સાબરકાંઠા: ભારે વરસાદના પગલે હાથમતી નદીના જળસ્તર વધ્યા, ડીપબ્રિજ અવર જવર માટે બંધ કરાયો

ઉપરવાસમાં વરસાદને લઈને હિંમતનગરની હાથમતી નદીમાં પાણી આવક વધી હતી. ચોમાસામાં પ્રથમવાર હિંમતનગરની હાથમતી નદીમાં પાણી આવતા શહેરીજનો પાણી જોવા ઉમટી પડ્યા

New Update
સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ
નદી નાળા છલકાયા
હાથમતી નદીમાં નવા નીરની આવક
ડીપ બ્રિજ અવર જવર માટે બંધ કરાયો
ચાર ભેંસ પણ નદીના પાણીમાં ફસાય

સાબરકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. જેને લઈને નદી-નાળા છલકાઈ ગયા હતા અને નદીઓમાં નવા નીર આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં  ઉપરવાસમાં વરસાદને લઈને હિંમતનગરની હાથમતી નદીમાં  પાણી આવક વધી હતી. ચોમાસામાં પ્રથમવાર હાથમતી નદીમાં પાણી આવતા શહેરીજનો પાણી જોવા ઉમટી પડ્યા હતા.

હિંમતનગરના હાથમતી નદી પર મહેતાપુરા પાસે ઉપરાંત ભોલેશ્વરના ઓવરબ્રિજ પર શહેરીજનો બાળકો સાથે પાણી જોવા આવી પહોંચ્યા હતા.હિંમતનગરના ન્યાય મંદિરથી મહેતાપુરા તરફના ડીપ બ્રિજ ઉપર દોઢ ફૂટ પાણી વહેતા ડીપ બ્રીજ અવર જવા માટે બંધ કરવામાં આવ્યો હતો.

કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને ડીપ બ્રિજની બંને તરફ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ નવા બની રહેલ રેલવે ઓવરબ્રિજના પિયર વચ્ચે પાણીનો પ્રવાહ વધતા ચાર ભેંસો ફસાઈ ગઈ હતી. જેને લઈને હિંમતનગર ફાયર બ્રિગેડને સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..

Read the Next Article

ભરૂચ : ઝઘડિયાના ઉચેડીયામાં જીવના જોખમે ખાડી ઓળંગતા ગ્રામજનો,ખેડૂતો બન્યા લાચાર

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડીયા ગામે ખેડૂતો જીવના જોખમે ખેતી કરવા મજબૂર બન્યા છે.નદીની ખાડી ઉપર પુલના અભાવે ગ્રામજનો ભારે મુશ્કેલી સહન કરીને ભારે યાતના વેઠી રહ્યા છે.

New Update
  • ઉચેડીયામાં ગ્રામજનોને પારાવાર મુશ્કેલી

  • ખાડી પર બ્રિજના અભાવે ખડૂતો પરેશાન

  • જીવન જોખમે ખાડી પસાર કરતા ગ્રામજનો

  • ખેડૂતોએ ખેતી કરવી પણ બન્યું મુશ્કેલરૂપ

  • સ્થાનિક તંત્રને રજુઆત બાદ પણ કોઈ નિરાકરણ નહીં

  • ગ્રામજનો ખાડીના જોખમ સાથે બન્યા લાચાર 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડીયા ગામે ખેડૂતો જીવના જોખમે ખેતી કરવા મજબૂર બન્યા છે.નદીની ખાડી ઉપર પુલના અભાવે ગ્રામજનો ભારે મુશ્કેલી સહન કરીને ભારે યાતના વેઠી રહ્યા છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડીયા ગામે જીવના જોખમે ખેડૂતો ખેતી કરવા મજબૂર બન્યા છે.ઉચેડીયા ગામની મુખ્યત્વે જમીન નર્મદા પટ વિસ્તારમાં આવેલી છેઅહીં નાની મોટી ખાડીઓ નર્મદા નદીને મળતી હોય છે.ઉચેડીયા ગામ અને નર્મદા કાંઠાની સીમની જમીન વચ્ચે નાનકડી ખાડી પસાર થાય છે. ચોમાસા દરમિયાન ખાડી પસાર કરવા માટે ખેડૂતો અને પશુપાલકોએ જીવના જોખમે ખાડી ઓળંગવી પડે છે.

ઉપરવાસમાં વરસાદના કારણે તથા સ્થાનિક વરસાદના કારણે આ ઉચેડીયાની ખાડીમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેતો હોય છેત્યારે આવા સમયે ખેડૂતો અને પશુપાલકો લાચાર બનીને કાંઠા વિસ્તારની જમીન પર જવા માટે જીવના જોખમે પોતાના વાહનો તેમજ પશુઓ લઈ જવા પડે છે.

ઉચેડીયા ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના આગેવાનો છેલ્લા દસ વર્ષથી ગામ અને સીમ વચ્ચે વહેતી ખાડી પર નાનો પુલ બનાવવા માટે માંગણી કરી રહ્યાં છે. દસ વર્ષ દરમિયાન પાંચથી સાત વખત જવાબદાર અધિકારીઓને પદાધિકારીઓને સરપંચ તથા ગ્રામજનો દ્વારા નાનો પુલ બનાવી આપવા માટે રજૂઆતો કરવામાં આવી છે.પરંતુ તંત્ર દ્વારા તથા ઝઘડિયાની નેતાગીરી દ્વારા આ ગંભીર સમસ્યા પર કોઈ જ ધ્યાન આપવામાં આવતું ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છેતેથી ઉચેડીયા ગામના ખેડૂતોને દર ચોમાસા દરમિયાન આવા જીવના જોખમે ખાડીના વહેતા પાણીમાંથી પોતાના વાહનો તેમજ ઢોર ઢાંખર પસાર કરવા પડે છે.તેઓની આ ગંભીર સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી લાગણી પણ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.