સાબરકાંઠા : ભવાનગઢ ગામે યોજાયું “અનોખું બેસણું”, ગૌદાન અને 5 હજાર પરિવારને અયોધ્યા દર્શનનો સંકલ્પ કરાયો...

ઇડર તાલુકાના ભવાનગઢ ગામે એક અનોખું બેસણું યોજાયું હતું. પરિવારમાં પિતાનું અવસાન થતાં અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

New Update
સાબરકાંઠા : ભવાનગઢ ગામે યોજાયું “અનોખું બેસણું”, ગૌદાન અને 5 હજાર પરિવારને અયોધ્યા દર્શનનો સંકલ્પ કરાયો...

સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો ઘર પરિવાર અને ગામમાં દુઃખનો માહોલ હોય છે. પરંતુ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ભવાનગઢ ગામે એક અનોખું બેસણું યોજાયું હતું. પરિવારમાં પિતાનું અવસાન થતાં અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ભવાનગઢ ગામે મંડપમાં પ્રવેશતા ફોટોગ્રાફ્સ જોઈને તમને લાગશે કે, આ કોઈ લગ્ન પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. પણ ના, અહીં ભવાનગઢના રાજવી પ્રવિણસિંહ કુંપાવતનું બેસણું યોજાય રહ્યુ છે. ગત તા. 18 ડિસેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે તેમનું અવસાન થયું, ત્યારે તેમના પરિવારે તેઓ હંમેશા આનંદમાં જીવન વ્યતિત કર્યું હોવાથી તેમનું બેસણું પણ એવી જ રીતે ગોઠવવાનું નક્કી કર્યું અને તેમને ફોટોગ્રાફીનો શોખ હોવાના કારણે તેમના પાડેલા ફોટોનું કલેક્શન બેસણામાં રજૂ કરવામાં આવ્યું હતું. જાણે કે કોઈ લગ્ન પ્રસંગ યોજાય રહ્યો હોય તેવા દ્રશ્યો બેસણામાં જોવા મળ્યા હતા. અત્યાર સુધીમાં ન જોવાયેલ બેસણું આજે ઈતિહાસનું સાક્ષી બન્યું છે.

જોકે, અનોખા બેસણામાં બીજો પણ એક આવકાર્ય નિર્ણય લેવાયો હતો. જેમાં આગામી તા. 22 જાન્યુઆરી બાદ 5 હજાર પરીવારને અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરના દર્શને લઈ જવા અને 100 ગાયોનું જરૂરીયાતમંદોને દાન કરવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો છે, ત્યારે બેસણામાં હાજર તમામ સમાજના અગ્રણીઓએ આ નિર્ણયને આવકાર્યો હતો. અનોખી રીતે યોજાયેલ બેસણામાં રાજપુત સમાજ સહિત અને રાજકીય નેતાઓ પણ શ્રદ્ધાંજલી આપવા ઉપસ્થિત હતા. સામાન્ય રીતે વર્ષોથી ચાલી આવતી પરંપરા બદલીને આ પરિવારે એક નવો ચીલો ચીતર્યો છે, ત્યારે ગૌદાન કરવા અને 5 હજાર પરિવારને અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામ મંદિરના દર્શન કરાવવાની પરિવારની પહેલને સમાજે આવકારી છે.

Read the Next Article

પંચમહાલ : પાનમ ડેમમાં પાણીની આવક થતા 1275 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા કિનારાના ગામોને કરાયા એલર્ટ

પંચમહાલ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ પાનમ ડેમમાં પાણીની આવક વધતા ડેમ વિભાગ દ્વારા 1275 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.જેના કારણે પાનમ નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

New Update
  • પંચમહાલમાં વરસાદી માહોલ જામ્યો 

  • પાનમ ડેમમાં પાણીની આવકમાં વધારો

  • ડેમનો એક ગેટ સંપૂર્ણ ખોલવામાં આવ્યો

  • પાનમ નદીમાં 1275 ક્યુસેક પાણી છોડાયું

  • નદી કિનારના દસ ઉપરાંત ગામો એલર્ટ

પંચમહાલ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ પાનમ ડેમમાં પાણીની આવક વધતા ડેમ વિભાગ દ્વારા 1275 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.જેના કારણે પાનમ નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

પંચમહાલ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થઇ છે.તેમજ ઉપરવાસમાંથી પણ પાનમ ડેમમાંથી પાણી છોડાયું છે. પાનમ વિભાગ દ્વારા આ પાણી છોડવામાં આવ્યું છે. પાનમ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમમાંથી પાણી છોડાયું છે. પાનમ ડેમનો એક ગેટ આખો ખોલી 1275 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે.અને રૂલ લેવલ જાળવી રાખવા માટે પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.ત્યારે હાલમાં પાનમ ડેમમાં 3850 ક્યુસેક પાણી છે. ડેમમાંથી પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.જ્યારે બીજ તરફ પાનમ નદીના જળસ્તરમાં વધારો થતા નદી કિનારે વસેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Latest Stories