વિશ્વની અજાયબીઓ હવે ગુજરાતમાં..! : સાબરકાંઠાનું તિરુપતિ નેચરલ પાર્ક પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું

પેરિસનો એફિલ ટાવર હોય કે, પછી હોય આગ્રાનો તાજમહેલ... આ બધી અજાયબી જોવા માટે હવે તમારે ભારત અને ગુજરાતના સીમાડાઓ વટાવવાની જરૂર નથી કારણ કે હવે સાબરકાંઠામાં તિરુપતિ નેચરલ પાર્ક બનીને તૈયાર થયો ગયો છે

New Update
  • વિશ્વની અજાયબીઓ હવે ગુજરાત રાજ્યમાં જોવા મળશે

  • સાબરકાંઠામાં તિરુપતિ નેચરલ પાર્ક બનીને તૈયાર થયો

  • પેરિસના એફિલ ટાવરઆગ્રાના તાજમહેલનો સમાવેશ

  • દિવસભર હજારો પર્યટકો લઈ રહ્યા છે પાર્કની મુલાકાત

  • કુદરતી વાતાવરણમાં રહેવાનો આનંદ માણતા પર્યટકો 

 વિશ્વની અજાયબીઓ જોવા માટે જે લોકો પાસે વિદેશ જવાના પૈસા ન હોય તો તે લોકોએ મૂંઝાવાની જરૂર નથી... કારણ કેગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં ઉભી થઈ છે વિશ્વની તમામ અજાયબીઓ. જેને જોવા માટે રોજના હજારો પર્યટકો સાબરકાંઠા જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે.

પેરિસનો એફિલ ટાવર હોય કેપછી હોય આગ્રાનો તાજમહેલ... આ બધી અજાયબી જોવા માટે હવે તમારે ભારત અને ગુજરાતના સીમાડાઓ વટાવવાની જરૂર નથી. કારણ કેઆ તમામ અજાયબીઓ હવે સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે. હિંમતનગર-વિજાપુર હાઇવે પર આવેલા તિરુપતિ નેચરલ પાર્કમાં આ તમામ અજાયબીઓને આકાર અપાયો છેત્યારે ગુજરાતના સૌથી મોટા પ્રાકૃતિક પરિવેશથી ભરપૂર આ પાર્કમાં હાલ રોજના 8થી 10 હજાર પર્યટકો મુલાકાતે આવી રહ્યા છે.

ગુજરાત રાજ્યમાં આ પ્રકારનો પાર્ક હજુ સુધી કોઈ બન્યો નથી કેજ્યાં માનવસર્જિત 20 લાખથી વધુ વૃક્ષોના જંગલઅલગ અલગ પતંગિયાએમ્યુઝમેન્ટ પાર્કવિશ્વની અજાયબીઓહંટેડ હાઉસ ઉભા કરાયા છે. અહી સવારથી સાંજ સુધી આવતા પર્યટકો પ્રદૂષણ મુક્ત મોજ સાથે દિવસ પસાર કરી શકે છે. તિરુપતિ નેચરલ પાર્કમાં નિર્માણ પામેલ જંગલ સફારીમાં લોકો ખાસ પસંદ કરે છે. ખુલ્લી જીપમાં બેસીને થતી જંગલ સફારીમાં રોમાંચ લેવાનું પણ અહી આવેલા પર્યટકો ભૂલતા નથી.

ગુજરાતનો આ માત્ર એક એવો પાર્ક છે કેતમે બહારથી નાસ્તો લાવીને કોઈ પણ જગ્યાએ જમી શકો છો. અને એના કારણે જ માત્ર ઉત્તર ગુજરાત જ નહીંપરંતુ અમદાવાદગાંધીનગરમોરબી અને જુનાગઢથી પણ હજારો લોકો અહીં મુલાકાતે આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કેરાજકોટની દુર્ઘટના બાદ હવે લોકો ગેમ ઝોનમાં જતા અટકાઈ રહ્યા છેત્યારે કુદરતી વાતાવરણમાં આકાર લીધેલા તિરૂપતિ નેચરલ પાર્કમાં લોકો અવનવા વૃક્ષોની માહિતી તો મેળવે જ છેપણ સાથે સાથે ગીચોગીચ જંગલમાં આખો દિવસ રહેવાનો આનંદ પણ માણી રહ્યા છે.

Read the Next Article

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 13 IAS અધિકારીઓની કરાઇ બદલી

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

New Update
રાજયમાં આઇએએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.  

આ બદલીઓમાં પ્રથમ નામ  અશ્વિની કુમાર, IAS (RR:GJ:1997) ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 

જ્યારે  એમ. થેનારસન, IAS (RR:GJ:2000) ને  રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીની બદલી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગર પાલિકાની કમિશનર ઓમ પ્રકાશની રાજકોટ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.  

રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.  શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની બદલી કરાઈ છે.  એમ. થેન્નારસન નવા શહેરી વિકાસ સચિવ બન્યા છે.  રમેશ મીણા પોર્ટ અને ટ્રાન્સપોર્ટના સચિવ બન્યા છે.  મીલિંદ તોરવણે પંચાયત સચિવ તરીકે નિમાયા છે.  આરતી કંવરને નાણા વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જેનુ દેવાનને મધ્ય ગુજરાત વિજ કંપનીનો ચાર્જ સોંપાયો છે.  તેજસ પરમાર જૂનાગઢના મ્યુ. કમિશનર બન્યા છે.  

રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીની બદલી કરવામાં આવી છે. પ્રભવ જોશી ટુરિઝમમાં એમડી બન્યા છે.  ઓમ પ્રકાશ રાજકોટના નવા કલેક્ટર બન્યા છે.  નર્મદાના DDO તરીકે રાજ સુથારની નિમણૂંક કરવામાં આવી છે. 

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ  તોરવાણે, IAS ને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેજસ દિલીપભાઈ પરમાર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરમાંથી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા છે.