જામનગર : રિલાયન્સમાં વનતારા કેન્દ્રનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું વિધિવત ઉદઘાટન, પીએમએ બાળ સિંહને આપ્યો ખોરાક

રિલાયન્સમાં વનતારા કેન્દ્રનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું.અંદાજે 2000થી પણ વધુ વન્ય પ્રાણી પક્ષીઓનું ઘર સમાન વનતારામાં દેશ-વિદેશના અનેક અલભ્ય પક્ષીઓ અને પ્રાણીઓનું રહેઠાણ છે.

New Update
  • રિલાયન્સમાં વનતારાનું કરાયું છે નિર્માણ

  • પીએમ મોદીએ વનતારાનું કર્યું ઉદ્ઘાટન

  • 2000 થી પણ વધુ વન્ય પ્રાણી પક્ષીઓનું છે ઘર 

  • પીએમ મોદીએ બાળ પ્રાણીઓને આપ્યો ખોરાક

  • વિશ્વની શ્રેષ્ઠ પ્રાણીઓની હોસ્પિટલની પણ લીધી મુલાકાત 

જામનગર નજીક આવેલા રિલાયન્સમાં વનતારા કેન્દ્રનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું.અંદાજે 2000થી પણ વધુ વન્ય પ્રાણી પક્ષીઓનું ઘર સમાન વનતારામાં દેશ-વિદેશના અનેક અલભ્ય પક્ષીઓ અને પ્રાણીઓનું રહેઠાણ છે.

જામનગર નજીક આવેલા રિલાયન્સમાં વનતારા કેન્દ્રનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધિવત રીતે ઉદ્ઘાટન કર્યું હતું.આ પ્રસંગે રિલાયન્સના મુકેશ અંબાણીનીતા અંબાણી તેમજ વનતારાના સ્વપ્ન દ્રષ્ટા અનંત અંબાણી અને તેમના ધર્મપત્ની રાધિકા અંબાણી તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા.વનતારાની સમગ્ર મુલાકાત દરમિયાન પીએમ મોદીએ અનેક વન્ય પ્રાણીઓ સાથે તેઓનો સમય વિતાવ્યો હતો.

જેમાં તેઓએ હાથીસિંહવાઘચિત્તાફ્લેમિંગો સહિત અનેક પશુ પક્ષીઓ સાથે સમય વિતાવ્યો હતો અને બાળ પ્રાણીઓને તેમને ખોરાક પણ તેમના હાથે આપ્યો હતોસમગ્ર મુલાકાત દરમિયાન અનંત અંબાણી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અલભ્ય પ્રાણી પક્ષીઓ અંગે સવિશેષ માહિતી પૂરી પાડવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વનતારાની મુલાકાત દરમિયાન વિશ્વની શ્રેષ્ઠ પ્રાણીઓની હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી,અને ત્યાં તેઓએ પ્રાણીઓની કરવામાં આવતી વિશિષ્ટ સારવારની પણ જાત માહિતી મેળવી હતીસમગ્ર વનતારાની મુલાકાત બાદ વડાપ્રધાન વનતારામાં થતી પ્રાણીઓ અને પક્ષીઓની સારવાર અને તેમની દેખરેખ થી ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા.

Read the Next Article

ભરૂચ: ગ્રામપંચાયતોની ચૂંટણીનો ધમધમાટ, ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુની અધ્યક્ષતામાં કલેકટર કચેરીમાં બેઠક યોજાય

ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી

New Update
ચૂંટણી કામગીરી
ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/ મધ્યમસત્ર પેટા ચૂંટણી કામે ચૂંટણીલક્ષી જુદી જુદી કામગીરી માટે નિમણૂંક થયેલા જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી હતી. ચૂંટણી સંદર્ભે ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક પરિસ્થિતિનો પૂરતો તાગ મેળવીને કાર્ય આયોજન હાથ ધરવાની પણ જિલ્લા ચૂંટણી અધિકારીએ સૂચના આપી હતી.
આ બેઠક દરમિયાન અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર  એન.આર.ધાધલે બેઠકનું સંચાલન કરતાં અગત્યના મુદાઓ જેવા કે, કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ બંદોબસ્ત, મેન પાવર, તાલીમ, વાહન વ્યવસ્થા, RO અને ARO ની નિયુક્તિ, મતપત્રકો અને પ્રતિકોની ફાળવણી, મતપત્રો છપામણી કામગીરી તેમજ છાપકામ બાદ રદ/ ખરાબ થયેલા મતપત્રો નાશ કરવા અંગેની કામગીરી, પોલીંગ સ્ટાફ, મતગણતરી સ્ટાફને તાલીમ,મતદાન મથકો પર પ્રાથમિક સુવિધા, સ્ટ્રોંગરૂમ તથા કાઉન્ટીંગ હોલ, ચૂંટણીખર્ચના હિસાબોની ચકાસણી, વાહન ફાળવણી, ચૂંટણીના સ્ટાફને ટપાલ મતપત્રો આપવા અને આદર્શ આચાર સંહિતાના જેવા મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી.