સાબરકાંઠા: બિપરજોય વાવાઝોડાની અસર,ઠેર ઠેર વરસાદ વરસ્યો

જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે બિપરજોય વાવઝોડું ત્રાટક્યા બાદ સાબરકાંઠા જિલ્લામાં રાત્રે છુટા છવાયા વરસાદના ઝાપટા પડ્યા હતા.

New Update
સાબરકાંઠા: બિપરજોય વાવાઝોડાની અસર,ઠેર ઠેર વરસાદ વરસ્યો

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે બિપરજોય વાવઝોડું ત્રાટક્યા બાદ સાબરકાંઠા જિલ્લામાં રાત્રે છુટા છવાયા વરસાદના ઝાપટા પડ્યા હતા.

વાવઝોડું ટકરાયા બાદ રાતથી સાબરકાંઠા જિલ્લામાં છુટા છવાયા વરસાદી ઝાપટા શરુ થયા હતા અને છેલ્લા 24 કલાકમાં આઠમાંથી સાત તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 07 મીમીથી 23 મીમી સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં ઇડરમાં પોણો એક ઇંચ, વિજયનગરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.રાત્રિ દરમિયાન પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા.બીજી તરફ શુક્રવારે ભારે પવન સાથે ભારે વરસાદની શક્યતાને લઈને આજે સ્કુલોમાં રજા જાહેર કરવામાં આવી છે. તો શિક્ષકોએ ફરજીયાત સ્કુલમાં હાજર રહેવા જણાવ્યું હતું.

Read the Next Article

અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન-લોકાર્પણ કરાયુ

અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
MixCollage-12-Jul-2025-
અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 34 વર્ષ પૂર્ણ થતાં 35માં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે શાળામાં અભ્યાસ કરતા બાળકોનું શારીરિક સ્વાસ્થ્ય અને સ્માર્ટ બોર્ડ તેમજ વૈજ્ઞાનિક રીતે આગળ વધે તે માટે આજરોજ કે.પટેલ કેમો ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આઉટ ડોર જીમનાસ્ટિકનું આમંત્રિત મહેમાનોના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.જ્યારે સુભશ્રી પીગમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી બનાવેલ સ્માર્ટ ક્લાસીસ તેમજ એસ્ટ્રોનોમી ગેલેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જીતેન્દ્ર એમ.પટેલ,શ્રી કે શ્રીવત્સન,શીતલ નરેશ પટેલ અને પારુલ ચેતન વઘાસિયા તેમજ સંસ્કારદીપ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.