“માતૃ-પિતૃ વંદના” : ભાવનગરના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ધો-1થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓએ માતા-પિતાનું પૂજન કર્યું

“માતૃ-પિતૃ વંદના કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુ વાઘાણી, સેજલ પંડયા, કુલપતિ, સંતો-મહંતો સહિતના મહાનુભાવો, ધો-1થી કોલેજ સુધીના 1500 વિદ્યાર્થીઓ સહિત 3 હજાર વાલીઓ જોડાયા હતા

New Update
  • શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો

  • માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ ભવ્ય આયોજન કરવામાં આવ્યું

  • ધો-1થી કોલેજના વિદ્યાર્થીઓએ કર્યું માતા-પિતાનું પૂજન

  • શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માતૃ-પિતૃ પૂજન કરવામાં આવ્યું

  • મોટી સંખ્યા શાળાના વિદ્યાર્થીઓ-વાલીઓ ઉપસ્થિત રહ્યા 

ભાવનગરના સરદારનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધો-1થી કોલેજ સુધીના 1500 જેટલા વિદ્યાર્થીઓએ તેમના માતા-પિતાનું પૂજન અર્ચન કર્યું હતું.

ભારત દેશ એ આધ્યાત્મિક અને સંસ્કૃતિનો દેશ છેજ્યાં પ્રભુ પહેલા માતા-પિતાનું પૂજન કરવામાં આવે છેત્યારે બાળકોમાં નાનપણથી જ સંસ્કાર અને સિંચનના ઉમદા ભાવ જાગે તેવા ઉદેશ્ય સાથે ભાવનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ અને હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ધારાસભ્ય જીતુ વાઘાણીસેજલ પંડયાકુલપતિસંતો-મહંતો સહિતના મહાનુભાવોધો-1થી કોલેજ સુધીના 1500 વિદ્યાર્થીઓ સહિત 3 હજાર વાલીઓ જોડાયા હતા. ભુદેવની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માતૃ-પિતૃ પૂજન કરવામાં આવ્યું હતું. આ તકે નાના ભૂલકાઓ દ્વારા કરવામાં આવેલી માતૃ-પિતૃ વંદનાના અતિસુંદર દ્રશ્યો સર્જાયા હતા.

Read the Next Article

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું રૂટનું નિરીક્ષણ...

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના

New Update

તા. 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા

દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાની તડામાર તૈયારી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નેત્રોત્સવ વિધિમાં સહભાગી થયા

16 કિમીના રૂટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂટ પેટ્રોલિંગ

રથયાત્રાના રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરાય

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છેત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર પણ જોડાયા હતા. પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ 16 કિમીના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ સાથે જ રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ અવસરે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુંત્યારે હાલ તો દેશમાં બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.