સાબરકાંઠા: હિંમતનગરમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પિયર એજ્યુકેટર કવિઝનો કાર્યક્રમ યોજાયો

જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં પ્રથમવાર હિંમતનગરમાં આઠ તાલુકામાંથી વિજેતા 24 પિયર વચ્ચે યુવા પહેલ ક્વિઝ કાર્યક્રમ યોજાયો હતો.

New Update
સાબરકાંઠા: હિંમતનગરમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પિયર એજ્યુકેટર કવિઝનો કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં પ્રથમવાર હિંમતનગરમાં આઠ તાલુકામાંથી વિજેતા 24 પિયર વચ્ચે યુવા પહેલ ક્વિઝ કાર્યક્રમ યોજાયો હતો.

કિશોર, કિશોરીઓમાં એનિમિયા, કુપોષણ, માનસિક સ્વાસ્થ્ય, માસિક દરમિયાનની સ્વચ્છતા, વ્યસનમુકત જીવન જેવા વિવિધ વિષયો પર પિયર એજ્યુકેટર જાણે અને તેમના પિયર ગ્રુપમાં આ અંગેનો સંદેશો તેમના દ્વારા પહોંચે તેવા ઉમદા આશય સાથે સાબરકાંઠા જીલ્લાના આરોગ્ય શાખા દ્વારા યુવા પહેલ કવિઝના માધ્યમનો ઉપયોગ કરી પિયર એજ્યુકેટરો દ્વારા આરોગ્યનો સંદેશો અસરકારક રીતે પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જેને સારો આવકાર મળ્યો હતો. આ પહેલ પણ ગુજરાતમાં સાબરકાંઠામાં કરવામાં આવી છે. આ કવિઝ સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ત્રણ ચરણમાં યોજાઈ હતી. જેમાં 4 થી 7 ડિસેમ્બરે દરમિયાન પ્રથમ ચરણ માં 292 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કક્ષાએ યોજાઈ હતી. જેમાં પ્રથમ ક્રમે આવેલ પિયર એજ્યુકેટરને આઠ તાલુકા કક્ષાએ 21 ડિસેમ્બરના રોજ યોજાયેલ સ્પર્ધામાં રમવા માટે પસંદ કરાવમાં આવેલ જે પૈકી જિલ્લાના આઠ તાલુકની સ્પર્ધામાંથી 24 પિયર એજ્યુકેટરોને પસંદ કરી જિલ્લા કક્ષાએ અલગ અલગ 4 રાઉન્ડની વિવિધ આરોગ્યની રમતો રમાડી તેમના જ્ઞાનની ચકાસણી કરવામાં આવી હતી.

Latest Stories
    Read the Next Article

    રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

    રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

    New Update
    csss

    રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

    હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

    કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.

    Latest Stories