સાબરકાંઠા : ફુલાવર, કોબીજ, ટામેટા સહિત અન્ય શાકભાજીનાં ઉત્પાદન સામે પોષણક્ષમ ભાવનાં અભાવથી ખેડૂતોમાં ચિંતા

શાકભાજીનાં ઉત્પાદન સામે પોષણક્ષમ ભાવના અભાવને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.ફુલાવર,કોબીજ,ટામેટા સહિતની શાકભાજીના ભાવ ગગડતા ધરતીપુત્રોની માઠી અસર બેઠી

New Update
  • શાકભાજીનાં ગગડતા ભાવે ખેડૂતોની ચિંતા વધારી

  • ઉત્પાદન સામે ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની

  • ફુલાવર,કોબીજના 20 કિલોએ 3 રૂપિયા સુધી મળી રહયા છે ભાવ

  • ટામેટાના ભાવ પણ તળિયે જતા ખેડૂતોને પડતા પર પાટુ

  • શાકભાજીમાં પોષણક્ષમ ભાવ માટે ખેડૂતોએ સરકાર પાસે કરી માંગ 

સાબરકાંઠા જિલ્લામાં શાકભાજીનાં ઉત્પાદન સામે પોષણક્ષમ ભાવના અભાવને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.ફુલાવર,કોબીજ,ટામેટા સહિતની શાકભાજીના ભાવ ગગડતા ધરતીપુત્રોની માઠી અસર બેઠી છે.

સાબરકાંઠા જીલ્લામાં સૌથી વધુ શાકભાજીના પાકનુ વાવેતર થાય છે,અને ફુલાવર,કોબીજટામેટા સહિત અન્ય શાકભાજીનુ વધુ વાવેતર કરવામાં આવે છે. ત્યારે હાલમાં શાકભાજીના પાકમાં મંદી જોવા મળતા ખેડુતોને શાકભાજી લાવવા લઈ જવાનો ખર્ચ પણ નીકળી શકતો નથી. અને  હોલસેલ માર્કેટમાં ફુલાવરકોબીજના ભાવ તળીયે એટલે કે કિલો દીઠ 50 પૈસાથી 3 રૂપિયા મળતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે.

ટામેટા,ફુલાવર અને કોબીજનાં ભાવ અચાનક તળીયે બેસી ગયા છે.તો ઉત્પાદન વધી જતા ભાવની પરિસ્થિતિ સર્જાઈ છે.આમ તો શાકભાજી જીવન જરૂરિયાતની વસ્તુ છે અને જેના કારણે ખેડુતો શાકભાજીનુ વાવેતર કરી રહ્યા છે,પરંતુ શાકભાજીની વાત કરીએ તો હાલ 50 પૈસાથી લઈને 3 રૂપિયા ફુલાવરકોબીજ અને ટામેટાના મળી રહ્યા છે.

ખેડૂતોને ફુલાવર પાછળ એક વીઘા દીઠ 30 થી 35 હજાર ખર્ચ થાય છે. જ્યારે ટામેટામાં તો માંડવો તૈયાર કરવોદવા બિયારણ સહિત મજૂરી ખર્ચ થાય છે.હાલ ભાવમાં અચાનક જ મંદી આવી જતા હોલસેલ માર્કેટ યાર્ડમાં પણ શાકભાજીનો ભરાવો થઈ ગયો છે. ખેડુતોની માંગ ઉઠી છે કે સરકાર ભાવ મામલે યોગ્ય પગલાં ભરે તો ખેડૂતોને આર્થિક નુકસાનીથી રક્ષણ મળી શકે.

Read the Next Article

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરાયો

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા. ભગવાન સોમનાથ મહાદેવને

New Update
vlcsnap-2025-08-11-19h51m22s297

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા.

ભગવાન સોમનાથ મહાદેવને આજે ખાસ શ્રાવણી સોમવારને દિવસે વિશેષ ચંદન શૃંગાર કરવામાં આવેલો હતો. 

ચંદન શિતળતા પ્રદાન કરનનારૂ માનવામાં આવે છે, જેથી મહાદેવ વિશ્વ શાંતિ અને કલ્યાણના ભાવ સાથે આ ખાસ શૃંગાર પૂજારી વૃંદ દ્વારા તૈયાર કરવામાં આવેલ. સાથે જ વિવિધ પૂષ્પો ગુલાબ ગલગોટા મોગરા સહિતના ફુલો અને ફુલહારોનો ઉપયોગ કરવામાં આવેલ હતો. આજરોજ 45 ધ્વજાપૂજન તેમજ 62 સોમેશ્વર મહાપૂજન, 715 રૂદ્રાભિષેક પૂજા-પાઠ કરવામાં આવ્યો હતો.  જેનો લાભ લઇ ભક્તો ધન્ય બન્યા હતા.