સાબરકાંઠા : નનાનપુર ગામે જમીનમાંથી ધુમાડો નીકળતા GPCBએ સ્થળ પરથી સેમ્પલ મેળવ્યા...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામમાં જમીનમાંથી વરાળ સાથે ધુમાડા નીકળ્યાને 18 કલાક બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું.

New Update
સાબરકાંઠા : નનાનપુર ગામે જમીનમાંથી ધુમાડો નીકળતા GPCBએ સ્થળ પરથી સેમ્પલ મેળવ્યા...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામમાં જમીનમાંથી વરાળ સાથે ધુમાડા નીકળ્યાને 18 કલાક બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. આ સાથે જ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમે પણ મુલાકાત લઈ સ્થળ પરથી સેમ્પલ મેળવ્યા હતા.

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામે ખુલ્લી જગ્યામાં લાકડા લેવા ગયેલી મહિલાનો પણ જમીન ધસી જવા સાથે દાઝ્યો હતો. ત્યારબાદ જમીનમાંથી વરાળ સાથે ધુમાડો નીકળવાની ઘટના સામે આવી હતી. જોકે, ધુમાડો વધુ પ્રસરતા ગામના સ્થાનિકોના ટોળેટોળા એકઠા થયા હતા. સ્થાનિકોએ પ્રાંતિજ ફાયર વિભાગને જાણ કરી હતી, ત્યારે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ધુમાડો નીકળતી જગ્યાએ પાણીનો છંટકાવ કર્યો હતો. આ દરમ્યાન ધુમાડો નીકળવાનું બંધ થયું હતું. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળની મુલાકાતે આવ્યા હતા, અને બાદમાં JCBની મદદથી ખોદકામ કરાવ્યુ હતું. જોકે, હાલ તો ધુમાડો નીકળવાનું બંધ થતા ખોદકામ કરી જગ્યા પર ખાડા કરી દેવામાં આવ્યા છે.

જોકે, પ્રાંતિજ તાલુકાની સીમમાં અલગ અલગ પ્રકારની સિરામિક્સ અને ઉદ્યોગો આવેલા છે, ત્યારે ઉદ્યોગોમાંથી નીકળતી વેસ્ટનો આજુબાજુના ગ્રામજનો જમીનમાં પુરાણ માટે ઉપયોગ કરતા હોય છે. પરંતુ નનાનપુર ગામે વર્ષો અગાઉ વેસ્ટ થકી પુરાણ કરવામાં આવ્યું હતું. વર્ષો બાદ પુરાણ થયેલ જગ્યા પર વેસ્ટના કારણે ધુમાડો નીકળતા તંત્ર દોડતું થયુ હતું, ત્યારે હાલ તો કેમિકલયુક્ત વેસ્ટ હોવાને લઇ ધુમાડો નીકળતો હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમે પણ મુલાકાત લઈ સ્થળ પરથી સેમ્પલ મેળવ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર : માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલન યોજાયું...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલમાં આયોજન કરાયું

  • એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત કાર્યક્રમ યોજાયો

  • વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

  • એક રાષ્ટ્ર એક ચૂંટણીના અમલીકરણ અંગે ચર્ચા કરાય

  • તબીબવર્ગવેપારી સહિત ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતેએક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થવા અવસર પર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશિષ્ટ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતેએક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલન યોજાયું હતું.જેમાંએક રાષ્ટ્ર એક ચૂંટણીની અવધારણા અને તેના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંતએક રાષ્ટ્ર એક ચૂંટણીના વિવિધ ફાયદાઓ વિશે ઉપસ્થિતોને માહિતી આપવામાં આવી હતી.

આ અવસરેએક રાષ્ટ્ર એક ચૂંટણીના નિર્ણયને તમામ ઉપસ્થિતોએ આવકારીPM મોદીના 11 વર્ષના કાર્યકાળને વધાવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી જનક બગદાણાભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીઅંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ સહિત તબીબ વર્ગવેપારીઓ અને ઉદ્યોગપતિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.