સાબરકાંઠા : ટિફિન આપવા જતાં બાઇક સવાર માતા-પુત્રને ટ્રેક્ટરે અડફેટે લેતા મોત, ગામ શોકમાં ગરકાવ...

બાઇક સવાર માતા અને પુત્રને ટ્રેકટરે ટક્કર મારતા બન્નેના કરૂણ મોત નિપજ્યાં

New Update
સાબરકાંઠા : ટિફિન આપવા જતાં બાઇક સવાર માતા-પુત્રને ટ્રેક્ટરે અડફેટે લેતા મોત, ગામ શોકમાં ગરકાવ...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાધપુર-સૂર્યકુંડ મંદિર રોડ ઉપર બાઇક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઇક પર સવાર માતા-પુત્રનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, પ્રાંતિજ તાલુકાના વાધપુર-સૂર્યકુંડ મંદિર રોડ ઉપર રવિવારે બપોરના સમયે વાધપુર ખાતે રહેતા જીતાબા પરબતસિંહ રાઠોડ તથા તેમનો મોટો પુત્ર ધમેન્દ્રસિંહ પરબતસિંહ રાઠોડ બન્ને બાઇક ઉપર ખેતરમાં રહેતા દિકરા માટે ટીફીન લઈને જતા હતા..

Advertisment

ત્યારે વાધપુરથી સૂર્યકુંડ મંદિર રોડ ઉપર સામેથી રેતી ભરીને ટ્રેક્ટર ચાલક પૂરઝડપે હંકારી લાવીને સામેથી આવતા બાઇક સવાર માતા અને પુત્રને ટક્કર મારતા બન્ને રોડ પર પટકાયા હતા. તો રેતી ભરેલ ટ્રેક્ટરનું આગળનું ટાયર ફરી વળતાં બાઇક ચાલક ધમેન્દ્રસિંહ રાઠોડનું ધટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, તો બાઇક પાછળ બેઠેલ માતા જીતાબાને પણ શરીરે જીવલેણ ઈજાઓ પહોચતા તેઓને 108 મારફતે પ્રાંતિજ અને ત્યાંથી હિંમતનગર અને વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જતા હતા. તે દરમ્યાન જીતાબા રાઠોડનું પણ સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. તો બીજી તરફ, અકસ્માત સર્જી ફરાર થયેલ ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisment
Read the Next Article

સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, દાહોદથી 3 તસ્કરોની ધરપકડ

તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • સંઘપ્રદેશ દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

  • 20 દિવસમાં જ રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • દાહોદ ખાતેથી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી

  • સોનું અને 8 હજાર UK પાઉન્ડ રોકડની થઈ હતી ચોરી

  • પોલીસે 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું રિકવર કર્યું 

Advertisment

સંઘપ્રદેશ દમણ પોલીસે માત્ર 20 દિવસમાં જ મોટી દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી રૂ. 18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

ગત તા. 28 ફેબ્રુઆરી-2025ના રોજ સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલ મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત આવ્યો હતોત્યારે તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. આ સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાં રહેલ 20થી 25 હજારની રોકડ પર હાથફેરો કર્યો હતો. સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચના PSI ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત મોતીલાલ પંચાલ જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે ગુજસીટોક હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છેજ્યારે અન્ય 2 આરોપીઓમાં જિજ્ઞેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર ઉર્ફે પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું પણ રિકવર કર્યું છે. હાલ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહી છેત્યારે આગામી તપાસમાં વધુ લોકોને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દમણ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

Advertisment
Latest Stories