સાબરકાંઠા : રાજ્ય બહારથી તરબુચની આવકમાં વધારો થતા ભાવમાં થયો ઘટાડો,ખેડૂતોએ આર્થિક નુકસાનની ચિંતા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ખેડૂતોએ તરબૂચના પાકનું  મબલખ ઉત્પાદન કર્યું  છે, જોકે રાજ્ય બહારથી પણ આવતા તરબૂચના પુરવઠાને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો સમય આવ્યો છે.

New Update
  • હિંમતનગર માં તરબૂચનું મબલખ ઉત્પાદન

  • રાજ્ય બહારથી પણ તરબુચની થઇ આવક

  • બજાર ભાવમાં ઘટાડાથી ખેડૂતોમાં ચિંતા

  • રોગચાળાથી તરબૂચના પાક પર અસર

  • પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને નુકસાન

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ખેડૂતોએ તરબૂચના પાકનું  મબલખ ઉત્પાદન કર્યું  છેજોકે રાજ્ય બહારથી પણ આવતા તરબૂચના પુરવઠાને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો સમય આવ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં તરબૂચના ઉત્પાદન સમયે જ બજારમાં ભાવ તળિયે બેસતા ખેડૂતોની ચિંતા વધી છે.એક તરફ રોગચાળાએ તરબૂચના પાકને અસર કરી છે. જંતુનાશક દવાઓ પણ અસરકારક સાબિત થઈ નથી. પરિણામે ઉત્પાદન પર ફટકો પડવાની દહેશત છે. હાલ બજારમાં તરબૂચનો જથ્થાબંધ ભાવ એક કિલો રૂપિયા 10 થી 12 છે. ગત વર્ષે આ ભાવ રૂપિયા 20 થી 25 હતો. જિલ્લામાં કુલ 665 હેક્ટરમાં તરબૂચનું વાવેતર થયું છે. પરંતુ બજાર ભાવ ઘટતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ છે. ગયા વર્ષે ઉનાળાની શરૂઆતમાં જથ્થાબંધ બજારમાં તરબૂચનો ભાવ એક કિલો રૂપિયા 20 થી 25 હતો. આ વર્ષે ઉત્પાદન સમયે જ ભાવ ઘટીને રૂપિયા 10 થી 12 થઈ ગયો છે.ખેડૂતોના ખર્ચ સામે આવક ઓછી રહેતા મુશ્કેલી વધી છે. બિયારણદવાખાતર અને મજૂરી સહિત વીઘા દીઠ રૂપિયા 25 થી 30 હજારનો ખર્ચ થાય છે. પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને નુકસાનનો ફટકો પડ્યો છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી તરબૂચ ગુજરાતમાં વેચાણ માટે આવી રહ્યું છે. પરિણામે સ્થાનિક બજારમાં ભાવ વધુ ઘટી રહ્યા છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.