સાબરકાંઠા : પ્રાંતિજમાં વરસાદી માવઠું વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ...
હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પંથકમાં ગત મોડી રાત્રે વરસાદી માવઠું વરસતા ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે.
BY Connect Gujarat28 Dec 2021 5:05 AM GMT
X
Connect Gujarat28 Dec 2021 5:05 AM GMT
હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પંથકમાં ગત મોડી રાત્રે વરસાદી માવઠું વરસતા ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે.
રાજ્યભરમાં ફરી એકવાર ખેડૂતોના માથે માવઠાનું સંકટ ઘેરાયું છે. વેસ્ટર્ન ડિસ્ટબૅન્સના કારણે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં કમોસમી માવઠું થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પંથકમાં ગત રાત્રીના સમયે આચનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પ્રાંતિજ પંથકમાં મોડી રાત્રે કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે, ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોના પાક જેવા કે, જીરું, એરંડા, રાયડો અને શાકભાજી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાય છે.
Next Story