Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : હિંમતનગરમાં ભગવાન પરશુરામની પ્રતિમાનું કરાશે સ્થાપન, સી.આર.પાટીલના હસ્તે કરાયું ખાતમુહૂર્ત...

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં પરશુરામ ભગવાનની પ્રતિમા સ્થાપિત કરવા માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં પરશુરામ ભગવાનની પ્રતિમા સ્થાપિત કરવા માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના ટાવર નજીક આવેલ પાલિકા ગાર્ડનમાં ભગવાન પરશુરામની પ્રતિમાનું ખાતમુર્હુત અને માર્ગ નામકરણ કરવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ હિંમતનગર આવી પહોચ્યા હતા, જ્યારે બ્રહ્મ સમાજના યુવાનો દ્વારા બાઈક રેલી મોતીપુરાથી નીકળીને ટાવર ચોક પાર્ક સુધી પોહચી હતી. ભગવાન પરશુરામની પ્રતિમા માટેનું પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ખાતમુર્હુત અને માર્ગનું નામકરણ કરી તકતીનું અનાવરણ કર્યું હતું. તો બીજી તરફ, હિંમતનગર ટાવર સર્કલથી છાપરીયા 4 રસ્તા સુધીના માર્ગનું પણ પરશુરામ ભગવાનના નામથી નામ આપવામાં આવ્યું હતું. સાથે જ ટાવર ચોકથી રેલી સ્વરૂપે હિંમતનગર ટાઉન હોલ ખાતે સભા યોજી હતી. જોકે, સભામાં સમાજની વાતચીત કરી હતી. સાથે જ પ્રતિમા બનાવવા માટે ભંડોળ એક કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ શરૂઆત જ સી.આર.પાટીલે 11 લાખ રૂપિયા આપી કરી હતી. ત્યારબાદ અલગ અલગ સમાજના અને શ્રેષ્ઠિઓ પાસેથી પણ દાન મેળવ્યું હતું. એટલે કે, પ્રતિમા બનાવવા માટે 60થી ૬૫ લાખ રૂપિયા જેટલું ભંડોળ એકઠું કરવામાં આવ્યું હતું.

Next Story