સાબરકાંઠા : IPS અધિકારી રવિન્દ્ર પટેલના ત્યાં SEBIના દરોડાથી ખળભળાટ,એજન્સીએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું નથી.

ગુજરાતની 2016ની બેચના IPS અધિકારી રવીન્દ્ર પટેલને ત્યાં SEBI (સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા)ના દરોડા પડ્યા છે.

New Update
  • ગુજરાતના IPS અધિકારી SEBIના રડારમાં આવ્યા

  • શેરના ભાવમાં કૃત્રિમ ઉછાળા પ્રકરણમાં IPSની સંડોવણીની ચર્ચા

  • IPSના સાળાનાં ઘરે પણ એજન્સી દ્વારા તપાસ

  • SEBIની કાર્યવાહીના પગલે પોલીસતંત્રમાં ખળભળાટ

  • તપાસ એજન્સી દ્વારા દરોડા અંગે સત્તાવાર સમર્થન જાહેર કર્યું નથી

ગુજરાતની 2016ની બેચના IPS અધિકારી રવીન્દ્ર પટેલને ત્યાં SEBI (સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા)ના દરોડા પડ્યા છે. 20 માર્ચ2025ને ગુરુવારે એક વિશેષ ટીમ દ્વારા સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં આવેલા રોધરા ગામે IPS અધિકારીના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં આવેલા રોધરા ગામે IPS અધિકારી રવિન્દ્ર પટેલના ઘરે SEBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી છે.આ સાથે ગલોડિયા ગામમાં રહેતા IPSના સાળાની પણ કેન્દ્રીય ટીમ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. દિવસભર ચાલેલી કાર્યવાહીના કારણે આ ઘટના સમગ્ર પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની હતી.

શેરના ભાવમાં કૃત્રિમ ઉછાળા પ્રકરણમાં IPSની સંડોવણી હોવાની વાતો ફેલાતા ચકચાર મચી ગઈ છે. SEBIએ ફટકારેલી નોટિસમાં રવીન્દ્ર ડાહ્યાભાઇ પટેલે 1.90 કરોડ અને 72.80 લાખની પેનલ્ટી ભરવાની સાથો સાથ છ મહિના સુધી સાધના બ્રોડકાસ્ટ કંપનીના શેરોની લેવડદેવડ નહીં કરવાની બાંહેધરી આપતા સમાધાન કર્યું હોવાની હકીકત પ્રકાશમાં આવી છે.

જોકે આ સમગ્ર મામલામાં હજી સુધી SEBIના અધિકારીઓ કે તપાસ એજન્સીઓ દ્વારા સત્તાવાર કોઈ માહિતી આપવામાં આવી નથી,પરંતુ આ ઘટનાએ ગુજરાત પોલીસ બેડામાં ભારે ચકચાર જગાવી છે.

 

Read the Next Article

ભરૂચ: હાંસોટથી કંટીયાળજાળને જોડતા માર્ગ પર વનખાડીનું પાણી ફરી વળ્યું, વાહનવ્યવહાર બંધ

ભરૂચના હાંસોટ પંથકમાં ખાબકેલ 4 ઇંચ જેટલા વરસાદના પગલે હાંસોટથી કંટીયાળજાળને જોડતા મુખ્યમાર્ગ પર દંત્રાઇ ગામ નજીક વનખાડીનું પાણી માર્ગ પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો

New Update
  • ભરૂચના હાંસોટમાં અનરાધાર વરસાદ

  • 4 ઇંચ વરસાદ ખાબક્યો

  • કંટીયાળજાળને જોડતો માર્ગ બંધ થયો

  • વનખાડીના પાણી ફરી વળ્યા

  • પુલની કામગીરીના પગલે ડાયવર્ઝન બનાવાયું હતું

ભરૂચના હાંસોટ પંથકમાં ખાબકેલ 4 ઇંચ જેટલા વરસાદના પગલે હાંસોટથી કંટીયાળજાળને જોડતા મુખ્યમાર્ગ પર દંત્રાઇ ગામ નજીક વનખાડીનું પાણી માર્ગ પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો

ભરૂચના હાંસોટમાં ખાબકેલ અનરાધાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હાંસોટથી કંટિયાજાળને જોડતા મુખ્ય માર્ગ પર દંતરાઈ ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન પરથી પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે. હાંસોટ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારે દંતરાય ગામ નજીક ચાલી રહેલ ખાડીપુલની કામગીરીના પગલે બાજુ પર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જેના પરથી વન ખાડીનું પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે.

માર્ગ બંધ થતાં આસપાસના ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી મંગળવાર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે લોકોને સતર્ક રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.