અમરેલી: પ્રાકૃતિક ખેતી થકી શાકભાજીનો મબલખ પાક ઉતારતા પ્રગતિશીલ ખેડૂત

આંબા ગામના પ્રગતિશીલ ખેડૂત ગાય આધારિત ખેતી કરે છે.તેથી તેઓને આ ખેતીમાં ખૂબ જ સફળતા મળી રહી છે.તેઓ 3 ગીર ગાય રાખે છે અને ગાયનું દૂધ છાણ ગૌમુત્ર અને છાશનો ઉપયોગ ખેતીમાં કરે છે.

New Update
amba village farmer Natural Farming
  • આંબા ગામના ખેડૂતની પ્રાકૃતિક ખેતી

  • ગાય આધારિત ખેતી કરીને મેળવે છે મબલખ પાક

  • દૂધ,છાણ,ગૌમુત્ર અને છાશનો ઉપયોગ કરે છે ખેતીમાં  

  • શાકભાજીના પાકમાં મેળવી સફળતા

  • પાકના મળી રહ્યા છે ઉંચા ભાવ

Advertisment

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના આંબા ગામના ખેડૂત જયસુખ 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે,અને હાલ રીંગણભીંડાગુવારટામેટાનો જાહેર માર્કેટ કરતાં 8 ગણો વધુ ભાવ મેળવી રહ્યા છે.આ પ્રગતિશીલ ખેડૂત અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.

અમરેલી જિલ્લાનું લીલીયા પંથકના આંબા ગામના પ્રગતિશીલ ખેડૂત જયસુખ માંડણી પોતે ગાયના ગૌમૂત્રમાંથી જીવામૃતબીજામૃતઘનજીવામૃત 10 પરણીઅર્ક બ્રહ્માસ્ત્રનિમાસ્ત્ર અને અગ્નિહોસ્ત્ર દ્વારા ગાય આધારિત ખેતી કરે છે.તેથી તેઓને આ ખેતીમાં ખૂબ જ સફળતા મળી રહી છે.તેઓ 3 ગીર ગાય રાખે છે અને ગાયનું દૂધ છાણ ગૌમુત્ર અને છાશનો ઉપયોગ ખેતીમાં કરે છે.

શરૂઆતના સમય દરમિયાન પ્રાકૃતિક ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ લાગતી હતી,પરંતુ પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ ખૂબ જ સરળ ખેતી છે અને ઉત્પાદન પણ સારું મળી રહે છે.હાલમાં તેઓએ શાકભાજીનું વાવેતર કર્યું છે.શાકભાજીમાં ભીંડામરચાટામેટાકોબીજ અને રીંગણાનું વાવેતર કરવામાં આવ્યું છે અને હાલ ઉત્પાદન ચાલુ છે.

તમામ શાકભાજી અમરેલીલીલીયામાં મોકલવામાં આવે છે અને સારા ભાવ મળી રહે છે.80 રૂપિયા રીંગણાભીંડાનો ભાવ મળી રહે છે અને ચાલુ વર્ષે અંદાજિત 5 થી 6 લાખ રૂપિયાનું ઉત્પાદન પ્રાકૃતિક ખેતી માંથી મળ્યું હોવાનું તેઓ જણાવી રહ્યા છે. ત્યારે પ્રાકૃતિક ખેતીના શાકભાજી લેવા માટે લોકો અમરેલીથી આંબા સુધી આવે છે.

અમરેલીના આંબા ગામમાં  જયસુખ માંડણીના ખેતરમાં ઉત્પાદન થતા શાકભાજીની ખરીદી કરવા અમરેલીથી લોકો આવે છે.અંદાજિત અમરેલી અને આંબા વચ્ચે 12 કિલોમીટરનું અંતર છે પરંતુ સજીવ ખેતી હોવાથી ખરીદી કરવા લોકો આવે છે.અને 8 ગણો ભાવ આપીને પણ ખરીદી કરે છે. આરોગ્યની દ્રષ્ટિએ શાકભાજી વધુ ગુણકારી અને ફાયદાકારક હોવાનું અમરેલીના શિક્ષક યોગેશ પરમારે જણાવ્યું હતું.

Read the Next Article

કચ્છમાં ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરાઈ

વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે...

New Update
  • ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ

  • 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ

  • ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી હેરિટેજ સાઇટ જાહેર

  • દરિયા કિનારે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળ્યા

  • પ્રવાસી અને સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન પણ બન્યું

Advertisment

કચ્છ જિલ્લાના લખપત વિસ્તારમાં આવેલઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી’ સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરવામાં આવી છે. વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે.

કચ્છ જિલ્લાના લખતર તાલુકામાં આવેલા ગુનેરી ગામનો 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ છે. કચ્છની સૂકી ધરતી પર જ્યાં રણની રેતી પથરાયેલી હોયત્યાં લીલાછમ મેન્ગ્રોવના વૃક્ષોનું આ જંગલ ખરેખર એક અજાયબી છે. આ અનોખી વિશેષતા અને પર્યાવરણીય મહત્વને કારણે આ સાઇટને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ગુજરાતની પ્રથમ'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટતરીકે જાહેર કરવામાં આવી છે.

આ વિસ્તારમાં'એવિસેનીયા મરીનાનામની મેન્ગ્રોવ પ્રજાતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ મેન્ગ્રોવ માત્ર વૃક્ષો નથીપરંતુ 20 પ્રવાસી અને 25 સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન છે. જેમાં ફ્લેમિંગોહેરિયર જેવા દુર્લભ જળ પક્ષીઓનો સમાવેશ થાય છે. મેન્ગ્રુવ કાર્બન ડાયોક્સાઇડ શોષીને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે અને ચક્રવાત-સુનામી જેવી આફતો વખતે કુદરતી દીવાલનું કામ કરે છે.