સુરત : સચિન હોજીવાલા અને ગંભેણીમાં ભીષણ આગની ઘટનામાં પ્લાસ્ટિક તેમજ કાપડનો જથ્થો બળીને ખાખ

સુરતના સચિન હોજીવાલા વિસ્તારમાં પાર્થ પ્લાસ્ટિક અને પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ

New Update

સચિન હોજીવાલામાં સર્જાય આગની ઘટના

DGVCLની ડીપીમાં બ્લાસ્ટથી યાર્નમાં લાગી આગ

પ્લાસ્ટિક તેમજ કાપડનો જથ્થો બળીને ખાખ

ગંભેણીમાં પણ ચીંદીના ગોડાઉનમાં લાગી આગ

ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ 

સુરતના સચિન હોજીવાલા વિસ્તારમાં પાર્થ પ્લાસ્ટિક અને પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની મિલની DGVCLની ડીપીમાં બ્લાસ્ટથી શોર્ટ સર્કિટ થયું હતું. જેને પગલે મિલમાં પડેલા યાર્નના જથ્થામાં આગ લાગી હતી,અને ત્યાર બાદ બાજુમાં જ આવેલી પાર્થ પ્લાસ્ટિકની મિલને પણ આગની ચપેટમાં લઈ લીધી હતી. આગ પ્લાસ્ટિક હોવાને કારણે ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. બંને કંપનીમાં પડેલી વસ્તુ ખૂબ જ જ્વલનશીલ હોવાને કારણે આગ ખૂબ ઝડપથી પ્રસરી હતી. આગના ગોટેગોટા દૂર સુધી ઉડતા દેખાયા હતા.

આગની ઘટના અંગેની જાણ થતાની સાથે ફાયર બ્રિગેડની ટીમ ફાયર ટેન્ડરો સાથે દોડી આવીને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.જ્યારે બીજી બાજુ ગભેણી વિસ્તારમાં આવેલા ચીંદીના ગોડાઉનમાં પણ ભીષણ આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.અને ગોડાઉનમાં કાપડનો જથ્થો હોવાથી આગ વધુને વધુ પ્રસરી હતી.આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડ દ્વારા વધુ ફાયરની ટીમ મદદ માટે બોલાવવામાં આવી હતી.અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.જોકે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની પહોંચી નહોતી.પરંતુ બંને આગની ઘટનામાં મોટી આર્થિક નુકસાનનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

Read the Next Article

ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય..

રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા

New Update
  • રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ઉજવણી કરાય

  • રાજભવન પરિવારના અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતી

  • યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિતોએ સમૂહમાં યોગાભ્યાસ કર્યો

  • યોગને જીવનનો નિયમિત ભાગ બનાવો : આચાર્ય દેવવ્રત 

ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો હતો.

યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કેયોગને જીવનનો નિયમિત ભાગ બનાવો. વધુમાં તેમણે કહ્યું કેયોગથી જીવનમાં આરોગ્ય અને સુખ તો આવે જ છેસાથોસાથ આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પણ પ્રશસ્ત થાય છે.