સુરેન્દ્રનગર : લખતર નજીક માર્ગ પર રોઝ પ્રાણી સાથે બાઇક અથડાતા 2 પોલીસકર્મીના મોત, પોલીસ બેડામાં ગમગીની...
મૃતક પોલીસકર્મીઓના પરિવારજનોમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
BY Connect Gujarat Desk13 Nov 2022 1:51 PM GMT
X
Connect Gujarat Desk13 Nov 2022 1:51 PM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર નજીક ફરીથી ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. લખતરના ઝરમ ગામ નજીક માર્ગ પરથી 2 પોલીસકર્મીઓ બાઇક ઉપર સવાર થઈ પસાર થઈ રહ્યા હતા. આ દરમ્યાન માર્ગમાં રોઝ પ્રાણી આવી જતા બાઇકને ટક્કર વાગતા બન્ને પોલીસકર્મીઓના મોત નીપજ્યા હતા.
મળતી માહિતી અનુસાર, લખતરના ઝરમ ગામ નજીક રોડ પરથી શંકર ઓલકિયા અને સરદેવ ગળથરા નામના 2 પોલીસકર્મીઓ બાઇક પર જઇ રહ્યા હતા. આ દરમિયાન રસ્તા પર બાઇકની સામે રોઝ પ્રાણી આવી જતા બાઈકને ટક્કર વાગી હતી. જેમાં બન્ને પોલીસકર્મીઓના ગંભીર ઇજાના પગલે કરૂણ મોત થયા હતા. આ ગોઝારા અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ બેડામાં ગમગીની છવાઇ ગઇ છે. આ સાથે મૃતક પોલીસકર્મીઓના પરિવારજનોમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
Next Story