સુરેન્દ્રનગર : તરણેતરના લોકમેળાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી...
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી 6 માઈલ દૂર તરણેતરનો મેળો ભરાય છે. અહીના જંગલમાં તરણેતરનું અતિ પ્રાચીન મંદિર છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત તરણેતરના લોકમેળાની રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી. પાંચમના પવિત્ર દિવસે મુખ્યમંત્રીએ ભગવાન ત્રિનેત્રેશ્વરનું પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી 6 માઈલ દૂર તરણેતરનો મેળો ભરાય છે. અહીના જંગલમાં તરણેતરનું અતિ પ્રાચીન મંદિર છે. એમ કહેવાય છે કે, વાસુકિ નાગની આ ભૂમિ છે. અહીં તરણેતર એટલે કે, ત્રિનેત્રેશ્વર મહાદેવનું દસમા સૈકાનું કલાપૂર્ણ મંદિર છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના નામ ઉપરથી આ ગામનું નામ અપભ્રંશ થઈને તરણેતર પડ્યું છે. અહીં ભાદરવા મહિનામાં 3 દિવસનો મેળો ભરાય છે. તરણેતરનો મેળો આમ રાસ, તાલ, લય, ગીત અને નૃત્યની દ્રષ્ટિએ તેમજ ભાતીગળ પોશાકના વૈવિધ્યથી દેશ-વિદેશમાં ખૂબ લોકપ્રિય બન્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તરણેતરના લોકમેળાની મુલાકાત લીધી હતી.
પાંચમના પવિત્ર દિવસે મુખ્યમંત્રીએ ભગવાન ત્રિનેત્રેશ્વરના પૂજન-અર્ચન કર્યા હતા. ત્યારબાદ ગ્રામીણ ઓલિમ્પિકની મુલાકાત લઈ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રીએ અહીં આયોજિત માહિતી વિભાગના પ્રદર્શનની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરિક્ષાની નિ:શુલ્ક તૈયારી કરી શકે તે માટે અનએકેડેમી સંસ્થા સાથે MOU પણ કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, મેળાઓ આપણી લોક-સંસ્કૃતિની પરંપરાને જાળવવાનું કામ કરે છે. રાજ્ય સરકાર તરણેતરના મેળાના સ્થળે તળાવના બ્યુટીફિકેશન સહિતના પગલા લઈ તેને વધુ સુવિધાયુક્ત બનાવશે તેમ જણાવ્યુ હતું.