Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગરઃ ST બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, એકનું મોત, 15થી વધુ લોકો ઘાયલ

સુરેન્દ્રનગર અમદાવાદ હાઇવે ઉપર એસ.ટી. બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજયું છે અને 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

X

સુરેન્દ્રનગર અમદાવાદ હાઇવે ઉપર એસ.ટી. બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજયું છે અને 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

ગુજરાતમાં માર્ગ અકસ્માતના કિસ્સાઓ રોજેરોજ બને છે. આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગરમાં બન્યો છે. જ્યાં ગુજરાત એસટી બસ અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત થયો છે. જેમાં 15થી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે જ્યારે એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે.

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર અમદાવાદ હાઇવે ઉપર એસ.ટી. બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગર-અમદાવાદ બસ ઉપડી હતી. દરમિયાન લખતર નજીક છરાદ ગામે પાસે ખાનગી બસે ઓવરટેક કરતાં સામેથી આવતી એસ.ટી. બસ સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં 15થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જ્યારે બંને બસોના ડ્રાઇવરની હાલત હાલ ગમ્ભ્હિર હોવાનું જણાવા મળી રહ્યું છે.

Next Story