સાબરકાંઠા : પતિની હત્યા કરનાર પત્ની-પ્રેમીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી !

સાબરકાંઠાના હિંમતનગરના ગઢોડા ગામની સીમમાં ચાર વર્ષ પહેલા પતિની હત્યા કરનાર પત્નિ અને પ્રેમીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે

New Update

સાબરકાંઠામાં 4 વર્ષ પૂર્વે બન્યો હતો બનાવ

હિંમતનગરના ગઢેડા ગામે પતિની કરવામાં આવી હતી હત્યા

પત્ની અને પ્રેમીએ મળી પતિની હત્યા કરી હતી

કોર્ટે પત્ની-પ્રેમીને આજીવન કેદની ફટકારી

રૂ.1 હજારનો દંડ ફટકારાયો

સાબરકાંઠાના હિંમતનગરના ગઢોડા ગામની સીમમાં ચાર વર્ષ પહેલા પતિની હત્યા કરનાર પત્નિ અને પ્રેમીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે
સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ગઢોડા ગામની સીમમાં રહેતા પરપ્રાંતિય યુવકની પત્નિ અને પ્રેમીએ ભેગા મળી લોખંડની હથોડી માથામાં ફટકારી હત્યા કર્યા બાદ આ લાશને કોથળામાં મુકી આંબાવાડા ગામની સીમમાં ખારી નદીના પુલ ઉપરથી નીચે ફેંકી દીધી હતી. જે અંગેની ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલ પત્નિ અને પ્રેમીની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જે દરમિયાન પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખી સાબરકાંઠા જિલ્લાના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ સેશન્સ જજ કે.એમ. રબારી દ્વારા હત્યાના ગુનામાં સંડોવાયેલ પપ્પુ રામસુરત ઠાકુર તથા નીધી સુરેન્દ્રસિંગ કુશવાહને ગુનામાં તકસીરવાન ઠરાવીને આજીવન કેદની સજા તથા રૂપિયા એક  હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.ફરિયાદ પક્ષે મદદનીશ જિલ્લા સરકારી વકીલ હેતલબેન બી. ત્રિવેદી દ્વારા દસ્તાવેજી પુરાવા અને સીસીટીવી ફુટેજ તથા રજુ કરેલ સોંગદનામા અંગે દલીલો કરી હતી. જેને ધ્યાનમાં રાખીને કોર્ટે આ હુકમ કર્યો હતો
Read the Next Article

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 13 IAS અધિકારીઓની કરાઇ બદલી

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

New Update
રાજયમાં આઇએએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.  

આ બદલીઓમાં પ્રથમ નામ  અશ્વિની કુમાર, IAS (RR:GJ:1997) ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 

જ્યારે  એમ. થેનારસન, IAS (RR:GJ:2000) ને  રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીની બદલી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગર પાલિકાની કમિશનર ઓમ પ્રકાશની રાજકોટ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.  

રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.  શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની બદલી કરાઈ છે.  એમ. થેન્નારસન નવા શહેરી વિકાસ સચિવ બન્યા છે.  રમેશ મીણા પોર્ટ અને ટ્રાન્સપોર્ટના સચિવ બન્યા છે.  મીલિંદ તોરવણે પંચાયત સચિવ તરીકે નિમાયા છે.  આરતી કંવરને નાણા વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જેનુ દેવાનને મધ્ય ગુજરાત વિજ કંપનીનો ચાર્જ સોંપાયો છે.  તેજસ પરમાર જૂનાગઢના મ્યુ. કમિશનર બન્યા છે.  

રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીની બદલી કરવામાં આવી છે. પ્રભવ જોશી ટુરિઝમમાં એમડી બન્યા છે.  ઓમ પ્રકાશ રાજકોટના નવા કલેક્ટર બન્યા છે.  નર્મદાના DDO તરીકે રાજ સુથારની નિમણૂંક કરવામાં આવી છે. 

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ  તોરવાણે, IAS ને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેજસ દિલીપભાઈ પરમાર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરમાંથી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા છે.