સાબરકાંઠા : પ્રાંતિજના મજરા ખાતે પરંપરાગત હોલિકા ઉત્સવ ઉજવાયો,અંગારા પર ખુલ્લા પગે ચાલીને શ્રદ્ધાળુઓએ કર્યું ભૈરવનાથનું  પૂજન

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ખાતે છેલ્લા 500 વર્ષથી પણ વધારે પ્રાચીન પરંપરા મુજબ ધરે ધરે જઇ લાંકડા છાણાં ઉઘરાવી હોળીની રાત્રે બે

New Update

હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા  

Advertisment

ધગધગતા અંગારા ઉપર ખુલ્લા પગે શ્રધ્ધાળુઓ ચાલે છે

ભગવાન ભૈરવનાથની પરમ કૃપાથી કોઇ દાઝતુ નથી

સાંસદ શોભના બારૈયાએ પણ દર્શન કરી ધન્યતા અનુભવી

હોલિકા ઉત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ખાતે છેલ્લા 500 વર્ષથી પણ વધારે પ્રાચીન પરંપરા મુજબ ધરે ધરે જઇ લાંકડા છાણાં ઉઘરાવી હોળીની રાત્રે બે અલગ - અલગ હોળી પ્રગટાવવામાં આવે છે,અને વર્ષોથી ચાલી આવતી પરંપરા યંત્ર યુગમાં આજે પણ યથાવત છે.અને શ્રદ્ધાળુઓ ભૈરવનાથને પ્રાર્થના કરીને ખુલ્લા પગલે ધગધગતા અંગારા પર ચાલીને પોતાની માનતા પૂરી કરે છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા ગામમાં ભૈરવનાથ મંદિરના ચોકમાં બે હોળી પ્રગટાવવામાં આવે છે.જેમાં એક હોળીમાં લાકડા મુકવામાં આવે છેઅને બીજી હોળી છાણામાં મુકવામાં આવે છે. અને લાકડાના અંગારા પડ્યા હોય તેના પરથી બાળકોથી માંડીને યુવાનો વૃદ્ધો સળગતા અંગારા પરથી ખુલ્લા પગે ચાલે છે.છતાં હજુ સુધી કોઈ પણ દાઝયા હોય તેવો કોઇ બનાવ બન્યો નથી,ત્યારે દાદા ભૈરવનાથના દર્શન તથા મજરાની હોલિકા દહન જોવા માટે શ્રદ્ધાળુઓ પ્રાંતિજ તથા તાલુકા સહિત મહેસાણા ,અમદાવાદ,મોડાસા,ગાંધીનગર સહિતના  જિલ્લામાંથી ઉમટી પડે છે.અને પોતાની રાખેલ માનતા બાધા પુર્ણ કરે છે.

Advertisment

વર્ષોથી અહીં અંગારામાં ચાલવાની પરંપરા પ્રચલિત થઇ છે,તેને ગામજનો ભૈરવનાથની કુપામાને છે અને હોળીના દિવસે જો કોઈ કુટુંબમાં પુત્ર હોય તો બાળકને પહેલી હોળીના દર્શન કરાવે છે અને નવા પરણેલા દંપતિ હોળીના દર્શન કરી પ્રદક્ષિણા કરે છે.ત્યારે ખેડૂતો અગ્નિ ની જયોતિમાં પૂળા લઇને પ્રગટાવી તેને ઘાસ પોતાના ધરે પશુઓને ખવડાવે છે.આ અવસરે મજર ખાતે દુર દુરથી લોકો આવીને દાદા ભૈરવના દર્શન કરી હોળીના દર્શન કરી ધાણી,ખજૂરશ્રીફળ,શેરડી,કેરી,ચઢાવીને પૂજા કરી ધન્યતા અનુભવે છે.આ પ્રસંગે ગામના દીકરી અને સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભના મહેન્દ્રસિંહ બારૈયાએ પણ પોતાના પુત્ર મથન બારૈયા સાથે દાદા ભૈરવનાથ અને  હોળીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Advertisment
Read the Next Article

બેસ્ટ એનિમલ લાઇફ સેવર નેશનલ એવોર્ડ સમારોહ-હૈદરાબાદમાં ગુજરાતની કરુણા એમ્બ્યુલન્સ સેવાની નોંધ લેવાય...

ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા "1962-કરુણા એમ્બ્યુલન્સ સેવા"નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સેવા હેઠળ પશુપાલકોને ઘરે બેઠા પશુના ઈલાજની સુવિધા મળે છે

New Update
  • પશુપાલકો માટે કરુણા એમ્બ્યુલન્સ બની સેવા આશાનું કિરણ

  • પોતાના પશુઓના ઈલાજ માટે પશુપાલકોને મોટી રાહત મળી

  • 1962 પર ફોન કરી એમ્બ્યુલન્સને ઘરે બોલાવે છે પશુપાલકો

  • અનેક પશુપાલકોએ રાજ્ય સરકારની ઉત્તમ સેવાનો લાભ લીધો 

Advertisment

 ગુજરાતના પશુપાલકો માટે કરુણા એમ્બ્યુલન્સ સેવા આશાનું કિરણ બની રહી છે. હવે પશુપાલકો પોતાના પશુઓના ઈલાજ માટે 1962 પર માત્ર ફોન કરીને એમ્બ્યુલન્સને ઘરે બોલાવે છેત્યારે અનેક પશુપાલકો પણ રાજ્ય સરકારની આ ઉત્તમ સેવાનો વિશેષ લાભ લઈ રહ્યા છે.

ઓક્ટોબર-2017ના રોજ ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા "1962-કરુણા એમ્બ્યુલન્સ સેવા"નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સેવા હેઠળ પશુપાલકોને ઘરે બેઠા પશુના ઈલાજની સુવિધા મળે છે. આજદિન સુધી હજારો પશુપાલકો આ સેવાનો લાભ લઈ ચુક્યા છે.

નવસારી જિલ્લાના વાસંદા તાલુકાના પશુપાલક ગુલાબ મગનના વાછરડાને નાભિમાં ઘા હતો. તેને ચાલવામાં તકલીફ પડતી હતી. તેથી તેને હોસ્પિટલે લઈ જવાનું કામ કપરું હતું. આ સંજોગોમાં તેમના માટે કરુણા એમ્બ્યુલન્સ સેવા ઉપયોગી બની. તેઓએ 1962 પર ફોન કરતાં જ માત્ર 15થી 20 મિનિટમાં એમ્બ્યુલન્સ તેઓના ઘર આંગણે આવી હતીજ્યાં નિષ્ણાંત પશુચિકિત્સકે વાછરડાની સમયસર સારવાર કરી હતી.

જોકેઆ મોબાઇલ એમ્બ્યુલન્સ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં પશુઓના ઓપરેશનથી માંડીને ગંભીર રોગોની સારવાર કરવામાં આવે છે. દરેક એમ્બ્યુલન્સમાં એક વેટરનરી ઓફિસર અને ડ્રેસર હાજર રહે છે. સમગ્ર ગુજરાતમાં હાલ 623 એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેમાંથી 586 એમ્બ્યુલન્સ ગ્રામીણ વિસ્તારોમાં અને 37 એમ્બ્યુલન્સ શહેરી વિસ્તારોમાં પશુઓની સારવાર સેવામાં રહે છે.

હૈદરાબાદમાં યોજાયેલા બેસ્ટ એનિમલ લાઇફ સેવર નેશનલ એવોર્ડ સમારોહમાં ગુજરાતની આ સેવાની નોંધ લેવામાં આવી હતી. નવસારી જિલ્લાની મોબાઇલ એનિમલ ટીમને બેસ્ટ એનિમલ લાઇફ સેવર નેશનલ એવોર્ડ એનાયત થયો હતો. આમઆજે શ્વેતક્રાંતિ માટે જાણીતા ગુજરાતની આ સેવા રાષ્ટ્રીય સ્તરે પ્રશંસાપાત્ર બની છે.

Advertisment