોજન યોજાય છેઅને અન્નનો બગાડ ન થાય તે બાબત પણ ખાસ ધ્યાનમાં લેવાય છે. આ પ્રસંગે કચ્છ આહીર સમાજના પ્રમુખ તથા દરેક ગામના આગેવાનોએ લગ્નબંધનમાં જોડાયેલ તમામ નવયુગલોને શુભકામનાઓ પાઠવી હતી.

તો બીજી તરફગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાનું આજેઠા ગામ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જેમાં આહીર સોલંકી પરિવારમાં રજવાડી ઠાઠ સાથેનો વિવાહ પ્રસંગ યોજાયો હતો. આજેઠા ગામમાં પ્રથમવાર હાથીની અંબાળી પર બેસી વરરાજાનું ફૂલેકુ યોજાયું હતું. આહીર યુવા અગ્રણી નથુભાઈ સોલંકીને ત્યાં વિવાહ પ્રસંગમાં વરરાજા મયુર સોલંકીના ફુલેકામાં આકર્ષક અશ્વો પર પરિવારના મોભી પણ જોડાયા હતા.

લગ્નગીતની રમઝટ સાથે ફૂલેકુ ફરતા આજેઠા તેમજ આજુબાજુના ગામના લોકો પણ ફૂલેકુ જોવા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોની સાથે મોટી સંખ્યામાં મહેમાનોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. લોકોએ ગજરાજ અને અશ્વો સાથેના રજવાડી ઠાઠમાઠવાળા ફુલેકાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.

Advertisment