વિશ્વની અજાયબીઓ હવે ગુજરાતમાં..! : સાબરકાંઠાનું તિરુપતિ નેચરલ પાર્ક પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું

પેરિસનો એફિલ ટાવર હોય કે, પછી હોય આગ્રાનો તાજમહેલ... આ બધી અજાયબી જોવા માટે હવે તમારે ભારત અને ગુજરાતના સીમાડાઓ વટાવવાની જરૂર નથી કારણ કે હવે સાબરકાંઠામાં તિરુપતિ નેચરલ પાર્ક બનીને તૈયાર થયો ગયો છે

New Update
  • વિશ્વની અજાયબીઓ હવે ગુજરાત રાજ્યમાં જોવા મળશે

  • સાબરકાંઠામાં તિરુપતિ નેચરલ પાર્ક બનીને તૈયાર થયો

  • પેરિસના એફિલ ટાવરઆગ્રાના તાજમહેલનો સમાવેશ

  • દિવસભર હજારો પર્યટકો લઈ રહ્યા છે પાર્કની મુલાકાત

  • કુદરતી વાતાવરણમાં રહેવાનો આનંદ માણતા પર્યટકો 

Advertisment

 વિશ્વની અજાયબીઓ જોવા માટે જે લોકો પાસે વિદેશ જવાના પૈસા ન હોય તો તે લોકોએ મૂંઝાવાની જરૂર નથી... કારણ કેગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં ઉભી થઈ છે વિશ્વની તમામ અજાયબીઓ. જેને જોવા માટે રોજના હજારો પર્યટકો સાબરકાંઠા જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે.

પેરિસનો એફિલ ટાવર હોય કેપછી હોય આગ્રાનો તાજમહેલ... આ બધી અજાયબી જોવા માટે હવે તમારે ભારત અને ગુજરાતના સીમાડાઓ વટાવવાની જરૂર નથી. કારણ કેઆ તમામ અજાયબીઓ હવે સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે. હિંમતનગર-વિજાપુર હાઇવે પર આવેલા તિરુપતિ નેચરલ પાર્કમાં આ તમામ અજાયબીઓને આકાર અપાયો છેત્યારે ગુજરાતના સૌથી મોટા પ્રાકૃતિક પરિવેશથી ભરપૂર આ પાર્કમાં હાલ રોજના 8થી 10 હજાર પર્યટકો મુલાકાતે આવી રહ્યા છે.

ગુજરાત રાજ્યમાં આ પ્રકારનો પાર્ક હજુ સુધી કોઈ બન્યો નથી કેજ્યાં માનવસર્જિત 20 લાખથી વધુ વૃક્ષોના જંગલઅલગ અલગ પતંગિયાએમ્યુઝમેન્ટ પાર્કવિશ્વની અજાયબીઓહંટેડ હાઉસ ઉભા કરાયા છે. અહી સવારથી સાંજ સુધી આવતા પર્યટકો પ્રદૂષણ મુક્ત મોજ સાથે દિવસ પસાર કરી શકે છે. તિરુપતિ નેચરલ પાર્કમાં નિર્માણ પામેલ જંગલ સફારીમાં લોકો ખાસ પસંદ કરે છે. ખુલ્લી જીપમાં બેસીને થતી જંગલ સફારીમાં રોમાંચ લેવાનું પણ અહી આવેલા પર્યટકો ભૂલતા નથી.

ગુજરાતનો આ માત્ર એક એવો પાર્ક છે કેતમે બહારથી નાસ્તો લાવીને કોઈ પણ જગ્યાએ જમી શકો છો. અને એના કારણે જ માત્ર ઉત્તર ગુજરાત જ નહીંપરંતુ અમદાવાદગાંધીનગરમોરબી અને જુનાગઢથી પણ હજારો લોકો અહીં મુલાકાતે આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કેરાજકોટની દુર્ઘટના બાદ હવે લોકો ગેમ ઝોનમાં જતા અટકાઈ રહ્યા છેત્યારે કુદરતી વાતાવરણમાં આકાર લીધેલા તિરૂપતિ નેચરલ પાર્કમાં લોકો અવનવા વૃક્ષોની માહિતી તો મેળવે જ છેપણ સાથે સાથે ગીચોગીચ જંગલમાં આખો દિવસ રહેવાનો આનંદ પણ માણી રહ્યા છે.

Advertisment
Read the Next Article

ઝઘડિયા : અવિધાના આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સંચાલિત હોસ્પિટલમાં ડિજિટલ એક્સ-રે મશીનની સુવિધાનો પ્રારંભ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલા આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,

New Update
  • ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલની સુવિધામાં વધારો

  • આરોગ્ય વર્ધક મંડળ અવિધા દ્વારા કાર્યરત છે હોસ્પિટલ

  • 60 વર્ષ પહેલા હોસ્પિટલનો થયો હતો પ્રારંભ

  • અદ્યતન એક્સ-રે મશીનની સુવિધાનો થયો પ્રારંભ

  • અંકલેશ્વર AIA પ્રમુખના હસ્તે એક્સ-રેનો કરાયો પ્રારંભ  

Advertisment

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ખાતે સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડિયાના હસ્તે ડિજિટલ એક્સ-રે મશીનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલા આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતોહાલના સમયમાં અકસ્માતોથી લઈ અન્ય બીમારીમાં પણ વધારો થતાં આરોગ્ય વર્ધક મંડળ દ્વારા તેમની હોસ્પિટલમાં વિવિધ અદ્યતન સુવિધાઓ સમયાંતરે ઉભી કરવામાં આવી રહી છેઆજરોજ આ હોસ્પિટલમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડીયાના હસ્તે ડિજિટલ એક્સ-રે મશીનની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ સાથે  સંસ્થાના સ્થાપક અને સેવાભાવી મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

સંસ્થાના 98 વર્ષીય કાંતિ લલ્લુભાઈ પટેલ પણ વડોદરાથી અવિધા આવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા,સંસ્થાના પ્રમુખ કિરીટ બી પટેલ દ્વારા સંસ્થાના 60 વર્ષના ઉતાર ચઢાવથી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતા,અને તેમના દ્વારા લક્ષમાં લેવાયેલ મહિલાઓયુવાનો માટેની‌‌ વિવિધ યોજનાઓ આવનારા સમયમાં અવિધા ગામ ખાતે ઉભી કરવામાં સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.

Advertisment