Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની કરપીણ હત્યાથી ચકચાર, પોલીસે ચલાવ્યો તપાસનો ધમધમાટ..

મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે.

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ધોળે દિવસે નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની કરપીણ હત્યાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. ઘરે આવેલા 2 અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી છે. નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. હિંમતનગરમાં ડબલ મર્ડરની ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, એસલીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી આવી ડબલ મર્ડર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ, ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા ઘરની આસપાસના સીસીટીવી કેમેરા પણ તપાસવામાં આવી રહ્યા છે. સાથે જ ડોગ સ્કોર્ડ સહિત FSLની ટીમની પણ મદદ લઈ હત્યાઓનું પગેરું મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આસપાસમાં રહેતા લોકો અને પરિવારજનોનના નિવેદનો પણ લેવામાં હતા, ત્યારે હત્યા કયા કારણોસર કરવામાં આવી છે, અને હત્યા કરનાર ફરાર હત્યારાઓ કોણ છે, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Next Story