ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસને લઈ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર ધીરે ધીરે વધી રહ્યો છે. જેના પગલે સરકારની ચિંતા પણ વધી રહી છે. તંત્ર હાલ એક્શન મોડમાં આવીને કામ કરી રહ્યુ છે, ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની GMERS મેડિકલ કોલેજ ખાતે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસને લઈ બાળ દર્દીઓની મુલાકાત કરી આરોગ્યની પૃચ્છા કરી હતી. આ સાથે જ ચાંદીપુરા વાયરસને અટકાવવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યુ હતું. આરોગ્ય મંત્રીએ જિલ્લાના તમામ ગામોમાં દવાનો છંટકાવ કરવા તંત્રને સૂચન કર્યું હતું. ઉપરાંત બાળકોમાં તાવ, ઝાડા, ઉલટીના સામાન્ય લક્ષણો જણાઈ આવે તો તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં સારવાર અપાવવા અનુ