Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : પાટડીના દેગામના યુવાનનું હાર્ટ એટેકથી મોત : પરિવારનો સહારો છીનવાતા શોકનું મોજું ફરી વળ્યું

સુરેન્દ્રનગર : પાટડીના દેગામના યુવાનનું હાર્ટ એટેકથી મોત : પરિવારનો સહારો છીનવાતા શોકનું મોજું ફરી વળ્યું
X

વહેલી સવારે છ વાગ્યે રામજી મંદિરમાં આરતી કર્યા બાદ ઘેર આવ્યા બાદ એમને છાતીમાં અસહ્ય દુઃખાવો ઉપાડ્યો હતો

દેશમાં યુવાનોને કોરોના બાદ હાર્ટ એટેક આવવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે પાટડી તાલુકાના દેગામ ગામે રહેતા પંકજકુમાર કનૈયાલાલ રામાનુજને વહેલી સવારે છ વાગ્યે રામજી મંદિરમાં આરતી કર્યા બાદ ઘેર આવ્યા હતા. ત્યારબાદ એમને છાતીમાં અસહ્ય દુઃખાવો ઉપાડતા એમને પરિવારજનો દ્વારા તાકીદે સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન પંકજકુમાર કનૈયાલાલ રામાનુજનું મોત નીપજતા પરિવારજનોમાં અને દેગામ ગ્રામજનોમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું. પંકજકુમાર કનૈયાલાલ રામાનુજના પરિવારમાં તેઓ અને એમના માતા એમ બેજ વ્યક્તિ હતા. પંકજભાઈના નાના ભાઈનું પણ બે વર્ષ અગાઉ કોરોના કાળમાં દુઃખદ અવસાન થયું હતું. અને ત્યારબાદ પંકજભાઈ એકમાત્ર એમની માતાનો સહારો હતા. જે પણ અકાળે છીનવાઈ જતા એમના માતા નિરાધાર થતાં પરિવાર પર આભ તૂટી પડ્યા જેવો આઘાત લાગ્યો હતો.

Next Story