સાબરકાંઠા : પતિની હત્યા કરનાર પત્ની-પ્રેમીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી !

સાબરકાંઠાના હિંમતનગરના ગઢોડા ગામની સીમમાં ચાર વર્ષ પહેલા પતિની હત્યા કરનાર પત્નિ અને પ્રેમીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે

New Update

સાબરકાંઠામાં 4 વર્ષ પૂર્વે બન્યો હતો બનાવ

હિંમતનગરના ગઢેડા ગામે પતિની કરવામાં આવી હતી હત્યા

પત્ની અને પ્રેમીએ મળી પતિની હત્યા કરી હતી

કોર્ટે પત્ની-પ્રેમીને આજીવન કેદની ફટકારી

રૂ.1 હજારનો દંડ ફટકારાયો

સાબરકાંઠાના હિંમતનગરના ગઢોડા ગામની સીમમાં ચાર વર્ષ પહેલા પતિની હત્યા કરનાર પત્નિ અને પ્રેમીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે
સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ગઢોડા ગામની સીમમાં રહેતા પરપ્રાંતિય યુવકની પત્નિ અને પ્રેમીએ ભેગા મળી લોખંડની હથોડી માથામાં ફટકારી હત્યા કર્યા બાદ આ લાશને કોથળામાં મુકી આંબાવાડા ગામની સીમમાં ખારી નદીના પુલ ઉપરથી નીચે ફેંકી દીધી હતી. જે અંગેની ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલ પત્નિ અને પ્રેમીની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જે દરમિયાન પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખી સાબરકાંઠા જિલ્લાના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ સેશન્સ જજ કે.એમ. રબારી દ્વારા હત્યાના ગુનામાં સંડોવાયેલ પપ્પુ રામસુરત ઠાકુર તથા નીધી સુરેન્દ્રસિંગ કુશવાહને ગુનામાં તકસીરવાન ઠરાવીને આજીવન કેદની સજા તથા રૂપિયા એક  હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.ફરિયાદ પક્ષે મદદનીશ જિલ્લા સરકારી વકીલ હેતલબેન બી. ત્રિવેદી દ્વારા દસ્તાવેજી પુરાવા અને સીસીટીવી ફુટેજ તથા રજુ કરેલ સોંગદનામા અંગે દલીલો કરી હતી. જેને ધ્યાનમાં રાખીને કોર્ટે આ હુકમ કર્યો હતો
Read the Next Article

અંકલેશ્વર : મોહર્રમ પર્વમાં તાજીયા જુલુસના રૂટ પર સાફ-સફાઈ સહિતની સુવિધાઓ રાખવા તાજીયા કમિટીનું પાલિકા તંત્રને આવેદન...

અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે આગામી મોહર્રમ પર્વમાં તાજીયા જુલુસના રૂટ પર સાફ-સફાઈ સહિતની સુવિધાઓ રાખવા બદલ તાજીયા કમિટી દ્વારા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી

New Update
Tajiya Commitee

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે આગામી મોહર્રમ પર્વમાં તાજીયા જુલુસના રૂટ પર સાફ-સફાઈ સહિતની સુવિધાઓ રાખવા બદલ તાજીયા કમિટી દ્વારા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તાજીયા કમિટી દ્વારા અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલીતા રાજપુરોહિતચેરમેન નિલેશ પટેલચીફ ઓફિસર કેશવ કોલડિયાને આવનાર તહેવાર મોહર્રમમાં તાજીયાના જુલુસના રૂટ પર સાફ-સફાઈસ્ટ્રીટ લાઈટરસ્તાઓનું કાર્પેટિંગસંવેદનશીલ વિસ્તારોમાં હેલોજન લાઈટ લગાવવા તથા દક્ષિણ ગુજરાત વીજકંપનીના કાર્યપાલક ઈજનેરને તાજીયા રૂટ પર આવતા જીઈબીના વાયરો ઊંચા કરવાડીપી સપ્લાય પર માણસો મુકવા તથા સઘન ચેકીંગ માટે એક ટીમ રાખવા જેવા વિવિધ કામોને અનુલક્ષીને આવેદન પત્ર પાઠવાયું હતું.

તાજીયા કમિટીના સેક્રેટરી વસીમ ફડવાલાએ જણાવ્યું હતું કેશહેરમાં 19 મુખ્ય તાજીયા બનશેઅને તા. 05 જુલાઈના રોજ કતલની રાત ગણાતી હોય જેથી શહેરના મુખ્ય માર્ગો પર ધાર્મિક વિધિ પ્રમાણે ઝૂલૂસ નીકળશેજ્યારે તા. 06 જુલાઈના રોજ બપોરથી તાજીયા પોતપોતાના રૂટ પર નીકળશે. જે અંકલેશ્વરના પિરામણ નાકા ખાતે ધાર્મિક રીતિ રિવાજો મુજબ સંપન્ન કરાશેઅને બીજે દિવસે નર્મદા નદીના દક્ષિણ છેડે એમનું વિશર્જન કરવામાં આવશે. જે પ્રસંગે તાજીયા કમિટી પ્રમુખ બક્કો પટેલસેક્રેટરી વસીમ ફડવાલાઉપપ્રમુખ નુરુ કુરેશીકૌસર કુરેશીઅમન પઠાણઈમ્તિયાઝ ઘોણીયાસાકીર મલેકસમીર પઠાણનફીસ મંડપવાલાસિકંદર કડીવાલા હાજર રહ્યા હતા.