સુરત : કોરોના સંક્રમણને અટકાવવા તંત્રની રણનીતિ, અસરકારક કામગીરી કરવા અધિકારીઓને સૂચન..

સુરત શહેરમાં કૂદકેને ભૂસકે વધી રહેલા કોરોના કેસોએ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા તંત્રની દોડધામ વધી છે.

New Update
સુરત : કોરોના સંક્રમણને અટકાવવા તંત્રની રણનીતિ, અસરકારક કામગીરી કરવા અધિકારીઓને સૂચન..

સુરત શહેરમાં કૂદકેને ભૂસકે વધી રહેલા કોરોના કેસોએ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા તંત્રની દોડધામ વધી છે. પાલિકા દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વેસુ ખાતે આવેલ સુડા ભવનમાં રીવ્યુ બેઠક કરવામાં આવી હતી.

વર્ષ 2021માં ભારતમાં પ્રસરેલા કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના કારણે મોટા પ્રમાણમાં પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે જ દેશભરમાં ભયાવહ સ્થિતિનું સર્જન પણ થયું હતું, ત્યારે ગુજરાતમાં કોરોનાના કેસ નોંધાવાની શરૂઆત સુરત અને રાજકોટથી થઈ હતી. ત્યારબાદ લોકડાઉનના કારણે કોરોનાના કેસ થોડા કાબૂમાં રહ્યા હતા. જોકે, અનલોક થતાંની સાથે જ પોઝિટિવ કેસમાં પુનઃ ઉછાળો આવ્યો હતો. સુરતની શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા તંત્રની દોડધામ વધી છે, ત્યારે કિશોરોમાં વેક્સિનેશનનો આજે ત્રીજો દિવસ છે. જેમાં રાંદેર ઝોન વિસ્તારની મોટાભાગની શાળાઓના વાલીઓના સહમતી પત્ર બાદ વિદ્યાર્થીઓને રસી અપાય ચૂકી છે. ઉપરાંત શહેરની પ્રેસિડેન્સી સ્કૂલ અને સુમુલ શાળાના વિધાર્થીઓને પણ વેક્સિન આપવામાં આવી હતી. જોકે, કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત સાથે જ પાલિકાએ બેઠકોનો દૌર શરૂ કર્યો છે. ગત મંગળવારે પાલિકા કમિશનર બંચ્છાનિધિ પાનીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકમાં તમામ ઝોનલ અધિકારીઓને જે રીતે બીજી વેવમાં અસરકારક કામગીરી કરવામાં આવી હતી, એ રીતે જ કામગીરી શરૂ કરવા આદેશ કરાયા છે. માઇક્રો કન્ટેઇનમેન્ટ, બેરીકેટીંગ, ટેસ્ટીંગ, ટ્રેસીંગ, ધન્વંતરી રથ, સંજીવની રથ, 104 અને 108 ઈમરજન્સી સેવાને તમામ કામગીરી અસરકારક કરવા સૂચના અપાય છે.

Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.