સાબરકાંઠા : ધરોઈ ડેમમાંથી સિંચાઈ માટે મળતું પાણી માર્ચ સુધી આપવામાં આવશે,એપ્રિલમાં કેનાલમાં કરાશે સમારકામ

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં સિંચાઈ દ્વારા મળતું પાણી માર્ચ સુધી આપવામાં આવશે,જ્યારે એપ્રિલ મહિનામાં ડેમની મુખ્ય કેનાલમાં સમારકામની કામગીરી કરાશે

New Update
  • ઉત્તર ગુજરાત માટે જીવાદોરી સમાન ધરોઈ ડેમ

  • ડેમમાંથી 385 ગામ 9 શહેર અને 169 પરા વિસ્તારમાં મળે છે પાણી

  • ડેમના પાણીનો 98000 હેકટરમાં સિંચાઈ માટે કરાય છે ઉપયોગ

  • સિંચાઈ માટે માર્ચ મહિનામાં સુધી મળશે પાણી

  • એપ્રિલ મહિનામાં ડેમ અને મુખ્ય કેનાલનું કરાશે સમારકામ 

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં સિંચાઈ દ્વારા મળતું પાણી માર્ચ સુધી આપવામાં આવશે,જ્યારે એપ્રિલ મહિનામાં ડેમની મુખ્ય કેનાલમાં સમારકામની કામગીરી અંગે ડેમના ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે.

ઉત્તર ગુજરાત માટે ધરોઈ ડેમ જીવાદોરી સમાન છેધરોઈ ડેમમાંથી ઉત્તર ગુજરાતના 385 ગામ 9 શહેર અને 169 પરા વિસ્તારમાં પીવાનું પાણી તથા 98000  હેક્ટરમાં સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.આ વર્ષે સારા વરસાદને લીધે ધરોઈ ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થવા પામ્યો છે.

ધરોઈ ડેમના ઇજનેર સુમિત પટેલના જણાવ્યા મુજબ ખેતીની સિઝનમાં જરૂરી પાણી કેટલી વખત આપવું આ માટે સિંચાઈ વ્યવસ્થા કમિટીની મિટિંગ મળતી હોય છે અને આ મીટીંગમાં પાણી કમિટીના સભ્યો જે ખેડૂતો હોય છે એમની સાથે ચર્ચા કરવામાં આવે છે,ત્યાર બાદ કેટલી વાર પાણી આપવું એ નક્કી કરવામાં આવતું હોય છે.

આ વખતે શિયાળુ પાક માટે પાંચ વખત સિંચાઈનુ પાણી આપવાનું જળ વ્યવસ્થાપન કમિટી દ્વારા જણાવવામાં આવ્યું છે એ મુજબ છેલ્લું પાંચમી વખતનુ પાણી 22 માર્ચ સુધી આપવામાં આવશે.ત્યારબાદ એપ્રિલ મહિનામાં ડેમમાં અને ખાસ કરીને મુખ્ય કેનાલમાં મરામતની કામગીરીને પગલે સિંચાઈ માટે પાણી બંધ કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે,ધરોઈ ડેમ દ્વારા ડાબા અને જમણા કાંઠા વિસ્તારમાં 36000 હેક્ટર જમીનમાં સિંચાઈનો લાભ આપવામાં આવી રહ્યો છે.

Read the Next Article

ભરૂચ: ગ્રામપંચાયતોની ચૂંટણીનો ધમધમાટ, ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુની અધ્યક્ષતામાં કલેકટર કચેરીમાં બેઠક યોજાય

ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી

New Update
ચૂંટણી કામગીરી
ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/ મધ્યમસત્ર પેટા ચૂંટણી કામે ચૂંટણીલક્ષી જુદી જુદી કામગીરી માટે નિમણૂંક થયેલા જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી હતી. ચૂંટણી સંદર્ભે ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક પરિસ્થિતિનો પૂરતો તાગ મેળવીને કાર્ય આયોજન હાથ ધરવાની પણ જિલ્લા ચૂંટણી અધિકારીએ સૂચના આપી હતી.
આ બેઠક દરમિયાન અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર  એન.આર.ધાધલે બેઠકનું સંચાલન કરતાં અગત્યના મુદાઓ જેવા કે, કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ બંદોબસ્ત, મેન પાવર, તાલીમ, વાહન વ્યવસ્થા, RO અને ARO ની નિયુક્તિ, મતપત્રકો અને પ્રતિકોની ફાળવણી, મતપત્રો છપામણી કામગીરી તેમજ છાપકામ બાદ રદ/ ખરાબ થયેલા મતપત્રો નાશ કરવા અંગેની કામગીરી, પોલીંગ સ્ટાફ, મતગણતરી સ્ટાફને તાલીમ,મતદાન મથકો પર પ્રાથમિક સુવિધા, સ્ટ્રોંગરૂમ તથા કાઉન્ટીંગ હોલ, ચૂંટણીખર્ચના હિસાબોની ચકાસણી, વાહન ફાળવણી, ચૂંટણીના સ્ટાફને ટપાલ મતપત્રો આપવા અને આદર્શ આચાર સંહિતાના જેવા મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી.