Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : RSSના વડા મોહન ભાગવતની ઉપસ્થિતિમાં મુડેટી ગામે વેદ સંસ્કૃત જ્ઞાન ગૌરવ સમારંભ યોજાયો

RSSના વડા મોહન ભાગવત સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના મુડેટી ગામે આવેલ વેદ સંસ્કૃત પાઠશાળાના જ્ઞાન ગૌરવ સમારંભમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા,

X

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના મુડેટી ગામે આવેલ વેદ સંસ્કૃત પાઠશાળાના જ્ઞાન ગૌરવ સમારંભમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં હિન્દુ સનાતન ધર્મ છે, અને શુદ્ધ અને શ્વાસ સાત્વિક બની રહેવા માટે મોહન ભાગવતે આહવાન કર્યું હતું.

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના મુડેટી ગામે આવેલ ભગવાન યાજ્ઞવલ્કય વેદ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે આયોજિત જ્ઞાન ગૌરવ સમારંભ અને વેદ સંસ્કૃત મહાવિદ્યાલય મહોત્સવમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સાબરકાંઠા જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાંથી સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુડેટી વેદ સંસ્કૃત પાઠશાળાના નવીનીકરણ માટે દાન પણ એકઠું કરવામાં આવ્યું હતું. ઉપરાંત હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લોકોને શુદ્ધ અને સાત્વિક રહેવા મોહન ભાગવતે મંચ પરથી આહવાન કર્યું હતું. આ પ્રસંગે તેઓએ પ્રાણી અને મનુષ્યમાં રહેલા ફરકને પણ ઉદાહરણ આપી સમજાવ્યું હતું.

Next Story