Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : હિંમતનગરના મહેતાપુરામાં જ્વેલર્સના ઘરમાં રૂ.25 લાખ રોકડા સહિત રૂ.75 લાખની મત્તાની ચોરી,પોલીસ વિભાગ દોડતું થયું

પરિવાર જાનમાં ગયો અને ચોરીનો બનાવ બન્યો, 1 કરોડથી વધુની મત્તાની ચોરી થવાની ચર્ચા થઈ

X

હિંમતનગર શહેરના મહેતાપુરામાં જાનમાં ગયેલ જ્વેલર્સ પરિવાર પરત આવતા ઘરમાં ચોરી થયાની જાણ થતા ચકચાર ગયો હતો. 1 કરોડથી વધુની મત્તાની ચોરી થવાની ચર્ચાઓ સાથે અન્ય બે ઘરોમાં પણ ચોરી થતાં એસ.પી. સહિતના પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા.

હિંમતનગર શહેરના મહેતાપુરા વિસ્તારમાં રહેતા મનીષ સોનીનો પરિવાર લગ્ન પ્રસંગ હોવાથી તેઓ જાનમાં ગયા હતા. પાછા ફરતી વેળા મુખ્યદ્વારનું તાળુ ખોલી ઘરમાં પ્રવેશતા સામાન વેર વિખેર પડેલો જોઇ ચોરી થયાનો અંદાજ આવી જતા ચકચાર મચી ગયો હતો. ત્રણ પરિવારના મકાન એક જ લાઇનમાં છે જેમાં એક ભાઇના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળુ તોડવાને બદલે ત્રીજા માળે ચઢી ગયા હતા અને ધાબામાં હવા ઉજાસ માટે મૂકેલ જાળી કાપીને નીચે ઉતરી બધા દરવાજા ખોલી નીચે ઉતર્યા હતા. અને ગ્રાઉન્ડ ફ્લોર પર મૂકેલી તિજોરીની ચાવી શોધી તેમાં હાથ અજમાવી સોનુ ચાંદી રોકડની ચોરી કરી ઘરની બહાર નીકળી ગયા હતા..

વહેલી સવારે એસપી સહિતના પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને ચર્ચાઇ રહ્યા મુજબ 1 કરોડથી વધુની મતાની ચોરી થયાનો અંદાજ મૂકાઇ રહ્યો છે. ત્યારે પોલીસ દ્વારા ડોગસ્કવોડ, એફએસએલ, ટેકનિકલ સર્વલન્સની મદદ લેવામાં આવી હતી.બીજી બાજુ મહેતાપુરાથી પાંચ મિનિટના અંતરે આવેલ પોલોગ્રાઉન્ડમાં રાજુભાઇ મોદીના અડી અડીને આવેલ બે મકાનમાં ધોળા દા'ડે તસ્કરોએ હાથ અજમાવ્યો હતો. બંને મકાનો બંધ હતા અને સાંજે પડોશીઓને ચોરી થયાની ખબર પડતા બંને મકાન માલિકને જાણ કરાઇ છે. શહેરમાં તસ્કરોએ માઝા મૂકતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Next Story