સાબરકાંઠા : પતિની હત્યા કરનાર પત્ની-પ્રેમીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી !

સાબરકાંઠાના હિંમતનગરના ગઢોડા ગામની સીમમાં ચાર વર્ષ પહેલા પતિની હત્યા કરનાર પત્નિ અને પ્રેમીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે

New Update

સાબરકાંઠામાં 4 વર્ષ પૂર્વે બન્યો હતો બનાવ

Advertisment

હિંમતનગરના ગઢેડા ગામે પતિની કરવામાં આવી હતી હત્યા

પત્ની અને પ્રેમીએ મળી પતિની હત્યા કરી હતી

કોર્ટે પત્ની-પ્રેમીને આજીવન કેદની ફટકારી

રૂ.1 હજારનો દંડ ફટકારાયો

સાબરકાંઠાના હિંમતનગરના ગઢોડા ગામની સીમમાં ચાર વર્ષ પહેલા પતિની હત્યા કરનાર પત્નિ અને પ્રેમીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે
Advertisment
સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ગઢોડા ગામની સીમમાં રહેતા પરપ્રાંતિય યુવકની પત્નિ અને પ્રેમીએ ભેગા મળી લોખંડની હથોડી માથામાં ફટકારી હત્યા કર્યા બાદ આ લાશને કોથળામાં મુકી આંબાવાડા ગામની સીમમાં ખારી નદીના પુલ ઉપરથી નીચે ફેંકી દીધી હતી. જે અંગેની ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલ પત્નિ અને પ્રેમીની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જે દરમિયાન પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખી સાબરકાંઠા જિલ્લાના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ સેશન્સ જજ કે.એમ. રબારી દ્વારા હત્યાના ગુનામાં સંડોવાયેલ પપ્પુ રામસુરત ઠાકુર તથા નીધી સુરેન્દ્રસિંગ કુશવાહને ગુનામાં તકસીરવાન ઠરાવીને આજીવન કેદની સજા તથા રૂપિયા એક  હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.ફરિયાદ પક્ષે મદદનીશ જિલ્લા સરકારી વકીલ હેતલબેન બી. ત્રિવેદી દ્વારા દસ્તાવેજી પુરાવા અને સીસીટીવી ફુટેજ તથા રજુ કરેલ સોંગદનામા અંગે દલીલો કરી હતી. જેને ધ્યાનમાં રાખીને કોર્ટે આ હુકમ કર્યો હતો
Advertisment
Read the Next Article

ઝઘડિયા : અવિધાના આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સંચાલિત હોસ્પિટલમાં ડિજિટલ એક્સ-રે મશીનની સુવિધાનો પ્રારંભ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલા આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,

New Update
  • ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલની સુવિધામાં વધારો

  • આરોગ્ય વર્ધક મંડળ અવિધા દ્વારા કાર્યરત છે હોસ્પિટલ

  • 60 વર્ષ પહેલા હોસ્પિટલનો થયો હતો પ્રારંભ

  • અદ્યતન એક્સ-રે મશીનની સુવિધાનો થયો પ્રારંભ

  • અંકલેશ્વર AIA પ્રમુખના હસ્તે એક્સ-રેનો કરાયો પ્રારંભ  

Advertisment

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ખાતે સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડિયાના હસ્તે ડિજિટલ એક્સ-રે મશીનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલા આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતોહાલના સમયમાં અકસ્માતોથી લઈ અન્ય બીમારીમાં પણ વધારો થતાં આરોગ્ય વર્ધક મંડળ દ્વારા તેમની હોસ્પિટલમાં વિવિધ અદ્યતન સુવિધાઓ સમયાંતરે ઉભી કરવામાં આવી રહી છેઆજરોજ આ હોસ્પિટલમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડીયાના હસ્તે ડિજિટલ એક્સ-રે મશીનની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ સાથે  સંસ્થાના સ્થાપક અને સેવાભાવી મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

સંસ્થાના 98 વર્ષીય કાંતિ લલ્લુભાઈ પટેલ પણ વડોદરાથી અવિધા આવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા,સંસ્થાના પ્રમુખ કિરીટ બી પટેલ દ્વારા સંસ્થાના 60 વર્ષના ઉતાર ચઢાવથી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતા,અને તેમના દ્વારા લક્ષમાં લેવાયેલ મહિલાઓયુવાનો માટેની‌‌ વિવિધ યોજનાઓ આવનારા સમયમાં અવિધા ગામ ખાતે ઉભી કરવામાં સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.

Advertisment