સાબરકાંઠા:ઈડરના ચડાસણા ગામે તળાવમાં નાહવા પડેલા ત્રણમાંથી બે યુવાનો ડૂબતા મોત, પરિવારમાં શોકનો માહોલ

સાબરકાંઠા જિલ્લાના ઈડરના ચડાસણા ગામે તળાવમાં નાહવા પડેલા ત્રણમાંથી બે યુવાનો ડૂબી જતા તેઓના મોત નિપજ્યા હતા

New Update
સાબરકાંઠા:ઈડરના ચડાસણા ગામે તળાવમાં નાહવા પડેલા ત્રણમાંથી બે યુવાનો ડૂબતા મોત, પરિવારમાં શોકનો માહોલ

સાબરકાંઠા જિલ્લાના ઈડરના ચડાસણા ગામે તળાવમાં નાહવા પડેલા ત્રણમાંથી બે યુવાનો ડૂબી જતા તેઓના મોત નિપજ્યા હતા

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ચડાસણા ગામની સીમમાં આવેલા તળાવમાં નાહવા પડેલા ત્રણ યુવકોમાંથી બે પર પ્રાંતિય યુવાનો તળાવના ઉંડા પાણીમાં ડુબી જતાં મોતને ભેટ્યા હતા. જોકે એક પરપ્રાંતિય યુવાનનો આબાદ બચાવ થયો હતોઆ અંગે વિગત એવી છે કે ઈડર તાલુકાના ચડાસણા ગામની સીમમાં તળાવમાં ચોમાસાની સીઝનમાં વરસાદના કારણે તળાવ પાણીથી છલોછલ ભરાયેલું હતું. ત્યારે મંગળવારે નજીક આવેલી એન્જલ ગ્રેનાઈટ કંપનીમાં નોકરી કરતા રાજસ્થાનના ત્રણ પરપ્રાંતિય યુવાનો તળાવમાં નાહવા પડ્યા હતા. પાણી ઉંડુ હોવાથી બે રાજસ્થાનના અનિલ મહેન્દ્રરામ નાઈક ઉવ.23 અને શંકર હરદીનરામ જાટ ઉવ.25 પરપ્રાંતિય યુવાનો તળાવના ઉંડા પાણીમાં ડુબવા લાગ્યા હતા. જોકે અન્ય એક યુવાને બહાર નીકળી બુમાબુમ કરતા ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.ઘટનાની જાણ ઈડર ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગના જવાનો દ્વારા બે કલાકની જહેમત બાદ તળાવમાં ડૂબી ગયેલા બંને યુવકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. તો આ અંગે જાદર પોલીસે બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ઇડર સિવિલમાં ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Read the Next Article

ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય..

રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા

New Update
  • રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ઉજવણી કરાય

  • રાજભવન પરિવારના અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતી

  • યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિતોએ સમૂહમાં યોગાભ્યાસ કર્યો

  • યોગને જીવનનો નિયમિત ભાગ બનાવો : આચાર્ય દેવવ્રત 

ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો હતો.

યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કેયોગને જીવનનો નિયમિત ભાગ બનાવો. વધુમાં તેમણે કહ્યું કેયોગથી જીવનમાં આરોગ્ય અને સુખ તો આવે જ છેસાથોસાથ આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પણ પ્રશસ્ત થાય છે.