સુરત:ગણેશ વિસર્જનમાં દર્શનનો લ્હાવો લેતા ગૃહમંત્રી હર્ષ સંઘવી

ગુજરાત | Featured | સમાચાર, સુરત શહેરમાં બાપાની પ્રતિમાઓનું વિસર્જન શરૂ થઈ ગયું હતું. શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પૂર્ણ થાય તે હેતુથી સુરત મહાનગરપાલિકાના તંત્ર અને પોલીસ

New Update

સુરતમાં વિઘ્નહર્તાનું વિસર્જન 

ગૃહમંત્રીએ લીધી વિસર્જન સ્થળની મુલાકાત 

ગણપતિ બાપ્પા મોર્યના લગાવ્યા નારા

CMની વિદેશ યાત્રાની વાત અફવા,જણાવતા હર્ષ સંઘવી 

અફવા ફેલાવનાર સામે નોટિસ ઇશ્યુ કરવામાં આવી 

સુરત શહેરમાં બાપાની પ્રતિમાઓનું વિસર્જન શરૂ થઈ ગયું હતું. શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પૂર્ણ થાય તે હેતુથી સુરત મહાનગરપાલિકાના તંત્ર અને પોલીસ દ્વારા આગોતરી તૈયારીના ભાગરૂપે તમામ જગ્યાઓ પર પૂરતો બંદોબસ્ત અને તૈયારીઓ કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીએ સુરતના હાર્દ સમા ગણાતા ભાગળ ચાર રસ્તા પર વિસર્જન યાત્રાની મુલાકાત લીધી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગણપતિ બાપા મોર્યાના નાદમાં સુરથી સુર પુરાવ્યો હતો. ગૃહમંત્રી હર્ષ સંઘવીની સાથે સુરત પોલીસ કમિશનર અનુપમસિંગ ગેહલોત,ધારાસભ્ય અરવિંદ રાણા અને મેયર દક્ષેશ માવાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ મામલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સુરતમાં શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા થઈ રહી છે,મોટી માત્રામાં મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે અને હજુ પણ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થાય છે. આ પ્રસંગે હર્ષ સંઘવીએગુજરાતના મુખ્યમંત્રી કોઈ પણ વિદેશ પ્રવાસ પર જવાના નથી. આ માત્ર એક અફવા છે જેને ફેલાવવામાં આવી છે. અફવા ફેલાવનારને નોટિસ મોકલવામાં આવી છે.વધુમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સીધો આક્ષેપ વિપક્ષ પર કર્યો હતો અને કહ્યું હતું કે આવી અફવાઓ ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ વિપક્ષ જ કરી શકે છે.આ મામલે ગંભીરતા પર પૂર્વક પગલાં લેવામાં આવશે.બેજવાબદારી પૂર્વક અફવા ફેલાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.