સુરત: બાળકો માટે MISC નામની બીમારી બની રહી છે મોતનું કારણ

બાળકોમાં જોવા મળી એમ.આઈ.એસ.સી. નામની બીમારી, ગયા વર્ષે 129 કેસ હતા જ્યારે આ વર્ષે 350 કેસ આવ્યા.

New Update
સુરત: બાળકો માટે MISC નામની બીમારી બની રહી છે મોતનું કારણ

સુરતમાં બાળકોમાં એમ.આઈ.એસ.સી. નામની બીમારી જોવા મળી હતી. આ બીમારીના સુરતમાં ગયા વર્ષે 129 કેસ હતા જ્યારે આ વર્ષે તે કેસ વધીને 350 જેટલા કેસો સામે આવ્યા છે. જોકે ચિંતાજનક બાબત એ છે કે ચાલુ વર્ષે આ બીમારીથી બે બાળકોના મોત થયા છે.

સુરતમાં એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે અને સુરતમાં બીજી લહેર દરમ્યાન એક તબક્કે સરેરાસ ૨ હજારથી વધુ કેસો સામે આવતા હતા. પરંતુ હવે સુરતમાં કોરોનાનું સંક્મ્રણ કાબુમાં આવી રહ્યું છે. પરંતુ ખાસ કરીને બાળકોમાં એમ.આઈ.એસ.સી. એટ્લે કે મલ્ટી સિમટન્સ ઇન ચિલ્ડ્રન નામની બીમારી જોવા મળી રહી છે. આ બીમારીના ગયા વર્ષે એટલે કે વર્ષ 2020માં 129 જેટલા કેસો હતા અને સદનસીબે એક પણ મોત થયું ન હતું. પરંતુ આ વર્ષે આ બીમારીના કેસો વધીને 350 થયા છે અને આ વર્ષે બે બાળકોના આ બીમારીથી મોત થયા છે. જે એક ચિતાનો વિષય કહી શકાય છે. સુરતમાં આ બીમારીથી એક સચિન વિસ્તારમાં રહેતી 6 વર્ષની બાળકી અને પર્વત પાટિયા ખાતે રહેતા 9 વર્ષના બાળકનું મોત થયું છે.

આ અંગે તબીબ આશિષ ગોટીએ જણાવ્યું હતું કે, આ બીમારીના કેસો આ વર્ષે વધ્યા છે. પરંતુ આ બીમારીથી મોતનો આંક 0.05 ટકા છે. તેઓએ બે બાળકોના મોત અંગે જણાવ્યું હતું કે જો બાળકોમાં એમ.આઈ.એસ.ઈ. ના લક્ષણો ઓળખવા ખુબ જ જરૂરી છે. લક્ષણો દેખાય અને વાલીઓ સારવારમાં મોડું કરે જેથી બાળકોના મોત થવાની શક્યતા રહેલી છે.

ડો. નયન પટેલના જણાવ્યા અનુસાર, એમ.આઈ.એસ.સી. બીમારી કોરોનાથી સંક્રમિત થયેલા બાળકોને થવાની શક્યતા રહેલી છે. જન્મથી લઈને 18 વર્ષ સુધીના બાળકોને આ બીમારી થઇ શકે છે. આ બીમારીથી ડરવાની જરૂર નથી. બસ તકેદારી રાખવાની જરૂર છે અને જો બાળકોમાં કોઈ પણ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંર્પક કરવો જોઈએ.

Read the Next Article

અમદાવાદ દુર્ઘટનામાં ભરૂચના 3 મુસાફરો પ્લેનમાં સવાર હતા, કલેકટર ગૌરાંગ મકવાણાએ કરી પુષ્ટી

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે

New Update
  • અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના

  • લંડન જઈ રહ્યું હતું વિમાન

  • ભરૂચના 3 મુસાફરો પણ હતા સવાર

  • વહીવટી તંત્રએ કરી પુષ્ટી

  • જંબુસર- ભરૂચના 3 લોકોનો સમાવેશ

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે
અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી.અમદાવાદથી બપોરે 1. 38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા.ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં જિલ્લાના 5 લોકો હોવાની પુષ્ટિ આપી હતી. આ તરફ ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાએ ટેલિફોનિક વાતચીતમાં ભરૂચના 3 મુસાફરો હોવાની અને બે મુસાફરો સાંસરોદના હોવાની પુષ્ટિ કરી છે. ભરૂચનું તંત્ર આ મુસાફરોના પરિવારોનો સંપર્ક કરી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના 5 મુસાફરોના બહાર આવેલા નામોમાં જંબુસરના પટેલ સાહિલ , ભરૂચના પટેલ અલ્તાફ હુસેન, સાંસરોદના તાજુ હુસેના , તાજુ આદમ અને ભરૂચના સાજેદા મીસ્તર કાવીવાલાનો સમાવેશ થાય છે.પ્લેનમાં સવાર પૈકી પટેલ અલ્તાફહુસેન તેમના સાસુ તાજુ હુસેના અને સસરા તાજુ આદમ સાથે લંડન જઈ રહ્યા હતા. યુકે સ્થાયી થયેલ પરિવારના ત્રણ લોકો ઈદ મનાવી પરત જઈ રહ્યા હતા તે દરમ્યાન આ દુર્ઘટના સર્જાય હતી.
Latest Stories