સાબરકાંઠા : રાજ્ય બહારથી તરબુચની આવકમાં વધારો થતા ભાવમાં થયો ઘટાડો,ખેડૂતોએ આર્થિક નુકસાનની ચિંતા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ખેડૂતોએ તરબૂચના પાકનું  મબલખ ઉત્પાદન કર્યું  છે, જોકે રાજ્ય બહારથી પણ આવતા તરબૂચના પુરવઠાને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો સમય આવ્યો છે.

New Update
  • હિંમતનગર માં તરબૂચનું મબલખ ઉત્પાદન

  • રાજ્ય બહારથી પણ તરબુચની થઇ આવક

  • બજાર ભાવમાં ઘટાડાથી ખેડૂતોમાં ચિંતા

  • રોગચાળાથી તરબૂચના પાક પર અસર

  • પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને નુકસાન

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ખેડૂતોએ તરબૂચના પાકનું  મબલખ ઉત્પાદન કર્યું  છેજોકે રાજ્ય બહારથી પણ આવતા તરબૂચના પુરવઠાને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો સમય આવ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં તરબૂચના ઉત્પાદન સમયે જ બજારમાં ભાવ તળિયે બેસતા ખેડૂતોની ચિંતા વધી છે.એક તરફ રોગચાળાએ તરબૂચના પાકને અસર કરી છે. જંતુનાશક દવાઓ પણ અસરકારક સાબિત થઈ નથી. પરિણામે ઉત્પાદન પર ફટકો પડવાની દહેશત છે. હાલ બજારમાં તરબૂચનો જથ્થાબંધ ભાવ એક કિલો રૂપિયા 10 થી 12 છે. ગત વર્ષે આ ભાવ રૂપિયા 20 થી 25 હતો. જિલ્લામાં કુલ 665 હેક્ટરમાં તરબૂચનું વાવેતર થયું છે. પરંતુ બજાર ભાવ ઘટતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ છે. ગયા વર્ષે ઉનાળાની શરૂઆતમાં જથ્થાબંધ બજારમાં તરબૂચનો ભાવ એક કિલો રૂપિયા 20 થી 25 હતો. આ વર્ષે ઉત્પાદન સમયે જ ભાવ ઘટીને રૂપિયા 10 થી 12 થઈ ગયો છે.ખેડૂતોના ખર્ચ સામે આવક ઓછી રહેતા મુશ્કેલી વધી છે. બિયારણદવાખાતર અને મજૂરી સહિત વીઘા દીઠ રૂપિયા 25 થી 30 હજારનો ખર્ચ થાય છે. પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને નુકસાનનો ફટકો પડ્યો છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી તરબૂચ ગુજરાતમાં વેચાણ માટે આવી રહ્યું છે. પરિણામે સ્થાનિક બજારમાં ભાવ વધુ ઘટી રહ્યા છે.

Read the Next Article

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન કરશે શરૂ, જુલાઈ 28 ના રોજ આણંદથી પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

New Update
Conn

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.

દૂધ સત્યાગ્રહના મુખ્ય એજન્ડા

કોંગ્રેસના આ "દૂધ સત્યાગ્રહ" આંદોલન પાછળ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જે રાજ્યના દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગને સીધી અસર કરે છે:

  • દૂધ ઉત્પાદકોને સબસિડી:કોંગ્રેસે પોતાના આગામી ચૂંટણી ઢંઢેરામાં દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે.
  • ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડત:દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે, ત્યાં કોંગ્રેસ તેના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઉભી રાખીને લોકશાહી ઢબે લડત આપશે. ખાસ કરીને, અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેન્ડેટથી પેનલ ઉભી રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પગલું દૂધ સંઘોમાં લોકશાહી પ્રક્રિયા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.