સાબરકાંઠા : પ્રાંતિજના પલ્લાચરથી પોગલુ વચ્ચે માર્ગ પર ત્રિપલ અકસ્માતની ઘટનામાં એક યુવકનું મોત

રાત્રિના સમયે પલ્લાચરથી પોગલુ વચ્ચે આવેલા હનુમાનજી મંદિર પાસે રોડ પર 3 બાઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અમીનપુરના બાઈકચાલકનું ઘટનાસ્થળે ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું

New Update
અકસ્માત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પલ્લાચરથી પોગલુ વચ્ચે માર્ગ પર ત્રિપલ અકસ્માતની ઘટનામાં બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. સ્મગર મામલે પ્રાંતિજ પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પલ્લાચરથી પોગલુ વચ્ચે રોડ પર ગત રાત્રિના સમયે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં અમીનપુરના બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતા ઘટનાસ્થળે પહોંચ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કેશ્રાવણ માસના પ્રથમ દિવસે સોમવારે રાત્રિના સમયે પલ્લાચરથી પોગલુ વચ્ચે આવેલા હનુમાનજી મંદિર પાસે રોડ પર 3 બાઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અમીનપુરના બાઈકચાલકનું ઘટનાસ્થળે ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું.

અકસ્માતની ઘટનાને લઈને આજબાજુના લોકો દોડી આવીને બચાવ કાર્ય કરવા સાથે 108 અને પોલીસને જાણ કરવામાં આવી હતીત્યારે 108 ઘટનાસ્થળે આવી પહોંચી હતીઅને 4 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રાંતિજ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

પ્રાંતિજ પોલીસને જાણ થયા બાદ તાત્કાલિક સરકારી દવાખાને પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે તપાસ કરનાર પ્રાંતિજ પોલીસે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે3 બાઈકો વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અમીનપુર ગામના સુમીત રાવત નામના યુવકનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતુંજ્યારે અન્ય 4 જેટલા ઈજાગ્રસ્તો હતા.

Latest Stories