Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : મૂળીના ખાટડી નજીક ટ્રેનની અડફેટે 8 પશુના કમકમાટીભર્યા મોત, 1 વ્યક્તિ ઘાયલ...

રેલ્વે ટ્રેક પર પુરઝડપે દોડતી ટ્રેનની અડફેટે અવારનવાર અબોલ પશુઓના મોતની ઘટનાઓ સામે આવે છે.

સુરેન્દ્રનગર : મૂળીના ખાટડી નજીક ટ્રેનની અડફેટે 8 પશુના કમકમાટીભર્યા મોત, 1 વ્યક્તિ ઘાયલ...
X

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખાટડી ગામ નજીક ટ્રેનની અડફેટે 8 પશુના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા, જ્યારે 1 વ્યક્તિ ઘાયલ થયો હોવાની દુર્ઘટના સર્જાય હતી. તો બીજી તરફ, અકસ્માતના પગલે ટ્રેન થોડીવાર માટે થોભાવાની ફરજ પડી હતી. અચાનક એક સાથે 8 પશુના મોત થતાં પશુપાલકની હાલત દયનીય બની હતી.

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ખાટડી ગામ પાસે પુરઝડપે જતી ટ્રેનની અડફેટે 8 પશુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા, જ્યારે આ ગોઝારા અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. રેલ્વે ટ્રેક પર પુરઝડપે દોડતી ટ્રેનની અડફેટે અવારનવાર અબોલ પશુઓના મોતની ઘટનાઓ સામે આવે છે.


જેમાં પાછલા દિવસોમાં વંદે ભારત ટ્રેનની અડફેટે પણ અબોલ પશુઓના મોતની ઘટનાઓ પણ સામે આવી હતી, ત્યારે જામનગર જઇ રહેલી ટ્રેન જ્યારે ખાટડી ગામ નજીકથી પુરઝડપે પસાર થઇ રહી હતી, ત્યારે આ ટ્રેનની અડફેટે પાટા ક્રોસ કરી રહેલા 10થી વધુ પશુઓ અડફેટે આવતા 8 જેટલા પશુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા, જ્યારે આ ગોઝારા અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. આ ગમખ્વાર અકસ્માતની ઘટનાના પગલે ટ્રેન થોડીવાર માટે રોકવાની ફરજ પડી હતી, જ્યારે અચાનક આટલા પશુઓના મોતથી પશુપાલકની હાલત દયનીય બનવા પામી હતી.

Next Story