બનાસકાંઠા : રાજસ્થાનથી માર્કુંડેશ્વર મહાદેવના દર્શન બાદ પરત ફરતા પરિવારની કાર પર પથ્થરમારો, યુવતીને ઈજા

જાંબુડી ગામ નજીક કાર પર અજાણ્યા હુમલાખોરોએ પથ્થરમારો કર્યો હતો. હુમલામાં કારના આગળના અને સાઈડના કાચ તૂટી ગયા હતા. એક મોટો પથ્થર કારમાંથી મળી આવ્યો હતો.

New Update
  • રાજસ્થાનમાં ગુજરાતી પરિવાર પર હુમલો

  • માર્કુંડેશ્વર મહાદેવના દર્શન માટે ગયો હતો પરિવાર

  • જાબુંડી ગામ નજીક બની પથ્થરમારાની ઘટના

  • હુમલામાં એક મહિલાને માથાના ભાગે ઇજા

  • ઘટનામાં કારનું ટાયર ફાટતા ચિંતાજનક સ્થિતિ સર્જાય 

  • ચાલકે હિંમત કરી ત્રણ ટાયર પર કાર અંબાજી સુધી પહોંચાડી

રાજસ્થાનના જાંબુડી ગામ નજીક અમદાવાદના એક ગુજરાતી પરિવાર પર અજાણ્યા તત્વોએ પથ્થરમારો કર્યો છે. અમદાવાદના બાપુનગરનો પરિવાર માર્કુંડેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.સર્જાયેલી ઘટનામાં એક યુવતી ઈજાગ્રસ્ત થઈ હતી.

અમદાવાદનો એક ગુજરાતી પરિવાર રાજસ્થાનના માર્કુંડેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો,તે દરમિયાન જાંબુડી ગામ નજીક આ પરિવારની ઇકો કાર પર અજાણ્યા હુમલાખોરોએ પથ્થરમારો કર્યો હતો. હુમલામાં કારના આગળના અને સાઈડના કાચ તૂટી ગયા હતા. એક મોટો પથ્થર કારમાંથી મળી આવ્યો હતો. કારમાં સવાર યુવતીને માથામાં પથ્થર વાગતા તેને ગંભીર ઈજા થઈ હતી. તેને સારવાર માટે અંબાજીની આધ્યશક્તિ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ઘટના દરમિયાન કારનું પાછળનું ટાયર ફાટી જતાં કાર ચાલકે હિંમતભેર ત્રણ ટાયર પર કાર ભગાવી હતી.મોબાઈલ નેટવર્ક ન મળવાને કારણે તેઓ અંબાજી સુધી પહોંચ્યા હતા. કારમાં સવાર નાના બાળકોનો આબાદ બચાવ થયો હતો.

ઘટનાની જાણ થતાં અંબાજી પોલીસ ઈન્સ્પેક્ટર સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ભોગ બનનાર પાસે પહોંચ્યો હતો. પોલીસે ઘાયલ લોકોને સારવાર અપાવી તેમને ઘરે મોકલ્યા હતા. યાત્રિકો પર હુમલાની આ ઘટનાએ ચિંતાજનક સ્થિતિ સર્જી છે.

Latest Stories