સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો, ડેમના 4 ગેટ બંધ કરાયા

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સામાન્ય ઘટાડો થયો છે ત્યારે નર્મદા ડેમની જળ સપાટી 135.35 મીટર નોંધાઈ છે

New Update

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સામાન્ય ઘટાડો થયો છે ત્યારે નર્મદા ડેમની જળ સપાટી 135.35 મીટર નોંધાઈ છે

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સામાન્ય ઘટાડો થયો છે.નર્મદા ડેમની જળ સપાટી 135.35 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી 1,47,370 ક્યુસેક પાણીની આવક છે તો આ તરફ આવકમાં ઘટાડો થતાં નર્મદા ડેમના ચાર દરવાજા બંધ કરવામાં આવ્યા છે. જ્યારે પાંચ દરવાજા ખુલ્લા છે. નર્મદા ડેમમાંથી  1,16, 677 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.જેમાં રિવર બેડ પાવર હાઉસ મારફતે  43,437 ક્યુસેક અને કેનાલ હેડ પાવર હાઉસ મારફતે 23,240 પાણી નર્મદા કેનાલમાં જાય છે.આ તરફ નર્મદા ડેમ ૯૦ ટકાથી વધુ ભરાયો છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 12.79 ફૂટે પહોંચી છે. નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે

Read the Next Article

આદિપુરથી અંજાર તરફ જતાં રોડ પર કિશોરી પર દુસ્કર્મ કરવાના બનાવમાં બે આરોપીઓની કરાઇ ધરપકડ

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા. 

New Update
aadipur

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા.  ત્યારે રસ્તામાં બે અજાણ્યા ઇસમોએ તેને આંતરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાની ધમકી આપી હતી.

બાદ, તેમાંથી એક આરોપી પોલીસ સ્ટેશનમાં લઈ જવાના બહાને કિશોરીને મોપેડમાં બેસાડી અપહરણ કરી, રસ્તામાં કોઇ ટેકરા જેવી જગ્યાએ લઈ ગયો હતો.જ્યાં દુસ્કર્મ આચરવામાં આવ્યુ હતુ ઘટના બાદ પીડિતાએ પરિવારજનોને જાણ કરતાં પરિવારે હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કરતાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવમાં મહેશ ઉર્ફે ડાભલો  મોતીભાઈ કોલી, સંદીપભાઈ ઘનશ્યામગર ગુસાઈ ની ધરપકડ કરવામાં આવી છે.