સાબરકાંઠા : ફુલાવર, કોબીજ, ટામેટા સહિત અન્ય શાકભાજીનાં ઉત્પાદન સામે પોષણક્ષમ ભાવનાં અભાવથી ખેડૂતોમાં ચિંતા

શાકભાજીનાં ઉત્પાદન સામે પોષણક્ષમ ભાવના અભાવને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.ફુલાવર,કોબીજ,ટામેટા સહિતની શાકભાજીના ભાવ ગગડતા ધરતીપુત્રોની માઠી અસર બેઠી

New Update
  • શાકભાજીનાં ગગડતા ભાવે ખેડૂતોની ચિંતા વધારી

  • ઉત્પાદન સામે ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની

  • ફુલાવર,કોબીજના 20 કિલોએ 3 રૂપિયા સુધી મળી રહયા છે ભાવ

  • ટામેટાના ભાવ પણ તળિયે જતા ખેડૂતોને પડતા પર પાટુ

  • શાકભાજીમાં પોષણક્ષમ ભાવ માટે ખેડૂતોએ સરકાર પાસે કરી માંગ  

Advertisment W3.CSS

સાબરકાંઠા જિલ્લામાં શાકભાજીનાં ઉત્પાદન સામે પોષણક્ષમ ભાવના અભાવને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.ફુલાવર,કોબીજ,ટામેટા સહિતની શાકભાજીના ભાવ ગગડતા ધરતીપુત્રોની માઠી અસર બેઠી છે.

સાબરકાંઠા જીલ્લામાં સૌથી વધુ શાકભાજીના પાકનુ વાવેતર થાય છે,અને ફુલાવર,કોબીજટામેટા સહિત અન્ય શાકભાજીનુ વધુ વાવેતર કરવામાં આવે છે. ત્યારે હાલમાં શાકભાજીના પાકમાં મંદી જોવા મળતા ખેડુતોને શાકભાજી લાવવા લઈ જવાનો ખર્ચ પણ નીકળી શકતો નથી. અને  હોલસેલ માર્કેટમાં ફુલાવરકોબીજના ભાવ તળીયે એટલે કે કિલો દીઠ 50 પૈસાથી 3 રૂપિયા મળતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે.

ટામેટા,ફુલાવર અને કોબીજનાં ભાવ અચાનક તળીયે બેસી ગયા છે.તો ઉત્પાદન વધી જતા ભાવની પરિસ્થિતિ સર્જાઈ છે.આમ તો શાકભાજી જીવન જરૂરિયાતની વસ્તુ છે અને જેના કારણે ખેડુતો શાકભાજીનુ વાવેતર કરી રહ્યા છે,પરંતુ શાકભાજીની વાત કરીએ તો હાલ 50 પૈસાથી લઈને 3 રૂપિયા ફુલાવરકોબીજ અને ટામેટાના મળી રહ્યા છે.

ખેડૂતોને ફુલાવર પાછળ એક વીઘા દીઠ 30 થી 35 હજાર ખર્ચ થાય છે. જ્યારે ટામેટામાં તો માંડવો તૈયાર કરવોદવા બિયારણ સહિત મજૂરી ખર્ચ થાય છે.હાલ ભાવમાં અચાનક જ મંદી આવી જતા હોલસેલ માર્કેટ યાર્ડમાં પણ શાકભાજીનો ભરાવો થઈ ગયો છે. ખેડુતોની માંગ ઉઠી છે કે સરકાર ભાવ મામલે યોગ્ય પગલાં ભરે તો ખેડૂતોને આર્થિક નુકસાનીથી રક્ષણ મળી શકે.

Read the Next Article

નવસારી : વાંસદામાં પેટના દુખાવાની વિધિ કરાવવા ગયેલા યુવકે ભગતની પથ્થર મારીને હત્યા કરી નાખતા ચકચાર

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાઘબારી ગામમાં એક યુવકને પેટમાં દુખાવાની તકલીફ હતી,જે રોગના ઉપચાર માટે તેને ગામના એક ભગતનો સંપર્ક કર્યો હતો.

New Update
  • વાઘબારીમાં ચોંકાવનારી બની ઘટના

  • પેટના દુખાવાની વિધિ દરમિયાન ભગતની હત્યા

  • યુવકને પેટનો દુખાવો ઉપડતા ભગત કરતા હતા વિધિ

  • યુવકે ભગતને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દીધો

  • પોલીસે હત્યારા યુવકની કરી ધરપકડ 

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાઘબારી ગામમાં એક યુવકને પેટમાં દુખાવાની તકલીફ હતી,જે રોગના ઉપચાર માટે તેને ગામના એક ભગતનો સંપર્ક કર્યો હતો.જોકે વિધિ દરમિયાન યુવકે ભગતને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

નવસારી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભગત પાસે પેટનો દુખાવો મટાડવા ગયેલા યુવકે ભગતની જ હત્યા કરી નાખી હતી આ ઘટના વાંસદા વિસ્તારમાં બની હતી.વાંસદા તાલુકાના વાઘાબારી ગામમાં પેટના દુખાવાની વિધિ દરમિયાન થયેલી હત્યાની ઘટના સામે આવી છે. ધીરુ વિઠ્ઠલભાઈ પટેલને પેટમાં દુખાવો રહેતો હતો. તેમણે ગામમાં રહેતા ભગત ઝીણાભાઈ પટેલ પાસે ઉપચાર માટે વિધિ કરાવવાનું નક્કી કર્યું હતું.

ગીતામણી નદી પાસે રાત્રે વિધિની શરૂઆત કરવામાં આવી હતી. વિધિ દરમિયાન ભગતે ધીરુની પીઠ પર જોરથી ધબ્બો માર્યો હતો. આ બાબતે ધીરુએ વાંધો ઉઠાવ્યો હતો.અને ભગતે જણાવ્યું કે આ વિધિનો ભાગ છે.

આ મુદ્દે બંને વચ્ચે તકરાર થઈજે મારામારીમાં પરિણમી હતી. ઉશ્કેરાયેલા ધીરુએ ભગત ઝીણાભાઈના માથામાં પથ્થર મારીને તેમની હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતાં વાંસદા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.અને પોલીસે ગણતરીના કલાકમાં આરોપી ધીરુને ઝડપી લીધો હતો.અને વધુ તપાસ શરૂ કરી હતી.