Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : હિંમતનગર નજીક નવા ઓવરબ્રિજમાં પડ્યું ભ્રષ્ટાચારનું મોટું ગાબડું, લોકો માટે કાયમી જોખમ : સ્થાનિક

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક બનાવવામાં આવેલ નેશનલ હાઈવેનો સિક્સ લાઈન ઓવરબ્રિજની સાઈડની પ્રોટેક્શન વોલમાં ગાબડા પડ્યા છે.

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક અમદાવાદ-ઉદયપુર હાઈવે પર નવા ઓવરબ્રિજમાં ગાબડું પડતાં પ્રથમ વરસાદે જ જાણે તંત્રની પોલ ખોલી હોય તેવું ફલિત થઈ રહ્યું છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક બનાવવામાં આવેલ નેશનલ હાઈવેનો સિક્સ લાઈન ઓવરબ્રિજની સાઈડની પ્રોટેક્શન વોલમાં ગાબડા પડ્યા છે. સાબર ડેરી નજીક બનાવવામાં આવેલ ઓવરબ્રિજ પરથી થોડાક સમય અગાઉ જ વાહન વ્યવહાર શરૂ થયો છે. જોકે, પુલનું કેટલુક કામ હજી બાકી છે. જેમાં પુલ પર લાઈટો લગાડવાથી લઈને કેટલાક અંતિમ તબક્કાના કામ બાકી છે, ત્યારે ચિલોડાથી વાયા હિંમતનગર થઈને શામળાજી જતા નેશનલ હાઈવે પર સિક્સ લાઈન કરવામાં આવી રહ્યો છે. પરંતુ પુલના કામમાં અત્યંત હલકી ગુણવત્તાના હોવાની રજૂઆતો સ્થાનિક આગેવાનોએ કરી હતી. આમ છતાં પણ આવી જ કામગીરી રહી છે, ત્યારે ચોમાસાની શરૂઆતમાં હજુ માંડ એકાદ બે ઈંચ વરસાદ નોંધાયો છે, ત્યાં જ આ ઓવરબ્રિજમાં ગાબડું પડવાના કારણે ભ્રષ્ટાચારની પોલ છતી થઈ હોવાનું લાગી રહ્યુ છે. તો વળી ભારે વાહન વ્યવહાર ધરાવતા ઓવરબ્રિજમાં ગાબડુ પડવા છતાં કોઈ અધિકારી સ્થળ પર ફરક્યા નથી કે, ઓવરબ્રિજના કામને લઈ કોઈ જ ટકોર કરવામાં આવી નથી. હજુ હિંમતનગર શહેર નજીક નેશનલ હાઈવેના બે મોટા ઓવરબ્રિજ બની રહ્યા છે, ત્યારે અહીં પણ આવી જ કચાશ રહી જશે તો લોકો પર કાયમી જોખમ તોળાઈ રહેવાનો ભય સર્જાયો છે.

Next Story