Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : રસુલપુર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત...

રસુલપુર પાસે બાઇક અને કાર વચ્ચે થયેલ ગમખ્વાર અકસ્માતમાં ગાંધીનગર જિલ્લાના સાદરા ગામના બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

સાબરકાંઠા : રસુલપુર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત...
X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રસુલપુર પાસે બાઇક અને કાર વચ્ચે થયેલ ગમખ્વાર અકસ્માતમાં ગાંધીનગર જિલ્લાના સાદરા ગામના બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, પ્રાંતિજ તાલુકાના રસુલપુર પાસે જાણે છેલ્લા એક અઠવાડિયાથી યમરાજાએ ધામા નાખ્યા હોય તેમ ઉપરા ઉપરી એક બાદ એક એક જ જગ્યા પર નાના-મોટા અકસ્માત થઈ રહ્યા છે. જેમાં કાર નંબર GJ-09-BF-0045 તથા બાઇક નંબર Gj-18-AS-7331 વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકને જીવલેણ ઇજાઓ પહોચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. તો અકસ્માતને લઈ આજુબાજુમાંથી સહિત રોડની આજુબાજુમાં રહેતા તથા રોડ ઉપરથી અવરજવર કરતાં વાહન ચાલકો સહિત લોકોના ટોળા દોડી આવ્યા હતા. જેને લઈને હિંમતનગર તરફ જતા નેશનલ હાઇવે-48 રોડ ઉપર ટ્રાફિક જામ થયો હતો. તો 108ને અકસ્માતના સમાચાર મળતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. બનાવના પગલે પ્રાંતિજ પોલીસે તપાસ હાથ ધરતા મૃતક યુવાન ગાંધીનગરના સાદરા ગામનો કિરણ દંતાણી હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાંતિજ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story