સાબરકાંઠા:ઉત્તર ગુજરાતમાં રોકાણકારોને તગડું વ્યાજની લાલચ આપતી BZ ગૃપ પર CIDના દરોડાથી ચકચાર

BZ દ્વારા પોંઝી સ્કીમના નામે ધંધો શરૂ કરાયો હતો. શરૂઆતમાં તેમણે હિંમતનગર, રણાસણ,ગાંભોઇ, રાયગઢ સહિતના ઉત્તર ગુજરાતમાં એજન્ટો રોકીને રોકાણકારોને આકર્ષવા માટે પોંઝી સ્કીમની સમજ આપવામાં આવતી હતી

New Update
  • ઉત્તર ગુજરાતના BZ ગૃપ પર CIDના દરોડા 

  • રોકાણકારોને તગડા વ્યાજની આપવામાં આવતી લાલચ 

  • CIDની જુદી જુદી ટીમે BZની તમામ ઓફિસો પર પાડ્યા દરોડા

  • BZ ગૃપ પોંઝી સ્કીમ હેઠળ લોકો પાસે રોકાણ કરાવતા હતા 

  • CIDના દરોડા બાદ સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા   

સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં BZ ગૃપ છેલ્લા કેટલાક સમયથી રોકાણકારોને આકર્ષતી તગડુ વ્યાજ આપતા હતા.આ ગૃપની ખાનગી ઓફિસો પર CID ક્રાઇમની ટીમે એક સાથે સંચાલકો તથા તેમના એજન્ટોની ઓફિસો પર દરોડો પાડતા ચકચાર મચી જવા પામી હતી.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના એક ગામમાં રહેતા BZ દ્વારા પોંઝી સ્કીમના નામે ધંધો શરૂ કરાયો હતો. શરૂઆતમાં તેમણે હિંમતનગરરણાસણ,ગાંભોઇરાયગઢ સહિતના ઉત્તર ગુજરાતમાં એજન્ટો રોકીને રોકાણકારોને આકર્ષવા માટે પોંઝી સ્કીમની સમજ આપવામાં આવતી હતી.રોકાણકર્તાને દર મહિને તગડુ વ્યાજ આપવામાં આવતું હતું. જેના લીધે BZ નો ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો સુધી પથરાઈ ગયો હતો.

મંગળવારે હિંમતનગર સહિત અરવલ્લી અને ઉત્તર ગુજરાતમાં આવેલી BZની શાખાઓમાં CID ક્રાઇમે એક સાથે દરોડો પાડીને દસ્તાવેજી પુરાવા કબ્જે લઇ લીધા છે.કેટલાક એજન્ટોની તપાસ દરમિયાન અંદાજે રૂપિયા 20 લાખથી વધુ રકમ અને મોટા પ્રમાણમાં દસ્તાવેજો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છેજોકે CID ની રેડ બાદ BZ ગૃપના સંચાલકો ભૂગર્ભમાં ઉતારી ગયા હતા.

Read the Next Article

ગુજરાતમાં કોરોના વાયરસના 235 કેસ નોંધાયા, કુલ એક્ટિવ કેસનો આંકડો 1109 પર પહોંચ્યો

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 235 કેસ નોંધાયા છે.  

New Update
રાજ્યમાં આજે કોરોનાના 1120 નવા કેસ નોધાયા, 1389 દર્દીઑ થયા સાજા

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 235 કેસ નોંધાયા છે.  ગુજરાતમાં સોમવારે કોરોના વાયરસના 235 નવા કેસ નોંધાયા છે.  આ સાથે જ રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 1109 પર પહોંચી ગયો છે.  

એક્ટિવ કેસની સંખ્યા 1109 પર પહોંચી 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરના  235 નવા કેસ નોંધાયા છે.  રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1109 પર પહોંચી ગઈ છે. જેમાં  33 હોસ્પિટલમાં દાખલ છે.  જ્યારે 1076 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 106 દર્દી સાજા થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.  

કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય

છેલ્લા 48 કલાકમાં દેશમાં કોરોનાના 769 નવા કેસ (Covid 19 Cases Updates) નોંધાયા છે. આ સાથે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા છ હજારને વટાવી ગઈ છે. આ સંદર્ભમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે આંકડા જાહેર કર્યા હતા. મંત્રાલય અનુસાર, કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. ત્યારબાદ ગુજરાત, બંગાળ અને દિલ્હીનો ક્રમ આવે છે.

કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને તૈયારીઓનો હિસ્સો લેવા માટે કેન્દ્ર 'મોક ડ્રીલ' કરી રહ્યું છે. તમામ રાજ્યોને ઓક્સિજન, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.