સુરેન્દ્રનગર: ખેડૂતો સરકારની આ યોજનાનો લાભ લઈ રહ્યા છે લાભ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

ખેડૂતોને તેમના ખેતઉત્પાદનના પુરતા ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર 10 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરુ કરેલ છે

New Update
સુરેન્દ્રનગર: ખેડૂતો સરકારની આ યોજનાનો લાભ લઈ રહ્યા છે લાભ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

ખેડૂતોને તેમના ખેતઉત્પાદનના પુરતા ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર 10 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સરકારની આ યોજાનો લાભ લઈ રહ્યા છે ખેડૂતોને તેમના ખેતઉત્પાદનના પુરતા ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર 10 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરુ કરેલ છે. ચાલુ વર્ષે તુવેરની પ્રતિ ક્વિન્ટલ રુપિયા 6600, ચણાની પ્રતિ ક્વિન્ટલ 5335 અને રાયડાની પ્રતિ ક્વિન્ટલ રુપિયા 5450ના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે.

આ છે સુરેન્દ્રનગરના વઢવાણ એપીએમસી, જ્યાં ટેકાના ભાવે ચણાની ખરીદી થઈ રહી છે... સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પારદર્શક રીતે ખરીદી કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરની જેમ જૂનાગઢ અને મહિસાગર ખાતે પણ ખરીદી ચાલી રહી છે. ખેડૂતોને ફોન, મેસેજ દ્વારા વેચાણ માટે તેમનો વારો આવે ત્યારે જાણ કરવામાં આવે છે. ખરીદીની આવી સુચારુ વ્યવસ્થા જોઈ ખેડૂતો ખુશ છે. સરકાર જ્યારે તુવેર, ચણા અને રાયડા જેવી જણસના ટેકાના ભાવે ખરીદી કરી રહી છે ત્યારે ધરતીપુત્રોના મોઢા પર સંતોષનો ભાવ જોવા મળી રહ્યો છે.

Read the Next Article

કચ્છ : અંજારમાં પ્રેમસંબંધનો કરૂણ અંજામ,CRPF જવાન પ્રેમીએ જ મહિલા ASIની કરી હત્યા

મરણ જનાર અરુણા જાદવ મૂળ સુરેન્દ્રનગરના દેરવાડાના વતની હતા અને અંજારમાં રહેતા હતા ગત મોડી રાત્રે અરુણા અને તેના પુરુષ મિત્ર દિલીપ ડાંગચીયા વચ્ચે કોઈક બાબતને લઈને જબરદસ્ત ઝઘડો થયો હતો.

New Update
  • અંજારમાં મહિલાASIની હત્યાથી ચકચાર

  • ઘટનાને પગલે પોલીસતંત્રમાં ચકચાર 

  • પ્રેમીએ ગળું દબાવીને કરી પ્રેમિકાની હત્યા

  • પારિવારિક ઝગડાએ લીધું ઉગ્ર સ્વરૂપ   

  • CRPFના જવાન પ્રેમીએ કર્યું પોલીસમાં સરેન્ડર

અંજાર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા 25 વર્ષીય અરુણા નટુભાઈ જાદવની રાત્રે તેના પ્રેમીએ ઘરમાં ગળું દબાવીને હત્યા કરી નાખતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી.

કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા 25 વર્ષીય અરુણા નટુભાઈ જાદવની ગત રાત્રે તેના પ્રેમીએ ઘરમાં ગળું દબાવીને હત્યા કરી નાખતા પોલીસ ખાતામાં ચકચાર મચી ગઈ હતી. મરણ જનાર અરુણા જાદવ મૂળ સુરેન્દ્રનગરના દેરવાડાના વતની હતા અને અંજારની ગંગોત્રી સોસાયટી-2માં રહે છે. ગત મોડી રાત્રે અરુણા અને તેના પુરુષ મિત્ર દિલીપ ડાંગચીયા વચ્ચે કોઈક બાબતને લઈને જબરદસ્ત ઝઘડો થયો હતો.

જેમાં દિલીપે પિત્તો ગુમાવીને અરુણાનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. દિલીપ મણિપુરમાંCRPFમાં ફરજ બજાવે છે. અરુણાની હત્યા કર્યા બાદ દિલીપ સામેથી અંજાર પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. દિલીપ પણ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં ફરજ બજાવે છે અને મણિપુર ખાતે પોસ્ટિંગ થયેલું છે. દિલીપ અરુણાની બાજુના ગામનો વતની છે.

બંને લાંબા સમયથી એકમેકના પ્રેમસંબંધમાં હતા અને લગ્ન કરવાનું આયોજન કરતા હતા. રાત્રે પારિવારીક બાબતમાં બોલાચાલી થતાં અરુણાએ દિલીપની માતા વિશે એલફેલ બોલવાનું શરૂ કરતા દિલીપે હત્યા કરી નાખી હતી. બનાવના પગલે અંજાર પીઆઈ એ.આર. ગોહિલ સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી.

Latest Stories