સાબરકાંઠા : પ્રાંતિજના પલ્લાચરથી પોગલુ વચ્ચે માર્ગ પર ત્રિપલ અકસ્માતની ઘટનામાં એક યુવકનું મોત

રાત્રિના સમયે પલ્લાચરથી પોગલુ વચ્ચે આવેલા હનુમાનજી મંદિર પાસે રોડ પર 3 બાઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અમીનપુરના બાઈકચાલકનું ઘટનાસ્થળે ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું

New Update
અકસ્માત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પલ્લાચરથી પોગલુ વચ્ચે માર્ગ પર ત્રિપલ અકસ્માતની ઘટનામાં બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. સ્મગર મામલે પ્રાંતિજ પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પલ્લાચરથી પોગલુ વચ્ચે રોડ પર ગત રાત્રિના સમયે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં અમીનપુરના બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતા ઘટનાસ્થળે પહોંચ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કેશ્રાવણ માસના પ્રથમ દિવસે સોમવારે રાત્રિના સમયે પલ્લાચરથી પોગલુ વચ્ચે આવેલા હનુમાનજી મંદિર પાસે રોડ પર 3 બાઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અમીનપુરના બાઈકચાલકનું ઘટનાસ્થળે ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું.

અકસ્માતની ઘટનાને લઈને આજબાજુના લોકો દોડી આવીને બચાવ કાર્ય કરવા સાથે 108 અને પોલીસને જાણ કરવામાં આવી હતીત્યારે 108 ઘટનાસ્થળે આવી પહોંચી હતીઅને 4 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રાંતિજ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

પ્રાંતિજ પોલીસને જાણ થયા બાદ તાત્કાલિક સરકારી દવાખાને પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે તપાસ કરનાર પ્રાંતિજ પોલીસે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે3 બાઈકો વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અમીનપુર ગામના સુમીત રાવત નામના યુવકનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતુંજ્યારે અન્ય 4 જેટલા ઈજાગ્રસ્તો હતા.

Read the Next Article

અમરેલી : સાવરકુંડલામાં અનરાધાર વરસાદથી ખેતીની જમીનનું થયું ધોવાણ,22 ફૂટના ખાડા પડતા ખેતી માટે મુશ્કેલ

અમરેલી જિલ્લામાં 16 જૂને પડેલા અનરાધાર વરસાદથી સાવરકુંડલા પંથકમાં પારાવાર ખેતીની જમીન ધોવાઈ ગઈ ખેડૂતોની જમીનોની સ્થિતિ જોઈને પ્રતાપ દુધાત વ્યથિત થઈ ઉઠ્યા

New Update
  • સાવરકુંડલામાં અનરાધાર વરસાદથી તારાજી

  • ભારે વરસાદને પગલે ખેતીમાં પહોંચ્યું નુકશાન

  • વરસાદી પાણીમાં ખેતીની જમીનનું થયું ધોવાણ

  • ખેતરમાં પાણીની જમાવટથી પડ્યા ઉંડા ખાડા

  • રોડના ધોવાણ સાથે પુર સંરક્ષણ દીવાલ ધરાશાયી

અમરેલી જિલ્લામાં સાવરકુંડલામાં વરસેલા અનરાધાર વરસાદને પગલે ખેતીમાં ભારે નુકસાન પહોંચ્યું છે,કારણે ખેતીની જમીનનું જ ધોવાણ થઇ ગયું છે,વધુમાં વરસાદી પાણી ખેતરમાં જમાવટ કરતા અંદાજીત  22 ફુટના ખાડા પણ જમીનમાં પડવાના કારણે ખેડૂતના માથે મુશ્કેલીનું આભ ફાટ્યું છે.

 અમરેલી જિલ્લામાં 16 જૂને પડેલા અનરાધાર વરસાદથી સાવરકુંડલા પંથકમાં પારાવાર ખેતીની જમીન ધોવાઈ ગઈ હતી,અને ઘોબા,પીપરડીહીપાવડલીમેંકડા ગામોમાં ખેતીની જમીનો પર પાણી ફરી વળતા આશરે 7 થી 8 હજાર વીઘા ખેતીની જમીનોના ધોવાણ થયા હતા.ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નેતા પ્રતાપ દુધાત ખેડૂતોની વ્હારે પહોંચ્યા હતા.અને  ખેડૂતોની જમીનોની સ્થિતિ જોઈને પ્રતાપ દુધાત વ્યથિત થઈ ઉઠ્યા હતા.

સાવરકુંડલાના શેત્રુજી નદી અને મેરામણ નદી અને ફૂલકું નદી કાંઠાના ઘોબાપીપરડીફીફાદમેંકડા ગામોની જમીનો સાવ નષ્ટ થઈ ગઈ છે.ખેડૂતોએ મગફળી કપાસના વાવેતર કર્યા તે વાવેતર તો ઠીક પણ ખેતીની જમીન જ આખી ધોવાઈ ગઈ છે.અને ખેતરોમાં વરસાદી પાણીએ જમાવટ કરતા જમીનોમાં 22 ફૂટના ખાડાઓ પડ્યા છે. જેના કારણે ખેડૂતો માટે આ પરિસ્થિતિ આફત રૂપ બની ગઈ છે.

સાવરકુંડલા તાલુકાના ફીફાદ ગામના ખેડૂતે 50 વીઘા જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું. DAP ખાતરબિયારણ નાખ્યા બાદ વરસાદ અને પૂર પ્રકોપથી જમીન જ નષ્ટ થઈ જતા વાવેતર થઈ શકે તેવી સ્થિતિ જ રહી નથી. જ્યારે માત્ર ફીફાદ ગામની 3 હજાર વીઘા જમીનનું ધોવાણ થયું છે.જ્યારે ધોબા પીપરડી અને મેંકડા સાથે 7 થી 8 હજાર વીઘામાં  જમીન ધોવાઈ જતા ખેડૂતો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.ત્યારે ગ્રામીણ માર્ગોના રસ્તાઓ તો ધોવાઈ જ ગયા છે,સાથે રોડ કાંઠે પૂર સંરક્ષણ દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ છે. આ ઉપરાંત એક બ્રિજ પણ ધરાશાયી થઈ ગયો હોય ત્યારે આ નુકસાનની પરિસ્થિતિમાં કોંગી નેતા પ્રતાપ દુધાતે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈને ખેડૂતોને આશ્વાસન આપીને  ખેતીની જમીનોની સ્થિતિ અંગે સરકાર સામે હૈયાવરાળ ઠાલવી હતી.

Latest Stories