સાબરકાંઠા: પ્રાંતિજમાં રખડતી ગાયોના ત્રાસથી વાહન ચાલકો અને સ્થાનિક લોકો ભયગ્રસ્ત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રખડતી ગાયોનો ત્રાસ વધ્યો છે, જેના કારણે અકસ્માતના બનાવો બનવા છતાં પ્રાંતિજ પાલિકા કુંભકર્ણ નિંદ્રામાં હોવાની લાગણી સ્થાનિક લોકો વ્યક્ત કરી રહ્યા છે. 

New Update

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રખડતી ગાયોનો ત્રાસ વધ્યો છેજેના કારણે અકસ્માતના બનાવો બનવા છતાં પ્રાંતિજ પાલિકા કુંભકર્ણ નિંદ્રામાં હોવાની લાગણી સ્થાનિક લોકો વ્યક્ત કરી રહ્યા છે. 

Advertisment

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે છેલ્લાં કેટલાંક દિવસોથી ભાખરીયા બસ સ્ટેશનશાકમાર્કેટત્રણ રસ્તાએપ્રોચરોડબજારચોક રેલવે સ્ટેશનનાની ભાગોળ નેશનલ હાઈવે સહિત વિવિધ વિસ્તારોમાં સવાર સાંજ રોડની વચોવચ રખડતી ગાયો અડીંગો જમાવીને બેસે છે,વધુમાં આ ગાયો વચ્ચે ઘર્ષણ પણ સર્જાય છે અને તેનો ભોગ પાર્ક કરેલા વાહનો બને છે.

જેના પરિણામે વાહનચાલકોને મોટી નુકશાની વેઠવાનો વારો આવે છે.આ અંગેની નગરપાલિકામાં રજુઆત કરવામાં આવી છતાં પ્રાંતિજ પાલિકાની ઉંઘ ઉડતી નથી. તો નગરપાલિકાના ગેટની બાજુમાં જ ગાયો અડીંગો જમાવીને બેસે છે તો પણ પાલિકા કોઈ કાર્યવાહી કરી શક્તિ ન હોવાનું જાણવા મળ્યું છે.વધુમાં માર્ગ પર ગાયોનું ટોળું બેસીને જમાવટ કરતાં અકસ્માતની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે.વહેલી તકે પાલિકા તંત્ર આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી

ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે..

New Update
  • ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ

  • બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની ઉઠી માંગ

  • રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ લગાવાશે જાળી

  • રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી

  • ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે

Advertisment
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકરોએ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માંગ કરી હતી.
આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
Advertisment
નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ  વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂ.1.84 કરોડના ખર્ચથી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર ૧.૪૬૨ કીમી  બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રિલ બનાવવામાં આવશે..
Advertisment