સુરેન્દ્રનગર: ધાંગધ્રામાં  સ્ટેટ સમયના મંદિરે વયસ્ક નાગરિકો દ્વારા ગવડાવવામાં આવે છે ગરબા !

સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં સ્ટેટ વખતના 132 વર્ષ જુના મહાલક્ષ્મી માતાજીના મંદિરે વર્ષોજૂની પરંપરા અનુસાર વયસ્ક નાગરિકો દ્વારા બેસીને ગરબા ગવડાવવામાં આવે છે

New Update

સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રીના પર્વની ઉજવણી

ધાંગધ્રામાં આવેલું છે સ્ટેટ સમયનું મંદિર

મહાલક્ષ્મી માતાના મંદિરે કરાય છે ઉજવણી

વયસ્ક નાગરિકો દ્વારા ગવડાવવામાં આવે છે ગરબા

મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઘૂમે છે ગરબે

સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં સ્ટેટ વખતના 132 વર્ષ જુના મહાલક્ષ્મી માતાજીના મંદિરે વર્ષોજૂની પરંપરા અનુસાર વયસ્ક નાગરિકો દ્વારા બેસીને ગરબા ગવડાવવામાં આવે છે
હાલ નવરાત્રી ચાલી રહી છે. લોકો ગરબે રમીને આનંદ લઈ રહ્યા છે ત્યારે નવરાત્રીમાં માતાજીની ભક્તિ લોકો અલગ અલગ રીતે કરી રહ્યા છે.સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલ 132 વર્ષ સ્ટેટ વખતના જુના મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં સિનિયર સીટીઝનો દ્વારા જુના અને પ્રાચીન ગરબા બેસીને ગાવામાં આવે છે. સાથે માતાજીને નવરાત્રીમાં અલગ અલગ શણગાર કરવામાં પણ આવે છે. માતાજીના અલગ અલગ સ્વરૂપના દર્શન થાય છે.અહીં જે ગરબા ગાવામાં આવે છે. તેમાં વલ્લભ ભટ્ટ દયાકલ્યાણના પ્રાચીન ગરબા, આરતી,થાળ, ગવાય છે.મંદિરની અંદર ગવાતા ગરબા આજના યુવાનો અને યુવતીઓને પણ આકર્ષે તેમ છે. ગરબા ગાવામાં યુવાનો અને યુવતીઓ પણ અહીં આવે છે. 
Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.