સાબરકાંઠા : પ્રાંતિજના મજરા ખાતે પરંપરાગત હોલિકા ઉત્સવ ઉજવાયો,અંગારા પર ખુલ્લા પગે ચાલીને શ્રદ્ધાળુઓએ કર્યું ભૈરવનાથનું  પૂજન

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ખાતે છેલ્લા 500 વર્ષથી પણ વધારે પ્રાચીન પરંપરા મુજબ ધરે ધરે જઇ લાંકડા છાણાં ઉઘરાવી હોળીની રાત્રે બે

New Update

હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા  

ધગધગતા અંગારા ઉપર ખુલ્લા પગે શ્રધ્ધાળુઓ ચાલે છે

ભગવાન ભૈરવનાથની પરમ કૃપાથી કોઇ દાઝતુ નથી

સાંસદ શોભના બારૈયાએ પણ દર્શન કરી ધન્યતા અનુભવી

હોલિકા ઉત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ખાતે છેલ્લા 500 વર્ષથી પણ વધારે પ્રાચીન પરંપરા મુજબ ધરે ધરે જઇ લાંકડા છાણાં ઉઘરાવી હોળીની રાત્રે બે અલગ - અલગ હોળી પ્રગટાવવામાં આવે છે,અને વર્ષોથી ચાલી આવતી પરંપરા યંત્ર યુગમાં આજે પણ યથાવત છે.અને શ્રદ્ધાળુઓ ભૈરવનાથને પ્રાર્થના કરીને ખુલ્લા પગલે ધગધગતા અંગારા પર ચાલીને પોતાની માનતા પૂરી કરે છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા ગામમાં ભૈરવનાથ મંદિરના ચોકમાં બે હોળી પ્રગટાવવામાં આવે છે.જેમાં એક હોળીમાં લાકડા મુકવામાં આવે છેઅને બીજી હોળી છાણામાં મુકવામાં આવે છે. અને લાકડાના અંગારા પડ્યા હોય તેના પરથી બાળકોથી માંડીને યુવાનો વૃદ્ધો સળગતા અંગારા પરથી ખુલ્લા પગે ચાલે છે.છતાં હજુ સુધી કોઈ પણ દાઝયા હોય તેવો કોઇ બનાવ બન્યો નથી,ત્યારે દાદા ભૈરવનાથના દર્શન તથા મજરાની હોલિકા દહન જોવા માટે શ્રદ્ધાળુઓ પ્રાંતિજ તથા તાલુકા સહિત મહેસાણા ,અમદાવાદ,મોડાસા,ગાંધીનગર સહિતના  જિલ્લામાંથી ઉમટી પડે છે.અને પોતાની રાખેલ માનતા બાધા પુર્ણ કરે છે.

વર્ષોથી અહીં અંગારામાં ચાલવાની પરંપરા પ્રચલિત થઇ છે,તેને ગામજનો ભૈરવનાથની કુપામાને છે અને હોળીના દિવસે જો કોઈ કુટુંબમાં પુત્ર હોય તો બાળકને પહેલી હોળીના દર્શન કરાવે છે અને નવા પરણેલા દંપતિ હોળીના દર્શન કરી પ્રદક્ષિણા કરે છે.ત્યારે ખેડૂતો અગ્નિ ની જયોતિમાં પૂળા લઇને પ્રગટાવી તેને ઘાસ પોતાના ધરે પશુઓને ખવડાવે છે.આ અવસરે મજર ખાતે દુર દુરથી લોકો આવીને દાદા ભૈરવના દર્શન કરી હોળીના દર્શન કરી ધાણી,ખજૂરશ્રીફળ,શેરડી,કેરી,ચઢાવીને પૂજા કરી ધન્યતા અનુભવે છે.આ પ્રસંગે ગામના દીકરી અને સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભના મહેન્દ્રસિંહ બારૈયાએ પણ પોતાના પુત્ર મથન બારૈયા સાથે દાદા ભૈરવનાથ અને  હોળીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Read the Next Article

વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક  કર્યો જાહેર

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.

New Update
1749726703_new-project-8

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ જાહેરાત મુજબ, આવતીકાલે, સોમવાર, 16 જૂન 2025 ના રોજ ગુજરાત રાજ્યમાં રાજકીય શોક પાળવામાં આવશે. આ દિવસ દરમિયાન, શોકના પ્રતીક રૂપે, ગુજરાતની તમામ સરકારી કચેરીઓ, જાહેર સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

 

આ નિર્ણય વિજય રૂપાણીના જાહેર જીવનમાં આપેલા યોગદાન અને રાજ્ય માટેની તેમની સેવાઓને સન્માનિત કરવાના ભાગરૂપે લેવામાં આવ્યો છે. તેમના નિધનથી ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

પાર્થિવ દેહની અંતિમ યાત્રા અને દર્શનનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ (16 જૂન, 2025 - સોમવાર):

  • સવારે 11:00 વાગ્યે: ગાંધીનગર નિવાસસ્થાનેથી અમદાવાદની સિવિલ હોસ્પિટલ જવા રવાના થશે.
  • સવારે 11:30 વાગ્યે: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પાર્થિવ દેહનો સ્વીકાર કરાશે.
  • સવારે 11:30 થી 12:30 વાગ્યે: સિવિલ હોસ્પિટલ, અમદાવાદથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે.
  • બપોરે 12:30 વાગ્યે: અમદાવાદ એરપોર્ટથી હવાઈ માર્ગે રાજકોટ જવા ટેકઓફ કરશે.
  • બપોરે 12:30 થી 2:00 વાગ્યે: હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ પહોંચશે.
  • બપોરે 2:00 થી 2:30 વાગ્યે: રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ સુધી પહોંચશે.
  • બપોરે 2:30 થી 4:00 વાગ્યે: ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને (પૂજિત, 2/5 પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે, રાજકોટ) જવા માટે ભવ્ય અંતિમ યાત્રા નીકળશે. આ યાત્રા ગ્રીનલેન્ડ ચોકડી, રણછોડદાસ બાપુ આશ્રમ રોડ, બાલક હનુમાન ચોક, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ પાસેથી, પૂજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ ઝોન ઓફિસ, પારેવડી ચોક, કેસરીહિંદ પુલ, સિવિલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કૂલ, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રૈયા રોડ અને નિર્મલા કોન્વેન્ટ રોડ થઈને તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી પહોંચશે.
  • સાંજે 4:00 થી 5:00 વાગ્યે: તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે, જ્યાં શોકમગ્ન જનતા અને મહાનુભાવો શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકશે.
  • સાંજે 5:00 થી 6:00 વાગ્યે: નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમ યાત્રા નીકળશે. આ યાત્રા પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક (કાલાવડ રોડ), મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર ચોક, રાજશ્રી ટોકીઝ રોડ, સ્વામિનારાયણ મંદિર (ભુપેન્દ્ર રોડ) થઈને રામનાથપરા સ્મશાન પહોંચશે.
  • સાંજે 6:00 વાગ્યે: રામનાથપરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

પ્રાર્થના સભાઓનું આયોજન:

પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે ત્રણ અલગ-અલગ સ્થળોએ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે:

રાજકોટમાં પ્રાર્થના સભા

    • તારીખ: 17 જૂન, 2025, મંગળવાર
    • સમય: સાંજે 3:00 થી 6:00 વાગ્યે
    • સ્થળ: રેસકોર્સ મેદાન, રાજકોટ

ગાંધીનગરમાં પ્રથમ પ્રાર્થના સભા

      • તારીખ: 19 જૂન, 2025, ગુરુવાર
      • સમય: સવારે 9:00 થી 12:00 વાગ્યે
      • સ્થળ: હોલ નં. 1, એક્ઝિબિશન સેન્ટર, હેલીપેડ ગ્રાઉન્ડ, સેક્ટર-17, ગાંધીનગર

ભાજપ, ગુજરાત પ્રદેશ દ્વારા પ્રાર્થના સભા

    • તારીખ: 20 જૂન, 2025, શુક્રવાર
    • સમય: સાંજે 4:00 થી 6:00 વાગ્યે
    • સ્થળ: કમલમ, કોબા, ગાંધીનગર