અમરેલી: પ્રાકૃતિક ખેતી થકી શાકભાજીનો મબલખ પાક ઉતારતા પ્રગતિશીલ ખેડૂત

આંબા ગામના પ્રગતિશીલ ખેડૂત ગાય આધારિત ખેતી કરે છે.તેથી તેઓને આ ખેતીમાં ખૂબ જ સફળતા મળી રહી છે.તેઓ 3 ગીર ગાય રાખે છે અને ગાયનું દૂધ છાણ ગૌમુત્ર અને છાશનો ઉપયોગ ખેતીમાં કરે છે.

New Update
amba village farmer Natural Farming
  • આંબા ગામના ખેડૂતની પ્રાકૃતિક ખેતી

  • ગાય આધારિત ખેતી કરીને મેળવે છે મબલખ પાક

  • દૂધ,છાણ,ગૌમુત્ર અને છાશનો ઉપયોગ કરે છે ખેતીમાં  

  • શાકભાજીના પાકમાં મેળવી સફળતા

  • પાકના મળી રહ્યા છે ઉંચા ભાવ

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના આંબા ગામના ખેડૂત જયસુખ 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે,અને હાલ રીંગણભીંડાગુવારટામેટાનો જાહેર માર્કેટ કરતાં 8 ગણો વધુ ભાવ મેળવી રહ્યા છે.આ પ્રગતિશીલ ખેડૂત અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.

અમરેલી જિલ્લાનું લીલીયા પંથકના આંબા ગામના પ્રગતિશીલ ખેડૂત જયસુખ માંડણી પોતે ગાયના ગૌમૂત્રમાંથી જીવામૃતબીજામૃતઘનજીવામૃત 10 પરણીઅર્ક બ્રહ્માસ્ત્રનિમાસ્ત્ર અને અગ્નિહોસ્ત્ર દ્વારા ગાય આધારિત ખેતી કરે છે.તેથી તેઓને આ ખેતીમાં ખૂબ જ સફળતા મળી રહી છે.તેઓ 3 ગીર ગાય રાખે છે અને ગાયનું દૂધ છાણ ગૌમુત્ર અને છાશનો ઉપયોગ ખેતીમાં કરે છે.

શરૂઆતના સમય દરમિયાન પ્રાકૃતિક ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ લાગતી હતી,પરંતુ પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ ખૂબ જ સરળ ખેતી છે અને ઉત્પાદન પણ સારું મળી રહે છે.હાલમાં તેઓએ શાકભાજીનું વાવેતર કર્યું છે.શાકભાજીમાં ભીંડામરચાટામેટાકોબીજ અને રીંગણાનું વાવેતર કરવામાં આવ્યું છે અને હાલ ઉત્પાદન ચાલુ છે.

તમામ શાકભાજી અમરેલીલીલીયામાં મોકલવામાં આવે છે અને સારા ભાવ મળી રહે છે.80 રૂપિયા રીંગણાભીંડાનો ભાવ મળી રહે છે અને ચાલુ વર્ષે અંદાજિત 5 થી 6 લાખ રૂપિયાનું ઉત્પાદન પ્રાકૃતિક ખેતી માંથી મળ્યું હોવાનું તેઓ જણાવી રહ્યા છે. ત્યારે પ્રાકૃતિક ખેતીના શાકભાજી લેવા માટે લોકો અમરેલીથી આંબા સુધી આવે છે.

અમરેલીના આંબા ગામમાં  જયસુખ માંડણીના ખેતરમાં ઉત્પાદન થતા શાકભાજીની ખરીદી કરવા અમરેલીથી લોકો આવે છે.અંદાજિત અમરેલી અને આંબા વચ્ચે 12 કિલોમીટરનું અંતર છે પરંતુ સજીવ ખેતી હોવાથી ખરીદી કરવા લોકો આવે છે.અને 8 ગણો ભાવ આપીને પણ ખરીદી કરે છે. આરોગ્યની દ્રષ્ટિએ શાકભાજી વધુ ગુણકારી અને ફાયદાકારક હોવાનું અમરેલીના શિક્ષક યોગેશ પરમારે જણાવ્યું હતું.

Read the Next Article

મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં ધમાકેદાર કરી એન્ટ્રી, હવામાન વિભાગે 22થી 25 ભારે વરસાદની કરી આગાહી

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી સાથે મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગુજરાત પર સર્જાયેલી વરસાદની સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે.

New Update
rain varsad

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી સાથે મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગુજરાત પર સર્જાયેલી વરસાદની સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગે 22થી 25 ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં 25 જુને જો વધુ સિસ્ટમન એક્ટિવ થશે તો ફરી  25 બાદ પણ ગુજરાતમાં વરસાદ અવિરત રહેશે. હાલ ઓફ શૉર ટ્રફ રેખાના કારણે ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્ય છે. ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે.  

હવામાન વિભાગે આગામી સાત દિવસ એટલે 30 જૂન સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને  22થી 25 દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને જોતા કચ્છ, બનાસકાંઠામાં યલો એલર્ટ આપ્યું છે . પાટણ અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપ્યું છે. તાપી, નવસારીમાં આજે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. વલસાડ, ડાંગમાં વરસાદની શક્યતાને જોતા  યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

Latest Stories