સુરેન્દ્રનગર : રાજપર નજીક નર્મદા કેનાલમાંથી 3 લોકોના મૃતદેહ મળ્યા, મૃતકો એક જ પરિવારના હોવાની આશંકા

જિલ્લાના વઢવાણ તાલુકાના રાજપર ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી 3 અજાણી વ્યક્તિના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

New Update
સુરેન્દ્રનગર : રાજપર નજીક નર્મદા કેનાલમાંથી 3 લોકોના મૃતદેહ મળ્યા, મૃતકો એક જ પરિવારના હોવાની આશંકા

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રાજપર ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી 3 અજાણી વ્યક્તિના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં લાશ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે વઢવાણ તાલુકાના રાજપર ગામ નજીક નર્મદા કેનાલમાંથી 3 અજાણી વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા હતા. આ વાત વાયુવેગે પ્રસરી જતાં ઘટના સ્થળે લોકોના ટોળાં ભેગા થયા હતા. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં ફાયરબ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓએ એક યુવતી, મહિલા અને પુરુષના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. તો બીજી તરફ, આ ત્રણેય મૃતકો એક જ પરિવારના હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે હાલ તો પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Read the Next Article

ભરૂચ: મેઘરાજાના શ્રાવણના સરવરીયા, ઠેર ઠેર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક

શ્રાવણ માસમાં મેઘરાજા સરવરીયા વરસાવી રહ્યા છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. તમામ નવ તાલુકાઓમાં વરસાદ નોંધાયો

New Update
  • ભરૂચ જિલ્લામાં મેઘાવી માહોલ

  • સમગ્ર જિલ્લામાં વરસાદ નોંધાયો

  • તમામ 9 તાલુકામાં નોંધપાત્ર વરસાદ

  • આજે સવારથી જ વરસાદી માહોલ

ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસું જમ્યું છે ત્યારે સતત બે દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસમાં મેઘરાજા સરવરીયા વરસાવી રહ્યા છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. તમામ નવ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. વરસાદ વરસતા ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે.
તો બીજી તરફ પ્રથમ રાઉન્ડમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતોએ વામણી કાર્યના શ્રી ગણેશ કર્યા હતા.વાવણી થયા બાદ હવે ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 31 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ જ આજે વહેલી સવારથી પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં ઝઘડિયા, વાલિયા અને હાંસોટમાં 1-1 ઇંચ તો નેત્રંગમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.
Latest Stories