/connect-gujarat/media/post_banners/4def86c23981d349dfcdbc3d63e699124763c98da26957a03ddbfff87ef1b078.jpg)
સુરત શહેરના પાંડેસરા વિસ્તારની તેરે નામ ચોકડી નજીક 2 વેપારીઓ પર જીવલેણ હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે, ત્યારે બન્ને વેપારીઓના મોત નીપજતાં પોલીસ દોડતી થઈ હતી. સુરતના પાંડેસરા વિસ્તારની તેરે નામ ચોકડી નજીક ડબલ મર્ડરની ઘટનાથી પોલીસ દોડતી થઈ છે. પાંડેસરા ના રહેવાસી 32 વર્ષીય શિવશંકર જેસવાલ અને 22 વર્ષીય પ્રવીણ સોલંકી નામના બન્ને મિત્રો ઉભા હતા, ત્યારે અંગત અદાવતની રીસ રાખી બાઇક ઉપર આવેલા 2 ઈસમોએ અચાનક પ્રવીણ સોલંકી પર જીવલેણ હુમલો કરી ઉપરાછાપરી ઘા માર્યા હતા. જોકે, શિવશંકર બચાવવા જતા તેની પીઠ ઉપર પણ હુમલાખોરોએ 3 ઘા ઝીંક્યાં હતા. ગંભીર ઇજાના પગલે શિવશંકરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પ્રવીણને સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડ્યો હતો. હાલ ટો પાંડેસરા પોલીસે બન્ને મિત્રોની થયેલ નિમર્મ હત્યા મામલે નજીકમાં લાગેલા CCTV કેમેરાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.