સાબરકાંઠા : ફુલાવર, કોબીજ, ટામેટા સહિત અન્ય શાકભાજીનાં ઉત્પાદન સામે પોષણક્ષમ ભાવનાં અભાવથી ખેડૂતોમાં ચિંતા

શાકભાજીનાં ઉત્પાદન સામે પોષણક્ષમ ભાવના અભાવને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.ફુલાવર,કોબીજ,ટામેટા સહિતની શાકભાજીના ભાવ ગગડતા ધરતીપુત્રોની માઠી અસર બેઠી

New Update
  • શાકભાજીનાં ગગડતા ભાવે ખેડૂતોની ચિંતા વધારી

  • ઉત્પાદન સામે ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની

  • ફુલાવર,કોબીજના 20 કિલોએ 3 રૂપિયા સુધી મળી રહયા છે ભાવ

  • ટામેટાના ભાવ પણ તળિયે જતા ખેડૂતોને પડતા પર પાટુ

  • શાકભાજીમાં પોષણક્ષમ ભાવ માટે ખેડૂતોએ સરકાર પાસે કરી માંગ 

સાબરકાંઠા જિલ્લામાં શાકભાજીનાં ઉત્પાદન સામે પોષણક્ષમ ભાવના અભાવને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.ફુલાવર,કોબીજ,ટામેટા સહિતની શાકભાજીના ભાવ ગગડતા ધરતીપુત્રોની માઠી અસર બેઠી છે.

સાબરકાંઠા જીલ્લામાં સૌથી વધુ શાકભાજીના પાકનુ વાવેતર થાય છે,અને ફુલાવર,કોબીજટામેટા સહિત અન્ય શાકભાજીનુ વધુ વાવેતર કરવામાં આવે છે. ત્યારે હાલમાં શાકભાજીના પાકમાં મંદી જોવા મળતા ખેડુતોને શાકભાજી લાવવા લઈ જવાનો ખર્ચ પણ નીકળી શકતો નથી. અને  હોલસેલ માર્કેટમાં ફુલાવરકોબીજના ભાવ તળીયે એટલે કે કિલો દીઠ 50 પૈસાથી 3 રૂપિયા મળતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે.

ટામેટા,ફુલાવર અને કોબીજનાં ભાવ અચાનક તળીયે બેસી ગયા છે.તો ઉત્પાદન વધી જતા ભાવની પરિસ્થિતિ સર્જાઈ છે.આમ તો શાકભાજી જીવન જરૂરિયાતની વસ્તુ છે અને જેના કારણે ખેડુતો શાકભાજીનુ વાવેતર કરી રહ્યા છે,પરંતુ શાકભાજીની વાત કરીએ તો હાલ 50 પૈસાથી લઈને 3 રૂપિયા ફુલાવરકોબીજ અને ટામેટાના મળી રહ્યા છે.

ખેડૂતોને ફુલાવર પાછળ એક વીઘા દીઠ 30 થી 35 હજાર ખર્ચ થાય છે. જ્યારે ટામેટામાં તો માંડવો તૈયાર કરવોદવા બિયારણ સહિત મજૂરી ખર્ચ થાય છે.હાલ ભાવમાં અચાનક જ મંદી આવી જતા હોલસેલ માર્કેટ યાર્ડમાં પણ શાકભાજીનો ભરાવો થઈ ગયો છે. ખેડુતોની માંગ ઉઠી છે કે સરકાર ભાવ મામલે યોગ્ય પગલાં ભરે તો ખેડૂતોને આર્થિક નુકસાનીથી રક્ષણ મળી શકે.

Read the Next Article

ભરૂચ: જાહેરમાં કચેરો ફેંકનાર લોકોને નગર સેવા સદને ભણાવ્યો પાઠ, જાતે કચરો ઉપાડાવી વિડીયો જાહેર કરાયા

સેનેટરી ઇન્સ્પેક્ટરો દ્વારા શહેરના મુખ્ય માર્ગો તથા વ્યસ્ત વિસ્તારોમાં વોચ ગોઠવાઈ હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી

New Update
garbage
ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવાના પ્રયાસો હવે વધુ ગંભીર બનાવાયા છે. નગરપાલિકાએ જાહેરમાં ગંદકી ફેલાવનારાઓ સામે લાલ આંખ કરી છે. શનિવારે સેનેટરી ઇન્સ્પેક્ટરો દ્વારા શહેરના મુખ્ય માર્ગો તથા વ્યસ્ત વિસ્તારોમાં વોચ ગોઠવાઈ હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાના કર્મચારીઓએ જાહેરમાં ફેંકનાર પાસે જાતે કચરો ઉપાડાવી વીડિયો પણ જાહેર કર્યા છે.પાલિકા અનુસાર જો હજુ બેજવાબર નાગરિકો આદત નહિ છોડે તો તેમની સામે દંડાત્મક પગલાં લેવામાં આવશે.