સાબરકાંઠા : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાય...

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સાબરકાંઠા જિલ્લામાં કરવામાં આવી હતી.

New Update

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સાબરકાંઠા જિલ્લામાં કરવામાં આવી હતી.

તા. 9 ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યભરમાં વસતા આદિવાસી સમાજના લોકોએ આજરોજ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. વર્ષ 1994માં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતીત્યારથી જ તા. 9 ઓગષ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે,

ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નવી મેત્રાલ ખાતે ગુજરાત સરકારના આદિજાતી વિકાસ વિભાગ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે અનેકવિધ વિકાસલક્ષી કામોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓ માટે સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલરાજ્ય કક્ષાના મંત્રી કુબેર ડીંડોરખેડબ્રહ્માના ધારાસભ્ય રમણ વોરાહિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાસાબરકાંઠા જિલ્લા જિલ્લા કલેક્ટરજિલ્લા પંચાયત પ્રમુખનગરપાલિકા પ્રમુખ સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં આધિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

#Sabarkantha #CGNews #Adivasi divas #Gujarat #Bhupendra Patel #celebration
Here are a few more articles:
Read the Next Article